Hyundai IPO: ભારતની બીજી સૌથી મોટી કાર કંપની લાવશે આઈપીઓ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-05 19:03:46

દક્ષિણ કોરિયાની કંપની હ્યુન્ડેઈ મોટર્સની ભારતીય પેટા કંપની Hyundai Motor India ચાલુ વર્ષે નવેમ્બરમાં તેનો IPO લોન્ચ કરી શકે છે. જોકે, કંપનીએ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપી નથી. હ્યુન્ડેઈ મોટર ઈન્ડિયાની શરૂઆત 6 મે 1996ના રોજ થઈ હતી. કંપનીની શરૂઆત થઈ તેના 28 વર્ષ બાદ તે શેરબજારમાં લિસ્ટિંગ કરાવશે. કંપની IPO દ્વારા 3 અબજ ડોલર (ઓછામાં ઓછા 25 હજાર કરોડ રૂપિયા) એકઠા કરવાની યોજના બનાવી રહી છે. કંપની  3.3-5.6 અબજ ડોલરની મૂડી એકત્રિત કરવા માટે પોતાનો 15-20 ટકા હિસ્સો વેચી શકે છે. 


ઈન્વેસ્ટમેન્ટ બેંકોમાં હોડ    


દેશની બીજા ક્રમની કાર કંપની હ્યુન્ડેઈ મોટર ઈન્ડિયાના આઈપીઓ માટે ટોચની ઈન્વેસ્ટમેન્ટ બેંકોમાં હોડ મચી છે. વિશ્વની ટોપ ઈન્વેસ્ટમેન્ટ બેંકો હ્યુન્ડેઈ મોટર ઈન્ડિયાના IPOનું કામકાજ મેળવવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરી રહી છે. ગોલ્ડમેન સૅશ, સિટી, મોર્ગન સ્ટેનલી, જેપીમોર્ગન, બેંક ઓફ અમેરિકા, HSBC, ડોઈશ બેંક અને UBSના પ્રતિનિધિઓએ ગયા સપ્તાહે દક્ષિણ કોરિયામાં હ્યુન્ડેઈ સમક્ષ રજૂઆત કરી હતી.


કંપનીનું મૂલ્ય  22-28 બિલિયન ડોલર 


બેન્કર્સ  હ્યુન્ડેઈ મોટર ઈન્ડિયા કંપનીનું મૂલ્ય  22-28 બિલિયન ડોલર આંકે છે, જેનું સંભવિત માર્કેટ કેપ 1.82-2.32 લાખ કરોડ રૂપિયા છે. મીડિયા રિપોર્ટ મુજબ  હ્યુન્ડાઇ 27,390 કરોડથી 46,480 કરોડ રૂપિયા એકત્ર કરવાના લક્ષ્ય સાથે 15-20 ટકાના ડાયલ્યુટ કરવાની સંભાવના તપાસી રહી છે. જો હ્યુન્ડાઈ માર્કેટમાં લિસ્ટ થાય છે તો હ્યુન્ડાઈનું વેલ્યુએશન 2.32 લાખ કરોડ રૂપિયા થઈ જશે.


LIC બાદ સૌથી મોટો  IPO


આ પહેલા LICનો IPO 21,000 કરોડ રૂપિયાનો આવ્યો હતો. જે અત્યાર સુધીનો સૌથી મોટો IPO છે. જો હ્યુન્ડાઈનો આઈપીઓ આવે છે, તો તે એલઆઈસી કરતા બમણાથી વધારે હશે. જો વેલ્યુએશનની વાત કરીએ તો હાલ મારુતિ સુઝુકી દેશની સૌથી મોટી ઓટો કંપની છે, જેનું વેલ્યુએશન 3,32,909.88 કરોડ રૂપિયા છે. ટાટા મોટર્સનું વેલ્યુએશન 3,12,497.16 કરોડ રૂપિયા છે. જો હ્યુન્ડાઈ માર્કેટમાં લિસ્ટ થાય છે તો હ્યુન્ડાઈનું વેલ્યુએશન 2.32 લાખ કરોડ રૂપિયા થઈ જશે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું વેલ્યુએશન 2.12 લાખ કરોડ રૂપિયાથી વધારે છે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.