ભડકેલી હિંસા વચ્ચે I.N.D.I.Aના સાંસદો પહોંચ્યા મણિપુર, રાહત શિબિરોની લીધી મુલાકાત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-29 15:18:32

મહિનાઓ વિત્યા છતાંય મણિપુરમાં ભડકેલી હિંસા શાંત નથી થઈ. દિવસેને દિવસે હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે, ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. ત્યારે થોડા સમય પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં બે મહિલાઓને નગ્ન કરી તેમની પરેડ નીકાળવામાં આવી હતી અને તેમની પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટના ઘણી જૂની હતી પરંતુ ઈન્ટરનેટ સેવા બંધ હોવાને કારણે આ સમાચાર મણિપુર સુધી સિમીત રહી હતી. પરંતુ ઈન્ટરનેટ સેવા શરૂ થતાં વીડિયો વાયરલ થયો. લોકોમાં વીડિયોને જોઈ ભારે રોષ હતો અને તે લોકો અધર્મી લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની માગ હતી. આ મામલે અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે ત્યારે હવે આ મામલાની તપાસ પોલીસ નહીં પરંતુ સીબીઆઈ દ્વારા કરવામાં આવશે. 

INDIA  ગઠબંધનના સાંસદો પહોંચ્યા મણિપુર

હાલ સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં જ્યારે જ્યારે પણ મણિપુરનો મુદ્દો ઉઠ્યો છે ત્યારે ત્યારે ભારે હોબાળો થયો છે, જેને કારણે અનેક વખત સંસદની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે. ત્યારે થોડા સમય પહેલા મણિપુરની મુલાકાત રાહુલ ગાંધીએ લીધી હતી. રાહતશિબિરોમાં રહેતા લોકો સાથે તેમણે વાતચીત કરી હતી. તેમની આપવીતિ જાણી હતી. ત્યારે INDIA  ગઠબંધનના 21 જેટલા સાંસદો બે દિવસ માટે મણિપુરની મુલાકાતે પહોંચ્યા છે. 21 સાંસદોનું એક પ્રતિનિધિમંડળ મણિપુર પહોંચ્યું છે અને ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાનું છે. 

પીએમ મોદી મણિપુર મુદ્દે નિવેદન આપે તેવી વિપક્ષી નેતાઓની માગ

મહત્વનું છે કે જ્યારે જ્યારે કેન્દ્રીય નેતાઓને મણિપુર વિશે પૂછવામાં આવે છે ત્યારે ત્યારે તેઓ છત્તીસગઢ, રાજસ્થાન પર પ્રશ્ન પૂછે છે. સંસદમાં સત્રની શરૂઆત થાય તે પહેલા પીએમ મોદીએ મણિપુરથી સામે આવેલા મહિલાના વીડિયો વિશે પોતાનું નિવેદન આપ્યું હતું, તે દરમિયાન પણ તેમણે બીજા રાજ્યોનો ઉલ્લેખ કર્યો હતો. તે સિવાય કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની પણ સંસદમાં મણિપુર વિશે ઓછું અને રાજસ્થાન, છત્તીસગઢની વાતો વધારે કરી હતી. શું નેતાઓ રાજ્ય સરકાર કોની છે તેનાથી પર થઈ ક્યારે વિચારશે? પીએમ મોદી મણિપુર મામલે કોઈ એક્શન લે તેમજ કોઈ નિવેદન આપે તેવી રાજકીય પાર્ટીઓની માગ છે.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.