Bharuch Loksabha બેઠક BJP કઈ રીતે જીતશે?, Mansukh Vasavaનો હુંકાર! સાંભળો મનસુખ વસાવાને...


  • Published By :
  • Published Date : 2024-01-24 14:04:17

ભરૂચ લોકસભા બેઠક અનેક વખત ચર્ચામાં રહે છે. કોઈ વખત ચૈતર વસાવાને કારણે તો કોઈ વખત મનસુખ વસાવાને કારણે આ બેઠકની ચર્ચા થતી હોય છે. પરમદિવસે શરતના આધાર પર ચૈતર વસાવાને જામીન મળ્યા હતા પરંતુ ગઈકાલે એવી વાત સામે આવી હતી તે ચૈતર વસાવા જેલમાંથી બહાર નહીં આવે કારણ કે તેમના પત્ની શકુન્તલા વસાવાને જામીન નથી મળ્યા. આ બધા વચ્ચે ભરૂચ લોકસભા બેઠકને  લઈ મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે. ભરૂચમાં ભાજપની જીત થશે તેવો આશાવાદ મનસુખ વસાવાએ વ્યક્ત કર્યો છે. ભરૂચ બેઠક પર ભાજપનો જ ઉમેદવાર વિજયી થશે.

લોકસભા ચૂંટણી પહેલા ગરમાયું ભરૂચનું રાજકારણ!

મનસુખ વસાવા Vs ચૈતર વસાવાનો મુદ્દો અનેક વખત સામે આવતો રહે છે. શાબ્દિક પ્રહારો કરવામાં આવે છે જેને લઈ ચર્ચાઓ થતી રહી છે. અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી છે તે બાદ રાજકારણ ગરમાયું છે. અહમદ પટેલના પુત્રે  પોસ્ટર લગાવ્યા છે જેને લઈ અનેક તર્ક વિતર્ક ઉભા થયા હતા. તે ઉપરાંત થોડા દિવસ પહેલા અહમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે છોટુ વસાવા સાથે મુલાકાત કરી હતી.


ભરૂચ લોકસભા બેઠકને લઈ મનસુખ વસાવાએ કહી આ વાત!

ભરૂચ લોકસભા બેઠક પર સૌ કોઈની નજર છે અને આ બધા વચ્ચે ભાજપના ભરૂચ બેઠકના સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી છે. મનસુખ વસાવાએ આશાવાદ વ્યક્ત કર્યો છે કે ફરીથી એક વખત ભાજપ ભરૂચ લોકસભા બેઠક પર જીતશે. ઉલ્લેખનિય છે કે છેલ્લા અનેક ટર્મથી ભાજપના સાંસદ તરીકે મનસુખ વસાવા ચૂંટાયા છે.      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.