'7 દિવસમાં જ દેશમાં લાગુ થઈ જશે CAA,ગેરંટી આપી રહ્યો છું...' કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરનો મોટો દાવો


  • Published By :
  • Published Date : 2024-01-29 15:58:54

કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે નાગરિક સુધારા કાયદા  (citizenship amendment act)ને લઈને મોટું નિવેદન આપ્યું છે. પશ્ચિમ બંગાળમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે આગામી 7 દિવસમાં CAA સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. શાંતનુ ઠાકુર દક્ષિણ 24 પરગણાના કાકદ્વીપમાં એક જાહેરસભાને સંબોધી રહ્યા હતા. તેમણે મંચ પરથી આ અંગે ગેરંટી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હું મંચ પરથી ગેરંટી આપું છું કે માત્ર બંગાળમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં CAA એક સપ્તાહની અંદર લાગુ થઈ જશે.


શાંતનુ ઠાકુરે શું કહ્યું?


કેન્દ્રીય મંત્રી શાંતનુ ઠાકુરે પશ્ચિમ બંગાળમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે આ રાજ્યના મુખ્યમંત્રી કહે છે, જો તમારી પાસે મતદાર કાર્ડ છે, જો તમારી પાસે આધાર છે, તો તમે નાગરિક છો. તમે મત આપી શકો છો. તમે મતદાન કરનાર નાગરિક છો, પરંતુ અહીં મેં સાંભળ્યું છે કે હજારો લોકોને મતાધિકારથી વંચિત કરવામાં આવ્યા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે જે લોકોને વોટના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે તે તમામ મતુઆ સમુદાયના છે. આ તમામ ભાજપના સમર્થક છે, તેથી તેમને વોટર કાર્ડ આપવામાં આવ્યા નથી.


ગૃહમંત્રી અમિત શાહે પણ આપ્યું હતું નિવેદન


કેન્દ્રીય મંત્રી અમિત શાહે પણ ડિસેમ્બરમાં  CAAને લઈને એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે  CAAને લઈને લોકોને ગુમરાહ કરવામાં આવે છે. કાયદાને લાગુ કરવામાં આવશે કે નહી,  આ મુદ્દે હું સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે તેને લાગુ કરવાથી કોઈ રોકી શકશે નહીં. અમિત શાહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. 


વર્ષ 2019માં સંસદમાં પાસ થયો હતો કાયદો


ઉલ્લેખનિય છે કે ડિસેમ્બર 2019ના રોજ સંસદમાંથી  CAA બિલ કપસાર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સમગ્ર દેશમાં તેને લઈને અનેક સ્થાનો પર પ્રદર્શન થયા હતા. આ કાયદા મુજબ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી 31 ડિસેમ્બર 2014 સુધી ભારત આવેલા પ્રતાડિત ગેર મુસ્લિમો (હિંદુ, શિખ, જૈન, બૌદ્ધ, પારસી, અને ઈસાઈ)ને ભારતની નાગરિક્તા આપવામાં આવશે. જો કે અનેક રાજ્યોએ  CAA વિરૂધ્ધ કાનુન બનાવ્યો છે, તેમાં પશ્ચિમ બંગાળનો પણ સમાવેશ થાય છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.