'7 દિવસમાં જ દેશમાં લાગુ થઈ જશે CAA,ગેરંટી આપી રહ્યો છું...' કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરનો મોટો દાવો


  • Published By :
  • Published Date : 2024-01-29 15:58:54

કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે નાગરિક સુધારા કાયદા  (citizenship amendment act)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. પશ્ચિમ બંગાળમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે આગામી 7 દિવસમાં CAA સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. શાંતનુ ઠાકુર દક્ષિણ 24 પરગણાના કાકદ્વીપમાં એક જાહેરસભાને સંબોધી રહ્યા હતા. તેમણે મંચ પરથી આ અંગે ગેરંટી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હું મંચ પરથી ગેરંટી આપું છું કે માત્ર બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં CAA એક સપ્તાહની અંદર લાગુ થઈ જશે.


શાંતનુ ઠાકુરે શું કહ્યું?


કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે પશ્ચિમ બંગાળમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે આ રાજ્યના મુખ્યમંત્રી કહે છે, જો તમારી પાસે મતદાર કાર્ડ છે, જો તમારી પાસે આધાર છે, તો તમે નાગરિક છો. તમે મત આપી શકો છો. તમે મતદાન કરનાર નાગરિક છો, પરંતુ અહીં મેં સાંભળ્યું છે કે હજારો લોકોને મતાધિકારથી વંચિત કરવામાં આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે જે લોકોને વોટના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે તે તમામ મતુઆ સમુદાયના છે. આ તમામ ભાજપના સમર્થક છે, તેથી તેમને વોટર કાર્ડ આપવામાં આવ્યા નથી.


ગૃહમંત્રી અમિત શાહે પણ આપ્યું હતું નિવેદન


કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ ડિસેમ્બરમાં  CAAને લઈને એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે  CAAને લઈને લોકોને ગુમરાહ કરવામાં આવે છે. કાયદાને લાગુ કરવામાં આવશે કે નહી,  આ મુદ્દે હું સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે તેને લાગુ કરવાથી કોઈ રોકી શકશે નહીં. અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. 


વર્ષ 2019માં સંસદમાં પાસ થયો હતો કાયદો


ઉલ્લેખનિય છે કે ડિસેમ્બર 2019ના રોજ સંસદમાંથી  CAA બિલ કપસાર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સમગ્ર દેશમાં તેને લઈને અનેક સ્થાનો પર પ્રદર્શન થયા હતા. આ કાયદા મુજબ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી 31 ડિસેમ્બર 2014 સુધી ભારત આવેલા પ્રતાડિત ગેર મુસ્લિમો (હિંદુ, શિખ, જૈન, બૌદ્ધ, પારસી, અને ઈસાઈ)ને ભારતની નાગરિક્તા આપવામાં આવશે. જો કે અનેક રાજ્યોએ  CAA વિરૂધ્ધ કાનુન બનાવ્યો છે, તેમાં પશ્ચિમ બંગાળનો પણ સમાવેશ થાય છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે