IAS બાદ હવે IPS અધિકારીઓનો વારો, પોલીસ વિભાગમાં થશે સામુહિક બદલીઓ


  • Published By :
  • Published Date : 2023-04-03 20:17:23

રાજ્ય સરકારે તાજેતરમાં 109 IAS અધિકારીઓની બદલી બાદ હવે  IPSની બદલીઓની ઘડીઓ ગણાઈ રહી છે. ગૃહ વિભાગના ટોચના સૂત્રોનું માનીએ તો ગુજરાતમાં વહીવટી તંત્રની બદલીઓ પછી હવે પોલીસ વિભાગમાં મોટી બદલીનો દોર આવી રહ્યો છે. વિધાનસભાનું સત્ર ચાલું હોવાથી સરકારે કેટલાક વહીવટી ફેરફારો રોકી રાખ્યા હતા, પરંતુ હવે સત્ર પૂર્ણ થતાં પહેલાં IAS અને ત્યાર બાદ હવે IPSનો વારો છે. હવે રાજ્ય તેમજ જિલ્લાના પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારો કરવામાં આવશે. 


 IPS અધિકારીઓની થશે સામુહિક બદલી


રાજ્યમાં ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ બદલાશે.આ બદલીઓમાં શહેરોના પોલીસ કમિશનરો, રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા તેમજ પોલીસ ભવનના સિનિયર અધિકારીઓનો સમાવેશ થાય છે. પોલીસ ઓફિસરોની બદલીઓનો આંકડો 120ને વટાવી જશે. આ મહિનામાં ગમે તે સમયે સામૂહિક બદલીઓ થવાની સંભાવના છે. રાજ્યના તમામ શહેરોમાં પોલીસ કમિશનરોની પણ બદલીઓ તોળાઈ રહી છે. આ સાથે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓના પ્રમોશન પણ આવી રહ્યાં છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.