Hyundai IPO: ભારતની બીજી સૌથી મોટી કાર કંપની લાવશે આઈપીઓ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-05 19:03:46

દક્ષિણ કોરિયાની કંપની હ્યુન્ડેઈ મોટર્સની ભારતીય પેટા કંપની Hyundai Motor India ચાલુ વર્ષે નવેમ્બરમાં તેનો IPO લોન્ચ કરી શકે છે. જોકે, કંપનીએ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપી નથી. હ્યુન્ડેઈ મોટર ઈન્ડિયાની શરૂઆત 6 મે 1996ના રોજ થઈ હતી. કંપનીની શરૂઆત થઈ તેના 28 વર્ષ બાદ તે શેરબજારમાં લિસ્ટિંગ કરાવશે. કંપની IPO દ્વારા 3 અબજ ડોલર (ઓછામાં ઓછા 25 હજાર કરોડ રૂપિયા) એકઠા કરવાની યોજના બનાવી રહી છે. કંપની  3.3-5.6 અબજ ડોલરની મૂડી એકત્રિત કરવા માટે પોતાનો 15-20 ટકા હિસ્સો વેચી શકે છે. 


ઈન્વેસ્ટમેન્ટ બેંકોમાં હોડ    


દેશની બીજા ક્રમની કાર કંપની હ્યુન્ડેઈ મોટર ઈન્ડિયાના આઈપીઓ માટે ટોચની ઈન્વેસ્ટમેન્ટ બેંકોમાં હોડ મચી છે. વિશ્વની ટોપ ઈન્વેસ્ટમેન્ટ બેંકો હ્યુન્ડેઈ મોટર ઈન્ડિયાના IPOનું કામકાજ મેળવવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરી રહી છે. ગોલ્ડમેન સૅશ, સિટી, મોર્ગન સ્ટેનલી, જેપીમોર્ગન, બેંક ઓફ અમેરિકા, HSBC, ડોઈશ બેંક અને UBSના પ્રતિનિધિઓએ ગયા સપ્તાહે દક્ષિણ કોરિયામાં હ્યુન્ડેઈ સમક્ષ રજૂઆત કરી હતી.


કંપનીનું મૂલ્ય  22-28 બિલિયન ડોલર 


બેન્કર્સ  હ્યુન્ડેઈ મોટર ઈન્ડિયા કંપનીનું મૂલ્ય  22-28 બિલિયન ડોલર આંકે છે, જેનું સંભવિત માર્કેટ કેપ 1.82-2.32 લાખ કરોડ રૂપિયા છે. મીડિયા રિપોર્ટ મુજબ  હ્યુન્ડાઇ 27,390 કરોડથી 46,480 કરોડ રૂપિયા એકત્ર કરવાના લક્ષ્ય સાથે 15-20 ટકાના ડાયલ્યુટ કરવાની સંભાવના તપાસી રહી છે. જો હ્યુન્ડાઈ માર્કેટમાં લિસ્ટ થાય છે તો હ્યુન્ડાઈનું વેલ્યુએશન 2.32 લાખ કરોડ રૂપિયા થઈ જશે.


LIC બાદ સૌથી મોટો  IPO


આ પહેલા LICનો IPO 21,000 કરોડ રૂપિયાનો આવ્યો હતો. જે અત્યાર સુધીનો સૌથી મોટો IPO છે. જો હ્યુન્ડાઈનો આઈપીઓ આવે છે, તો તે એલઆઈસી કરતા બમણાથી વધારે હશે. જો વેલ્યુએશનની વાત કરીએ તો હાલ મારુતિ સુઝુકી દેશની સૌથી મોટી ઓટો કંપની છે, જેનું વેલ્યુએશન 3,32,909.88 કરોડ રૂપિયા છે. ટાટા મોટર્સનું વેલ્યુએશન 3,12,497.16 કરોડ રૂપિયા છે. જો હ્યુન્ડાઈ માર્કેટમાં લિસ્ટ થાય છે તો હ્યુન્ડાઈનું વેલ્યુએશન 2.32 લાખ કરોડ રૂપિયા થઈ જશે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું વેલ્યુએશન 2.12 લાખ કરોડ રૂપિયાથી વધારે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.