વર્લ્ડ કપ ફાઇનલને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ, હોટેલોના તમામ રૂમ બુક, ભાડામાં 100 થી 300 ટકા સુધીનો વધારો


  • Published By :
  • Published Date : 2023-11-17 21:23:25

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઇનલને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 19 નવેમ્બરે યોજાનારી ગ્રાન્ડ ફિનાલેમાં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે જોવાની આતુરતા ધરાવતા ક્રિકેટ ચાહકો માટે રહેવાનું અને ટિકિટો મેળવવાનું કામ એક પડકાર બની ગયો છે. દેશ અને વિદેશથી હજારો લોકો આ મેચ જોવા માટે ઉમટી પડ્યા છે. જેના કારણે અમદાવાદની તમામ ફાઈવ અને થ્રી સ્ટાર હોટેલના રૂમ બુક થઈ ગયા છે.


હોટેલોના ભાડામાં તોતિંગ વધારો


અમદાવાદમાં લગભગ તમામ જાણીતી હોટેલોના રૂમ બુક થઈ ગયા હોવાથી હોટેલમાં રૂમ મળવા પણ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. સ્થિતી એટલી હદે વિકટ બની છે કે ભલભલા લોકોને રૂમ મેળવવાના ફાંફા પડી રહ્યા છે. જેથી હોટેલોના ભાડામાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. હોટેલે દેશ અને વિદેશના ક્રિકેટ પ્રેમીઓની મજબુરીનો ફાયદો ઉઠાવવા માટે હોટેલના ભાડામાં રાતોરાત વધારો કરી દીધો છે. અમદાવાદમાં ફાઈવસ્ટાર હોટલથી લઇ થ્રીસ્ટાર હોટલમાં તેજીનો માહોલ જોવા મળ્યો જેમાં હોટલના ભાડામાં 100 ટકાથી લઈ 300 ટકા સુધીનો વધારો જોવા મળ્યો જેમાં અમદાવાદમાં 50,000 સુધી ચાલતા ભાડાની રકમ 1.25 લાખ સુધી પહોંચીછે. અમદાવાદમાં મોટાભાગની હોટલો બુક થઈ ગઈ છે જેના કારણે લોકો અન્ય શહેરોમાં પણ હોટલ બુક કરાવી રહ્યા છે,  જેમાં નડિયાદ, બરોડા અને આણંદમાં હોટલો બુક થઈ રહી છે. હોટેલ માલિકોનું કહેવું છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યા બાદ હોટલ બિઝનેસમાં ખૂબ જ તેજી આવી ગઈ છે.


નરેન્દ્ર સોમાણીએ પણ સ્વિકાર્યું 


અમદાવાદમાં વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થવાની છે. આવી સ્થિતિમાં હવે શહેરમાં હોટલોના ભાડાનો દર આસમાને પહોંચ્યો છે. જે હોટલોમાં રૂમનું ભાડું 20 હજાર રૂપિયા પ્રતિ દિવસ હતું ત્યાં રૂમનું ભાડું 1.25 લાખ રૂપિયા થઈ ગયું છે. આ વાત ખુદ 'ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ગુજરાત'ના પ્રમુખ નરેન્દ્ર સોમાણીએ જણાવી છે. સોમાણીએ કહ્યું છે કે જ્યારથી ભારત ફાઇનલમાં પહોંચ્યું છે ત્યારથી માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં વસતા ભારતીયોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દુબઈ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકાના લોકો પણ આ મેચ જોવા આવવા માંગે છે. ભારત ફાઇનલમાં પહોંચતાની સાથે જ જે રૂમ રૂ. 20 હજારમાં વેચાતા હતા, તે હવે રૂ. 50 હજારથી રૂ. 1.25 લાખમાં વેચાઇ રહ્યા છે. આ હોટલની વેબસાઈટ પર જોઈ શકાય છે. સોમાણી કહે છે કે, અમદાવાદમાં સ્ટેડિયમની ક્ષમતા 1.25 લાખથી વધુ છે. અહીં મોટાભાગના દર્શકો અમદાવાદ અને તેની આસપાસના હશે પરંતુ 30 થી 40 હજાર દર્શકો બહારના પણ હશે. અને અહીં અમદાવાદમાં માત્ર પાંચ હજાર રૂમ છે. સમગ્ર ગુજરાતમાં થ્રી થી ફાઈવ સ્ટાર હોટલના દસ હજાર રૂમ છે. જેના કારણે અમદાવાદની આસપાસના શહેરોમાં પણ હોટલના રૂમો ફૂલ થઈ રહ્યા હોવાનું આપણે જોઈ રહ્યા છીએ.


JCP નીરજ બડગુજરે સુરક્ષાની કરી સમીક્ષા 


વર્લ્ડ કપની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે અને આ સ્ટેડિયમની ક્ષમતા 1.25 લાખ દર્શકોની છે. રવિવારે અમદાવાદમાં રમાનાર વર્લ્ડકપની ફાઇનલ મેચને લઇને પોલીસ તંત્ર અલર્ટ થઇ ગયું છે. આ મેચ પહેલા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે JCP નીરજ બડગુજરે આજે સુરક્ષાની સમીક્ષા કરી હતી. તો શહેરમાં કડક બંદોબસ્ત પણ ગોઠવવાની તૈયારીઓ ચાલી રહી છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 4500 જેટલા પોલીસકર્મીઓ ખડેપગે રહેશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.