વર્લ્ડ કપ ફાઇનલને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ, હોટેલોના તમામ રૂમ બુક, ભાડામાં 100 થી 300 ટકા સુધીનો વધારો


  • Published By :
  • Published Date : 2023-11-17 21:23:25

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઇનલને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 19 નવેમ્બરે યોજાનારી ગ્રાન્ડ ફિનાલેમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે જોવાની આતુરતા ધરાવતા ક્રિકેટ ચાહકો માટે રહેવાનું અને ટિકિટો મેળવવાનું કામ એક પડકાર બની ગયો છે. દેશ અને વિદેશથી હજારો લોકો આ મેચ જોવા માટે ઉમટી પડ્યા છે. જેના કારણે અમદાવાદની તમામ ફાઈવ અને થ્રી સ્ટાર હોટેલના રૂમ બુક થઈ ગયા છે.


હોટેલોના ભાડામાં તોતિંગ વધારો


અમદાવાદમાં લગભગ તમામ જાણીતી હોટેલોના રૂમ બુક થઈ ગયા હોવાથી હોટેલમાં રૂમ મળવા પણ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. સ્થિતી એટલી હદે વિકટ બની છે કે ભલભલા લોકોને રૂમ મેળવવાના ફાંફા પડી રહ્યા છે. જેથી હોટેલોના ભાડામાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. હોટેલે દેશ અને વિદેશના ક્રિકેટ પ્રેમીઓની મજબુરીનો ફાયદો ઉઠાવવા માટે હોટેલના ભાડામાં રાતોરાત વધારો કરી દીધો છે. અમદાવાદમાં ફાઈવસ્ટાર હોટલથી લઇ થ્રીસ્ટાર હોટલમાં તેજીનો માહોલ જોવા મળ્યો જેમાં હોટલના ભાડામાં 100 ટકાથી લઈ 300 ટકા સુધીનો વધારો જોવા મળ્યો જેમાં અમદાવાદમાં 50,000 સુધી ચાલતા ભાડાની રકમ 1.25 લાખ સુધી પહોંચીછે. અમદાવાદમાં મોટાભાગની હોટલો બુક થઈ ગઈ છે જેના કારણે લોકો અન્ય શહેરોમાં પણ હોટલ બુક કરાવી રહ્યા છે,  જેમાં નડિયાદ, બરોડા અને આણંદમાં હોટલો બુક થઈ રહી છે. હોટેલ માલિકોનું કહેવું છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યા બાદ હોટલ બિઝનેસમાં ખૂબ જ તેજી આવી ગઈ છે.


નરેન્દ્ર સોમાણીએ પણ સ્વિકાર્યું 


અમદાવાદમાં વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થવાની છે. આવી સ્થિતિમાં હવે શહેરમાં હોટલોના ભાડાનો દર આસમાને પહોંચ્યો છે. જે હોટલોમાં રૂમનું ભાડું 20 હજાર રૂપિયા પ્રતિ દિવસ હતું ત્યાં રૂમનું ભાડું 1.25 લાખ રૂપિયા થઈ ગયું છે. આ વાત ખુદ 'ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ગુજરાત'ના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવી છે. સોમાણીએ કહ્યું છે કે જ્યારથી ભારત ફાઇનલમાં પહોંચ્યું છે ત્યારથી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં વસતા ભારતીયોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દુબઈ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકાના લોકો પણ આ મેચ જોવા આવવા માંગે છે. ભારત ફાઇનલમાં પહોંચતાની સાથે જ જે રૂમ રૂ. 20 હજારમાં વેચાતા હતા, તે હવે રૂ. 50 હજારથી રૂ. 1.25 લાખમાં વેચાઇ રહ્યા છે. આ હોટલની વેબસાઈટ પર જોઈ શકાય છે. સોમાણી કહે છે કે, અમદાવાદમાં સ્ટેડિયમની ક્ષમતા 1.25 લાખથી વધુ છે. અહીં મોટાભાગના દર્શકો અમદાવાદ અને તેની આસપાસના હશે પરંતુ 30 થી 40 હજાર દર્શકો બહારના પણ હશે. અને અહીં અમદાવાદમાં માત્ર પાંચ હજાર રૂમ છે. સમગ્ર ગુજરાતમાં થ્રી થી ફાઈવ સ્ટાર હોટલના દસ હજાર રૂમ છે. જેના કારણે અમદાવાદની આસપાસના શહેરોમાં પણ હોટલના રૂમો ફૂલ થઈ રહ્યા હોવાનું આપણે જોઈ રહ્યા છીએ.


JCP નીરજ બડગુજરે સુરક્ષાની કરી સમીક્ષા 


વર્લ્ડ કપની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે અને આ સ્ટેડિયમની ક્ષમતા 1.25 લાખ દર્શકોની છે. રવિવારે અમદાવાદમાં રમાનાર વર્લ્ડકપની ફાઇનલ મેચને લઇને પોલીસ તંત્ર અલર્ટ થઇ ગયું છે. આ મેચ પહેલા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે JCP નીરજ બડગુજરે આજે સુરક્ષાની સમીક્ષા કરી હતી. તો શહેરમાં કડક બંદોબસ્ત પણ ગોઠવવાની તૈયારીઓ ચાલી રહી છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 4500 જેટલા પોલીસકર્મીઓ ખડેપગે રહેશે.



જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.