વર્લ્ડ કપ ફાઇનલને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ, હોટેલોના તમામ રૂમ બુક, ભાડામાં 100 થી 300 ટકા સુધીનો વધારો


  • Published By :
  • Published Date : 2023-11-17 21:23:25

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઇનલને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 19 નવેમ્બરે યોજાનારી ગ્રાન્ડ ફિનાલેમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે જોવાની આતુરતા ધરાવતા ક્રિકેટ ચાહકો માટે રહેવાનું અને ટિકિટો મેળવવાનું કામ એક પડકાર બની ગયો છે. દેશ અને વિદેશથી હજારો લોકો આ મેચ જોવા માટે ઉમટી પડ્યા છે. જેના કારણે અમદાવાદની તમામ ફાઈવ અને થ્રી સ્ટાર હોટેલના રૂમ બુક થઈ ગયા છે.


હોટેલોના ભાડામાં તોતિંગ વધારો


અમદાવાદમાં લગભગ તમામ જાણીતી હોટેલોના રૂમ બુક થઈ ગયા હોવાથી હોટેલમાં રૂમ મળવા પણ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. સ્થિતી એટલી હદે વિકટ બની છે કે ભલભલા લોકોને રૂમ મેળવવાના ફાંફા પડી રહ્યા છે. જેથી હોટેલોના ભાડામાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. હોટેલે દેશ અને વિદેશના ક્રિકેટ પ્રેમીઓની મજબુરીનો ફાયદો ઉઠાવવા માટે હોટેલના ભાડામાં રાતોરાત વધારો કરી દીધો છે. અમદાવાદમાં ફાઈવસ્ટાર હોટલથી લઇ થ્રીસ્ટાર હોટલમાં તેજીનો માહોલ જોવા મળ્યો જેમાં હોટલના ભાડામાં 100 ટકાથી લઈ 300 ટકા સુધીનો વધારો જોવા મળ્યો જેમાં અમદાવાદમાં 50,000 સુધી ચાલતા ભાડાની રકમ 1.25 લાખ સુધી પહોંચીછે. અમદાવાદમાં મોટાભાગની હોટલો બુક થઈ ગઈ છે જેના કારણે લોકો અન્ય શહેરોમાં પણ હોટલ બુક કરાવી રહ્યા છે,  જેમાં નડિયાદ, બરોડા અને આણંદમાં હોટલો બુક થઈ રહી છે. હોટેલ માલિકોનું કહેવું છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યા બાદ હોટલ બિઝનેસમાં ખૂબ જ તેજી આવી ગઈ છે.


નરેન્દ્ર સોમાણીએ પણ સ્વિકાર્યું 


અમદાવાદમાં વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થવાની છે. આવી સ્થિતિમાં હવે શહેરમાં હોટલોના ભાડાનો દર આસમાને પહોંચ્યો છે. જે હોટલોમાં રૂમનું ભાડું 20 હજાર રૂપિયા પ્રતિ દિવસ હતું ત્યાં રૂમનું ભાડું 1.25 લાખ રૂપિયા થઈ ગયું છે. આ વાત ખુદ 'ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ગુજરાત'ના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવી છે. સોમાણીએ કહ્યું છે કે જ્યારથી ભારત ફાઇનલમાં પહોંચ્યું છે ત્યારથી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં વસતા ભારતીયોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દુબઈ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકાના લોકો પણ આ મેચ જોવા આવવા માંગે છે. ભારત ફાઇનલમાં પહોંચતાની સાથે જ જે રૂમ રૂ. 20 હજારમાં વેચાતા હતા, તે હવે રૂ. 50 હજારથી રૂ. 1.25 લાખમાં વેચાઇ રહ્યા છે. આ હોટલની વેબસાઈટ પર જોઈ શકાય છે. સોમાણી કહે છે કે, અમદાવાદમાં સ્ટેડિયમની ક્ષમતા 1.25 લાખથી વધુ છે. અહીં મોટાભાગના દર્શકો અમદાવાદ અને તેની આસપાસના હશે પરંતુ 30 થી 40 હજાર દર્શકો બહારના પણ હશે. અને અહીં અમદાવાદમાં માત્ર પાંચ હજાર રૂમ છે. સમગ્ર ગુજરાતમાં થ્રી થી ફાઈવ સ્ટાર હોટલના દસ હજાર રૂમ છે. જેના કારણે અમદાવાદની આસપાસના શહેરોમાં પણ હોટલના રૂમો ફૂલ થઈ રહ્યા હોવાનું આપણે જોઈ રહ્યા છીએ.


JCP નીરજ બડગુજરે સુરક્ષાની કરી સમીક્ષા 


વર્લ્ડ કપની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે અને આ સ્ટેડિયમની ક્ષમતા 1.25 લાખ દર્શકોની છે. રવિવારે અમદાવાદમાં રમાનાર વર્લ્ડકપની ફાઇનલ મેચને લઇને પોલીસ તંત્ર અલર્ટ થઇ ગયું છે. આ મેચ પહેલા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે JCP નીરજ બડગુજરે આજે સુરક્ષાની સમીક્ષા કરી હતી. તો શહેરમાં કડક બંદોબસ્ત પણ ગોઠવવાની તૈયારીઓ ચાલી રહી છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 4500 જેટલા પોલીસકર્મીઓ ખડેપગે રહેશે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.