મતદારોને જાગૃત કરવા ગુજરાતમાં ચાલી રહ્યું છે "હું મતદાર છું' અવેરનેસ પ્રોગ્રામ


  • Published By :
  • Published Date : 2022-11-13 15:22:56

ગુજરાતમાં પહેલી અને પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. મતદારોમાં મતદાનને લઈ જાગૃતિ આવે તે માટે અનેક પ્રયાસ કરવામાં આવે છે. આ વખતે વધુ મતદારો પોતાના અધિકારનો ઉપયોગ કરે તે માટે સેલ્ફી બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરી યુવા મતદારોને આકર્ષવા અમદાવાદ જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 52 જેટલા સેલ્ફી પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. 

યુવા મતદારોને આકર્ષવાની સાથે જાગુત્તિ ફેલાવવા માટે અમદાવાદ જિલ્લામાં 49  સ્થળો પર સેલ્ફી બુથ મૂકાયાં | Selfie booths have been set up at 49  locations in Ahmedabad ...

વોટિંગ અવેરનેસ કેમ્પઈન દ્વારા મતદારોને કરાશે જાગૃત

ચૂંટણીને લોકશાહીનું મહાપર્વ ગણવામાં આવે છે. મતાધિકારોનો ઉપયોગ વધુમાં વધુ મતદારો કરે તે માટે આગામી સપ્તાહમાં મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. અમદાવાદ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ગુજરાત યુનિવર્સિટી વોટિંગ અવેરનેસ કેમ્પઈન ચલાવવામાં આવશે. આ મતદાનમાં યુવાનો પણ ઉત્સાહ સાથે ભાગ લે તે માટે સેલ્ફીનો સહારો લેવવામાં આવી રહ્યો છે. 52 જેટલા બુથ પર સેલ્ફી પોઈન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાનને લઈ આપણે ત્યાં જોઈએ એટલી જાગૃતતા નથી. આપણે આપણા મતની કિંમત નથી જાણતા. અનેક લોકો એવું માને છે કે મારા વોટથી કંઈ ફરક નથી પડવાનો પરંતુ મતદાનમાં એક વોટની પણ કિંમત હોય છે. 

યુવા મતદારોને આકર્ષવાની સાથે જાગુત્તિ ફેલાવવા માટે અમદાવાદ જિલ્લામાં 49  સ્થળો પર સેલ્ફી બુથ મૂકાયાં | Selfie booths have been set up at 49  locations in Ahmedabad ...

મતદારોમાં મતદાન દિવસને માત્ર રજાની જેમ ન લે તે માટે મતદારોને જાગૃત કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી મતદારોની જાગૃતિ માટે નાટક પણ યુવાઓ દ્વારા ભજવવામાં આવશે. ત્યારે સેલ્ફી પોઈન્ટને કારણે યુવાઓ મતદાન માટે આકર્ષાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કારણ કે આ પર્વ પાંચ વર્ષ બાદ આવે છે.                 




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.