IAS બાદ હવે IPS અધિકારીઓનો વારો, પોલીસ વિભાગમાં થશે સામુહિક બદલીઓ


  • Published By :
  • Published Date : 2023-04-03 20:17:23

રાજ્ય સરકારે તાજેતરમાં 109 IAS અધિકારીઓની બદલી બાદ હવે  IPSની બદલીઓની ઘડીઓ ગણાઈ રહી છે. ગૃહ વિભાગના ટોચના સૂત્રોનું માનીએ તો ગુજરાતમાં વહીવટી તંત્રની બદલીઓ પછી હવે પોલીસ વિભાગમાં મોટી બદલીનો દોર આવી રહ્યો છે. વિધાનસભાનું સત્ર ચાલું હોવાથી સરકારે કેટલાક વહીવટી ફેરફારો રોકી રાખ્યા હતા, પરંતુ હવે સત્ર પૂર્ણ થતાં પહેલાં IAS અને ત્યાર બાદ હવે IPSનો વારો છે. હવે રાજ્ય તેમજ જિલ્લાના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારો કરવામાં આવશે. 


 IPS અધિકારીઓની થશે સામુહિક બદલી


રાજ્યમાં ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ બદલાશે.આ બદલીઓમાં શહેરોના પોલીસ કમિશનરો, રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા તેમજ પોલીસ ભવનના સિનિયર અધિકારીઓનો સમાવેશ થાય છે. પોલીસ ઓફિસરોની બદલીઓનો આંકડો 120ને વટાવી જશે. આ મહિનામાં ગમે તે સમયે સામૂહિક બદલીઓ થવાની સંભાવના છે. રાજ્યના તમામ શહેરોમાં પોલીસ કમિશનરોની પણ બદલીઓ તોળાઈ રહી છે. આ સાથે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓના પ્રમોશન પણ આવી રહ્યાં છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.