ભડકેલી હિંસા વચ્ચે I.N.D.I.Aના સાંસદો પહોંચ્યા મણિપુર, રાહત શિબિરોની લીધી મુલાકાત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-29 15:18:32

મહિનાઓ વિત્યા છતાંય મણિપુરમાં ભડકેલી હિંસા શાંત નથી થઈ. દિવસેને દિવસે હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે, ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. ત્યારે થોડા સમય પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં બે મહિલાઓને નગ્ન કરી તેમની પરેડ નીકાળવામાં આવી હતી અને તેમની પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટના ઘણી જૂની હતી પરંતુ ઈન્ટરનેટ સેવા બંધ હોવાને કારણે આ સમાચાર મણિપુર સુધી સિમીત રહી હતી. પરંતુ ઈન્ટરનેટ સેવા શરૂ થતાં વીડિયો વાયરલ થયો. લોકોમાં વીડિયોને જોઈ ભારે રોષ હતો અને તે લોકો અધર્મી લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની માગ હતી. આ મામલે અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે ત્યારે હવે આ મામલાની તપાસ પોલીસ નહીં પરંતુ સીબીઆઈ દ્વારા કરવામાં આવશે. 

INDIA  ગઠબંધનના સાંસદો પહોંચ્યા મણિપુર

હાલ સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં જ્યારે જ્યારે પણ મણિપુરનો મુદ્દો ઉઠ્યો છે ત્યારે ત્યારે ભારે હોબાળો થયો છે, જેને કારણે અનેક વખત સંસદની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે. ત્યારે થોડા સમય પહેલા મણિપુરની મુલાકાત રાહુલ ગાંધીએ લીધી હતી. રાહતશિબિરોમાં રહેતા લોકો સાથે તેમણે વાતચીત કરી હતી. તેમની આપવીતિ જાણી હતી. ત્યારે INDIA  ગઠબંધનના 21 જેટલા સાંસદો બે દિવસ માટે મણિપુરની મુલાકાતે પહોંચ્યા છે. 21 સાંસદોનું એક પ્રતિનિધિમંડળ મણિપુર પહોંચ્યું છે અને ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાનું છે. 

પીએમ મોદી મણિપુર મુદ્દે નિવેદન આપે તેવી વિપક્ષી નેતાઓની માગ

મહત્વનું છે કે જ્યારે જ્યારે કેન્દ્રીય નેતાઓને મણિપુર વિશે પૂછવામાં આવે છે ત્યારે ત્યારે તેઓ છત્તીસગઢ, રાજસ્થાન પર પ્રશ્ન પૂછે છે. સંસદમાં સત્રની શરૂઆત થાય તે પહેલા પીએમ મોદીએ મણિપુરથી સામે આવેલા મહિલાના વીડિયો વિશે પોતાનું નિવેદન આપ્યું હતું, તે દરમિયાન પણ તેમણે બીજા રાજ્યોનો ઉલ્લેખ કર્યો હતો. તે સિવાય કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની પણ સંસદમાં મણિપુર વિશે ઓછું અને રાજસ્થાન, છત્તીસગઢની વાતો વધારે કરી હતી. શું નેતાઓ રાજ્ય સરકાર કોની છે તેનાથી પર થઈ ક્યારે વિચારશે? પીએમ મોદી મણિપુર મામલે કોઈ એક્શન લે તેમજ કોઈ નિવેદન આપે તેવી રાજકીય પાર્ટીઓની માગ છે.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.