IAS બાદ હવે IPS અધિકારીઓનો વારો, પોલીસ વિભાગમાં થશે સામુહિક બદલીઓ


  • Published By :
  • Published Date : 2023-04-03 20:17:23

રાજ્ય સરકારે તાજેતરમાં 109 IAS અધિકારીઓની બદલી બાદ હવે  IPSની બદલીઓની ઘડીઓ ગણાઈ રહી છે. ગૃહ વિભાગના ટોચના સૂત્રોનું માનીએ તો ગુજરાતમાં વહીવટી તંત્રની બદલીઓ પછી હવે પોલીસ વિભાગમાં મોટી બદલીનો દોર આવી રહ્યો છે. વિધાનસભાનું સત્ર ચાલું હોવાથી સરકારે કેટલાક વહીવટી ફેરફારો રોકી રાખ્યા હતા, પરંતુ હવે સત્ર પૂર્ણ થતાં પહેલાં IAS અને ત્યાર બાદ હવે IPSનો વારો છે. હવે રાજ્ય તેમજ જિલ્લાના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારો કરવામાં આવશે. 


 IPS અધિકારીઓની થશે સામુહિક બદલી


રાજ્યમાં ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ બદલાશે.આ બદલીઓમાં શહેરોના પોલીસ કમિશનરો, રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા તેમજ પોલીસ ભવનના સિનિયર અધિકારીઓનો સમાવેશ થાય છે. પોલીસ ઓફિસરોની બદલીઓનો આંકડો 120ને વટાવી જશે. આ મહિનામાં ગમે તે સમયે સામૂહિક બદલીઓ થવાની સંભાવના છે. રાજ્યના તમામ શહેરોમાં પોલીસ કમિશનરોની પણ બદલીઓ તોળાઈ રહી છે. આ સાથે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓના પ્રમોશન પણ આવી રહ્યાં છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.