શું તમારી ફાટેલી નોટ કોઈ નથી લેતું? જાણો કેવી રીતે બેંકથી બદલી શકાશે..


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 19:46:17

આપણા બધા પાસે ફાટેલી, જૂની અને ટેપ મારેલી નોટો પણ હશે કારણ કે આપણને ખબર નથી કે આ પૈસા કોણ બદલી આપશે. જમાવટના આ આર્ટિકલમાં તમે બધું સમજી શકશો કે કેવી રીતે આપણે જૂની કે પછી ફાટેલી નોટો માટેનો શું નિયમ છે?  આ નિયમો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા જ નક્કી કરે છે. તો ચાલો જાણી લઈએ નિયમો. 


કઈ બેંક બદલી આપે છે ફાટેલી તૂટેલી નોટ?


દરેક બેન્કની દરેક બ્રાન્ચે આપણને ફાટેલી નોટ બદલવા માટે સુવિધા આપવામાં આવી છે. કોઈ પણ બેન્ક આપણને જૂની નોટો બદલી આપે પણ કેટલી નોટ બદલાવી શકાતી નથી. કારણ કે નોટ બદલી આપવાની પણ એક લિમિટ છે. RBIનો નિયમ છે કે જે નોટ બદલવાની છે તે માત્ર એક નહીં પરંતુ 20 હોવી જોઈએ. જ્યારે તમારી પાસે 20 ફાટેલી નોટ હશે ત્યારે જ તમે નોટ બદલાવી શકશો. અન્ય નિયમ એવો છે કે જો ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયાના બંડલમાં કોઈ એક નોટ ફાટેલી હોવી જોઈએ. જો આ લિમિટ કરતાં વધારે નોટ અથવા પૈસા હોય તો બેન્ક તમને એક રિસીપ્ટ આપશે અને થોડા દિવસો પછી તમારા ખાતામાં તે પૈસા ક્રેડિટ થઈ જશે. જો 20 નોટ અથવા 5 હજાર રૂપિયા કરતાં વધારે રૂપિયા તમારે બદલવા છે તો બેન્ક તમારી પાસેથી ચાર્જ પણ લઈ શકે છે. 


કઈ નોટ બેંક નહીં બદલી આપે? 


1. સોઈલ્ડ નોટ્સ અને 2. મ્યુટિલેટેડ નોટ્સ બેંક બદલી આપશે. 


સોઈલ્ડ નોટ એટલે જૂની, ફાટેલી, કાણા  પડી ગયેલી અથવા ઘસાઈ ગયેલી નોટ, જેના ટુકડા થઈ ગયા હોય પણ બે જ ટુકડા હોવા જોઈએ. આ બંને ટુકડા એક જ નોટના હોવા જોઈએ. આવી નોટો બેન્ક બદલી આપે છે. દરેક નોટ પર સિક્યોરીટી ફીચર્સ હોવા જરૂરી હોય છે. 


મ્યુટિલેટેડ નોટ એટલે કે એવી નોટ કે જેનો કોઈ હિસ્સો જ મિસિંગ હોય અથવા એવી નોટ જેનાં બે કરતાં વધારે ટુકડા થઈ ગયા હોય. આવી નોટ જો આપણે બદલાવવા જઈએ

જો 50 રૂપિયા કરતાં વધારે રકમની નોટ બદલવી હોય, તો સૌથી મોટો ટુકડો 80% અથવા વધારે સાઇઝનો હોવો જોઈએ. જો નોટનો સૌથી મોટો ટુકડો 40 થી 80 ટકાની વચ્ચે તૂટેલો છે, તો આપણને 50 ટકા રૂપિયા જ પાછા મળી શકશે. જો સૌથી મોટો ટુકડો 40 ટકા કરતાં ઓછી સાઇઝનો છે તો આપણને એકપણ રૂપિયો પાછો નહીં મળે.


કેવી નોટો બેંક નહીં બદલી આપે? 

ખૂબ જ બળેલી નોટો, અડવાથી જ તૂટી જાય એવી નોટો, એકબીજા સાથે ચોંટી ગયેલ નોટ બેંક બદલી નહીં આપે. આવી નોટ માટે એક અલગ પ્રક્રિયા કરવી પડે છે, જે બધી બેન્ક નથી કરી શકતી. આવી નોટો બદલવા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની ઈશ્યૂ ઓફિસમા જવાનું રહે છે.


તો જો તમારી પાસે પણ છે ફાટેલી તૂટેલી પૈસાની નોટો તો આજે જ બેંકમાં જાઓ અને તમારી ખરાબ નોટ જમા કરવી નવી નોટ લઈ આવો. આવીજ રસપ્રદ માહિતી મેળવવા માટે જમાવટ સાથે જોડાયેલા રહો



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.