સટ્ટાખોરીના રવાડે ચડેલા પતિએ પત્નીને જ દાવ પર લગાડી.. મહાભારતકાળની યાદ અપાવતો કિસ્સો વાંચીને આશ્ચર્ય થશે!


  • Published By :
  • Published Date : 2023-05-31 20:35:30

કળિયુગના આ સમયમાં પ્રેમ, લાગણી અને માનવીય મૂલ્યોનું જે પ્રકારે ધોવાણ થઇ રહ્યું છે તેને લઇને અનેક વિચારો આવે કે આપણે પતનની આટલી ઉંડી ગર્તામાં કઇરીતે ધકેલાઇ ગયા? માણસ જ માણસનો કાળ બનીને તેને ભરખી જશે તો પછી દુનિયામાં કોને માટે જીવવું?

ક્રાઇમ સ્ટોરીમાં આજે વાત કરવી છે.. અમદાવાદની એક ઘટનાની જેેણે મહાભારત કાળની યાદ અપાવી દીધી..  એક પતિએ તેની પત્નીને દ્રૌપદી બનાવી દીધી અને પત્નીને જ દાવ પર લગાવી પૈસા કમાવ્યા..

આ વાત છે ઉત્તરપ્રદેશની એક યુવતીની જે પોતાના પરિવાર સાથે મુંબઇ રહેતી હતી..એક દિવસ તેનો પરિચય એક યુવક  સાથે થાય છે જે તેને બિઝનેશમેન હોવાની ઓળખ આપે છે..અને કહે છે કે હું મારા કામને લીધે હાલ મુંબઇ છું.. બંનેની મુલાકાતો વધતી જાય છે..  અને મુલાકાતો પ્રેમમાં પરિણમે છે.. આ યુવકે પોતાનું નામ રાકેશ હોવાનું જણાવ્યું.. 

રાકેશ આ યુવતીને કહેતો હતો કે મારો ખૂબ જ મોટો બિઝનેસ છે, મારી પાસે પૈસો, કારકિર્દી બધુ જ  છે પણ એવું કોઇ છે નહિ કે જેની સાથે હું આ બધું શેર કરી શકું.. મને એવા કોઇ સાથીની તલાશ છે કે જે મને સાચવે મારી કેર કરે,, બસ આ પ્રકારની ઇમોશનલ વાતો તેણે આ યુવતી સાથે કરી તેને ભોળવી.. તે પછી આ યુવતી અને રાકેશ બંને 2 વર્ષ લગ્ન વગર અમદાવાદમાં સાથે રહ્યા.. અને  તે પછી બંને એ લગ્ન કર્યા. લગ્ન બાદ તેમને ત્યાં એક દીકરીનો પણ જન્મ થયો હતો. અમુક સમય વીતતાં આ યુવતી ની આંખો ખૂલી ને તેને ખ્યાલ આવ્યો કે રાકેશ કોઈ વેપારી નહીં, પણ સટ્ટાબાજ છે અને તે સટ્ટામાં લાખો રૂપિયા દાવ પર લગાવે છે.

રાકેશને આ સટ્ટાનો ખેલ બંધ કરાવવા માટે માયા અવારનવાર તેની સાથે ઝઘડતી. તેને સટ્ટો રમવાનું બંધ કરવાનું કહેતી તો રાકેશ ગુસ્સે થઈ જતો અને તેને માર મારતો હતો. એક દિવસ રાજીવ સટ્ટાની અંદર લાખો રૂપિયા હારી ગયો અને હવે તેની પાસે દાવ પર લગાવવા માટે કશું જ વધ્યું ન હતું એટલે તેણે પોતાની પત્નીને દાવ પર લગાવી સટ્ટો રમવાનું ચાલુ રાખ્યું. જ્યારે તેની માથે દેવું થઈ ગયું ત્યારે તેણે યુવતીને કહ્યું, તારે મારું દેવું ભરવા માટે મારા મિત્ર સાથે અથવા તો હું જેની સાથે કહું તેની સાથે સંબંધ રાખવા પડશે અને હું કહું ત્યાં સૂઈ પણ જવું પડશે. યુવતીએ પોતાના પતિની આ અનૈતિક માગ સામે વિરોધ કરવાનો પ્રયાસ કર્યો પણ માયા ના પાડે તો રાકેશ તેની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો એટલે મજબૂરીમાં તેણે પોતાનું શરીર વેચવું પડ્યું અને એ રૂપિયા રાકેશને આપતી હતી. આ રૂપિયા રાકેશ મોજમજા કરવા માટે વાપરતો હતો. યુવતી આ બધામાંથી બહાર નીકળવા માગતી હતી એટલે હવે તેણે રાકેશને સ્પષ્ટપણે ના પાડી દીધી કે હવે તે તેના માટે કોઈ સાથે નહિ સૂવે. રાકેશ આ વાત સાંભળીને ક્રોધે ભરાઈને યુવતીને ઘરમાંથી કાઢી મૂકી હતી અને તેની દીકરીને પોતાની પાસે રાખી લીધી હતી. પોતાના મિત્રની મદદથી માયા અલગ રહેવા લાગી અને સટ્ટાબાજ પતિ પાસેથી પોતાની દીકરી પાછી મેળવવા માટે માયા સતત પ્રયાસ કરતી હતી પણ રાકેશ તેને કોઈપણ સંજોગે દીકરી આપવા તૈયાર નહોતો. આખરે રાકેશના મિત્રો પણ માયાને ધમકી આપવા લાગ્યા અને કહ્યું કે તે પાછી આવી જાય અને રાકેશ જેમ કહે છે તેમ કરે. આ ધમકીઓથી કંટાળીને યુવતીએ પોલીસ સ્ટેશનમાં તેના પતિ અને સાથીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અને પોલીસે પતિની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.. 

પતિ પત્નીના સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય  અને હૈયું હચમચી જાય તેવી આ ઘટના છે અને આ પ્રકારની જ ઘટનાઓ લોકોમાં એક અસુરક્ષાનું, એક અસલામતિનું વાતાવરણ જન્માવે છે.. આ પ્રકારની ઘટનાઓને લીધે એવા શબ્દો સંભળાય કે લ્યો લવ મેરેજ કર્યા એટલે આ પરિણામ આવ્યું, પણ શું એરેન્જ હોત  તો આ યુવતી સલામત  હોત? એટલે પ્રશ્ન લવ મેરેજ કે એરેન્જ મેરેજ નથી પણ માણસના મૂલ્યોનો છે.. પણ અત્યારના સમયમાં મૂલ્યો એટલા મહત્વના નથી રહ્યા .. અત્યારે લાગણી મહત્વની નથી, પ્રેમ કે સન્માન મહત્વનું નથી.. અતયારે બોલબાલા છે ફક્ત જૂઠની, સ્વાર્થની, મોહની, વાસનાની.. અત્યારના લોકો અંધ છે.. કલ્પના પણ ન કરી હોય એવા કૃત્યો લોકો આચરતા થઇ ગયા છે.. અને હવે સૌ કોઇ એક  જ વાત વિચારે છે.. કે આવનારો સમય કેવા કેવા દિવસો બતાવશે..



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.