મતદારોને જાગૃત કરવા ગુજરાતમાં ચાલી રહ્યું છે "હું મતદાર છું' અવેરનેસ પ્રોગ્રામ


  • Published By :
  • Published Date : 2022-11-13 15:22:56

ગુજરાતમાં પહેલી અને પાંચમી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. મતદારોમાં મતદાનને લઈ જાગૃતિ આવે તે માટે અનેક પ્રયાસ કરવામાં આવે છે. આ વખતે વધુ મતદારો પોતાના અધિકારનો ઉપયોગ કરે તે માટે સેલ્ફી બૂથની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરી યુવા મતદારોને આકર્ષવા અમદાવાદ જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 52 જેટલા સેલ્ફી પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે. 

યુવા મતદારોને આકર્ષવાની સાથે જાગુત્તિ ફેલાવવા માટે અમદાવાદ જિલ્લામાં 49  સ્થળો પર સેલ્ફી બુથ મૂકાયાં | Selfie booths have been set up at 49  locations in Ahmedabad ...

વોટિંગ અવેરનેસ કેમ્પઈન દ્વારા મતદારોને કરાશે જાગૃત

ચૂંટણીને લોકશાહીનું મહાપર્વ ગણવામાં આવે છે. મતાધિકારોનો ઉપયોગ વધુમાં વધુ મતદારો કરે તે માટે આગામી સપ્તાહમાં મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. અમદાવાદ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ગુજરાત યુનિવર્સિટી વોટિંગ અવેરનેસ કેમ્પઈન ચલાવવામાં આવશે. આ મતદાનમાં યુવાનો પણ ઉત્સાહ સાથે ભાગ લે તે માટે સેલ્ફીનો સહારો લેવવામાં આવી રહ્યો છે. 52 જેટલા બુથ પર સેલ્ફી પોઈન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. મતદાનને લઈ આપણે ત્યાં જોઈએ એટલી જાગૃતતા નથી. આપણે આપણા મતની કિંમત નથી જાણતા. અનેક લોકો એવું માને છે કે મારા વોટથી કંઈ ફરક નથી પડવાનો પરંતુ મતદાનમાં એક વોટની પણ કિંમત હોય છે. 

યુવા મતદારોને આકર્ષવાની સાથે જાગુત્તિ ફેલાવવા માટે અમદાવાદ જિલ્લામાં 49  સ્થળો પર સેલ્ફી બુથ મૂકાયાં | Selfie booths have been set up at 49  locations in Ahmedabad ...

મતદારોમાં મતદાન દિવસને માત્ર રજાની જેમ ન લે તે માટે મતદારોને જાગૃત કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થી મતદારોની જાગૃતિ માટે નાટક પણ યુવાઓ દ્વારા ભજવવામાં આવશે. ત્યારે સેલ્ફી પોઈન્ટને કારણે યુવાઓ મતદાન માટે આકર્ષાય તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કારણ કે આ પર્વ પાંચ વર્ષ બાદ આવે છે.                 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.