IAS બાદ હવે IPS અધિકારીઓનો વારો, પોલીસ વિભાગમાં થશે સામુહિક બદલીઓ


  • Published By :
  • Published Date : 2023-04-03 20:17:23

રાજ્ય સરકારે તાજેતરમાં 109 IAS અધિકારીઓની બદલી બાદ હવે  IPSની બદલીઓની ઘડીઓ ગણાઈ રહી છે. ગૃહ વિભાગના ટોચના સૂત્રોનું માનીએ તો ગુજરાતમાં વહીવટી તંત્રની બદલીઓ પછી હવે પોલીસ વિભાગમાં મોટી બદલીનો દોર આવી રહ્યો છે. વિધાનસભાનું સત્ર ચાલું હોવાથી સરકારે કેટલાક વહીવટી ફેરફારો રોકી રાખ્યા હતા, પરંતુ હવે સત્ર પૂર્ણ થતાં પહેલાં IAS અને ત્યાર બાદ હવે IPSનો વારો છે. હવે રાજ્ય તેમજ જિલ્લાના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારો કરવામાં આવશે. 


 IPS અધિકારીઓની થશે સામુહિક બદલી


રાજ્યમાં ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ બદલાશે.આ બદલીઓમાં શહેરોના પોલીસ કમિશનરો, રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા તેમજ પોલીસ ભવનના સિનિયર અધિકારીઓનો સમાવેશ થાય છે. પોલીસ ઓફિસરોની બદલીઓનો આંકડો 120ને વટાવી જશે. આ મહિનામાં ગમે તે સમયે સામૂહિક બદલીઓ થવાની સંભાવના છે. રાજ્યના તમામ શહેરોમાં પોલીસ કમિશનરોની પણ બદલીઓ તોળાઈ રહી છે. આ સાથે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓના પ્રમોશન પણ આવી રહ્યાં છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે