ભડકેલી હિંસા વચ્ચે I.N.D.I.Aના સાંસદો પહોંચ્યા મણિપુર, રાહત શિબિરોની લીધી મુલાકાત, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-29 15:18:32

મહિનાઓ વિત્યા છતાંય મણિપુરમાં ભડકેલી હિંસા શાંત નથી થઈ. દિવસેને દિવસે હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે, ઘટનામાં અનેક લોકોના મોત થયા છે. ત્યારે થોડા સમય પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં બે મહિલાઓને નગ્ન કરી તેમની પરેડ નીકાળવામાં આવી હતી અને તેમની પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટના ઘણી જૂની હતી પરંતુ ઈન્ટરનેટ સેવા બંધ હોવાને કારણે આ સમાચાર મણિપુર સુધી સિમીત રહી હતી. પરંતુ ઈન્ટરનેટ સેવા શરૂ થતાં વીડિયો વાયરલ થયો. લોકોમાં વીડિયોને જોઈ ભારે રોષ હતો અને તે લોકો અધર્મી લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી તેમની માગ હતી. આ મામલે અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે ત્યારે હવે આ મામલાની તપાસ પોલીસ નહીં પરંતુ સીબીઆઈ દ્વારા કરવામાં આવશે. 

INDIA  ગઠબંધનના સાંસદો પહોંચ્યા મણિપુર

હાલ સંસદમાં ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સંસદમાં જ્યારે જ્યારે પણ મણિપુરનો મુદ્દો ઉઠ્યો છે ત્યારે ત્યારે ભારે હોબાળો થયો છે, જેને કારણે અનેક વખત સંસદની કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે. ત્યારે થોડા સમય પહેલા મણિપુરની મુલાકાત રાહુલ ગાંધીએ લીધી હતી. રાહતશિબિરોમાં રહેતા લોકો સાથે તેમણે વાતચીત કરી હતી. તેમની આપવીતિ જાણી હતી. ત્યારે INDIA  ગઠબંધનના 21 જેટલા સાંસદો બે દિવસ માટે મણિપુરની મુલાકાતે પહોંચ્યા છે. 21 સાંસદોનું એક પ્રતિનિધિમંડળ મણિપુર પહોંચ્યું છે અને ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાનું છે. 

પીએમ મોદી મણિપુર મુદ્દે નિવેદન આપે તેવી વિપક્ષી નેતાઓની માગ

મહત્વનું છે કે જ્યારે જ્યારે કેન્દ્રીય નેતાઓને મણિપુર વિશે પૂછવામાં આવે છે ત્યારે ત્યારે તેઓ છત્તીસગઢ, રાજસ્થાન પર પ્રશ્ન પૂછે છે. સંસદમાં સત્રની શરૂઆત થાય તે પહેલા પીએમ મોદીએ મણિપુરથી સામે આવેલા મહિલાના વીડિયો વિશે પોતાનું નિવેદન આપ્યું હતું, તે દરમિયાન પણ તેમણે બીજા રાજ્યોનો ઉલ્લેખ કર્યો હતો. તે સિવાય કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની પણ સંસદમાં મણિપુર વિશે ઓછું અને રાજસ્થાન, છત્તીસગઢની વાતો વધારે કરી હતી. શું નેતાઓ રાજ્ય સરકાર કોની છે તેનાથી પર થઈ ક્યારે વિચારશે? પીએમ મોદી મણિપુર મામલે કોઈ એક્શન લે તેમજ કોઈ નિવેદન આપે તેવી રાજકીય પાર્ટીઓની માગ છે.    



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .