I.N.D.I.A. એલાયન્સનું કન્વિનર પદ નીતિશ કુમારે ઠુકરાવ્યું, મલ્લિકાર્જુન ખડગે બન્યા અધ્યક્ષ


  • Published By :
  • Published Date : 2024-01-13 16:14:25

લોકસભા ચૂંટણીને લઈને વિપક્ષોના બનેલા ઈન્ડિયા ગઠબંધને તેમના અધ્યક્ષ પસંદ કરી લીધા છે. ઈન્ડિયા ગ્રૂપની વર્ચ્યુઅલ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નામ પર સંમતી બની છે. હવે એ નક્કી થઈ ગયું છે કે ઈન્ડિયા બ્લોકની કમાન હવે દલિત નેતા મલ્લિકાર્જુન ખરગેના હાથમાં રહેશે. વિપક્ષોની બેઠકમાં સીટોની વહેંચણી  પહેલા અધ્યક્ષના નામ પર સંમતી બની ગઈ છે. જો કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ઈન્ડિયા એલાયન્સના કન્વિનર બનવાની ચર્ચા હતી, જો કે નીતીશ કુમારે કન્વિનર પદ સ્વિકારવાનો ઈન્કાર કરી દીધો છે. નીતીશે કહ્યું કે તેમને પદની કોઈ લાલસા નથી. 


વર્ચ્યુઅલ મીટિંગમાં આ નેતાઓ જોડાયા


લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે લડવા માટે રચાયેલા 28 પક્ષોના ગઠબંધનની એક મહત્વપૂર્ણ બેઠક શનિવારે યોજાઈ હતી. આ વર્ચ્યુઅલ મીટિંગમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, એનસીપી ચીફ શરદ પવાર, બિહારના સીએમ નીતિશ કુમાર, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી)ના નેતા સીતારામ યેચુરી, તમિલનાડુના સીએમ અને ડીએમકે ચીફ સ્ટાલિન સહિત 14 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. થયું. પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી, સપાના નેતા અખિલેશ યાદવ અને શિવસેના (ઉદ્ધવ જૂથ)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે બેઠકમાં હાજર રહ્યા ન હતા.


નીતીશ કુમારે શું કહ્યું?


મીડિયા રિપોર્ટ મુજબ ગહન વિચાર-વિમર્સ બાદ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને વિપક્ષી જુથ ઈન્ડિયાના અધ્યક્ષ બનાવ્યા છે. બિહારના મુખ્યમંત્રી આ ટોચના પદ માટે મોટા દાવેદાર હતા. જો કે આ બેઠકમાં નીતીશ કુમારે કહ્યું  કે કોંગ્રેસમાંથી કોઈકે કમાન સંભાળવી પડશે. તેમણે કહ્યું કે મારી કોઈ પદમાં દિલચસ્પી નથી. આ ગઠબંધનને વાસ્તવિકપણે વિસ્તારવું જરૂરી છે. ગઠબંધનનમાં સામેલ રાજકીય પક્ષોને અકજુથ રાખવા પડશે. રાજનૈતિક વિશ્લેષકોનું માનનું છે કે ચેરપર્સન ચૂંટવા તે ઈન્ડિયા બ્લોકની સામે આવેલા અનેક પડકારોનું માત્ર એક પગલું છે. તેમણે હજું સીટોની વહેંચણી સહિતના મહત્વના મુદ્દાઓથી નિપટવાનું છે.  


ખડગેની જવાબદારી વધી 


ઈન્ડિયા ગઠબંધનના અધ્યક્ષ તરીકે પસંદગી પામેલા મલ્લિકાર્જુન ખડગે પર મોટી જવાબદારી આવી ગઈ છે. ઈન્ડિયા એલાયન્સના અધ્યક્ષ તરીકે ખડગેએ હવે એનડીએનો સામનો કરવો પડશે. એવામાં ખડગે સાથે સીટોની વહેચણી મોટો પડકાર બની રહેશે. ખડગે પર હવે કોંગ્રેસ ઉપરાંત ઈન્ડિયા એલાયન્સને એક સાથે રાખીને ચાલવું પડશે.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે