મતદારોને જાગૃત કરવા ગુજરાતમાં ચાલી રહ્યું છે "હું મતદાર છું' અવેરનેસ પ્રોગ્રામ


  • Published By :
  • Published Date : 2022-11-13 15:22:56

ગુજરાતમાં પહેલી અને પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. મતદારોમાં મતદાનને લઈ જાગૃતિ આવે તે માટે અનેક પ્રયાસ કરવામાં આવે છે. આ વખતે વધુ મતદારો પોતાના અધિકારનો ઉપયોગ કરે તે માટે સેલ્ફી બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરી યુવા મતદારોને આકર્ષવા અમદાવાદ જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 52 જેટલા સેલ્ફી પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. 

યુવા મતદારોને આકર્ષવાની સાથે જાગુત્તિ ફેલાવવા માટે અમદાવાદ જિલ્લામાં 49  સ્થળો પર સેલ્ફી બુથ મૂકાયાં | Selfie booths have been set up at 49  locations in Ahmedabad ...

વોટિંગ અવેરનેસ કેમ્પઈન દ્વારા મતદારોને કરાશે જાગૃત

ચૂંટણીને લોકશાહીનું મહાપર્વ ગણવામાં આવે છે. મતાધિકારોનો ઉપયોગ વધુમાં વધુ મતદારો કરે તે માટે આગામી સપ્તાહમાં મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. અમદાવાદ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ગુજરાત યુનિવર્સિટી વોટિંગ અવેરનેસ કેમ્પઈન ચલાવવામાં આવશે. આ મતદાનમાં યુવાનો પણ ઉત્સાહ સાથે ભાગ લે તે માટે સેલ્ફીનો સહારો લેવવામાં આવી રહ્યો છે. 52 જેટલા બુથ પર સેલ્ફી પોઈન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાનને લઈ આપણે ત્યાં જોઈએ એટલી જાગૃતતા નથી. આપણે આપણા મતની કિંમત નથી જાણતા. અનેક લોકો એવું માને છે કે મારા વોટથી કંઈ ફરક નથી પડવાનો પરંતુ મતદાનમાં એક વોટની પણ કિંમત હોય છે. 

યુવા મતદારોને આકર્ષવાની સાથે જાગુત્તિ ફેલાવવા માટે અમદાવાદ જિલ્લામાં 49  સ્થળો પર સેલ્ફી બુથ મૂકાયાં | Selfie booths have been set up at 49  locations in Ahmedabad ...

મતદારોમાં મતદાન દિવસને માત્ર રજાની જેમ ન લે તે માટે મતદારોને જાગૃત કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી મતદારોની જાગૃતિ માટે નાટક પણ યુવાઓ દ્વારા ભજવવામાં આવશે. ત્યારે સેલ્ફી પોઈન્ટને કારણે યુવાઓ મતદાન માટે આકર્ષાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કારણ કે આ પર્વ પાંચ વર્ષ બાદ આવે છે.                 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.