ગુજરાતના IAS અધિકારીઓની બદલી કરાઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 15:59:38

ગુજરાતમાં ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી છે. સરકારે પોલીસ બેડા સહિતના માળખાકીય બેડામાં ફેરફારો કર્યા બાદ IAS અધિકારીઓની પણ બદલી કરવાના આદેશ આપ્યા છે. ગુજરાત સરકારે હાલ 23 IAS અધિકારીની બદલીની જાહેરાત કરી છે. 


આયા બદલી કા મૌસમ

IAS એમ થેન્નારસનને અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશનના ચેરમેન બનાવાયા 

IAS ડૉ. રાહુલ બી ગુપ્તાને જીઆઈડીસીના એમડી અને વાઈસ ચેરમેનનો વધારાની ચાર્જ સોંપાયો

IAS ડી. એસ. ગઢવીને આણંદના કલેક્ટર બનાવાયા 

IAS ધર્મેન્દ્રસિંહ જાડેજાને ડાંગ-આહવાના કલેક્ટર બનાવાયા 

IAS જીટી પંડ્યાને મોરબીના કલેક્ટર બનાવાયા 

IAS બીઆર દવે તાપી-વ્યારાના કલેક્ટર બનાવાયા 

IAS બીકે પંડ્યાને મહીસાગર-લુણાવાડાના કલેક્ટર બનાવાયા 

IAS પ્રવીણા ડી.કે.ને કચ્છ-ભુજના કલેક્ટર બનાવાયા 

IAS યોગેશ નીરગુડેને આદિવિકાસ બોર્ડના ડિરેક્ટર તરીકે બદલી 

IAS રમેશ મેરજા (બ્રિજેશ મેરજાના પિતરાઈ ભાઈ)ને ભાવનગરના કલેક્ટર બનાવાયા

IAS પીઆર જોશી ભરૂચના જિલ્લા વિકાસ અધિકારી બનાવાયા 

IAS બીકે વસાવા સુરતના જિલ્લા વિકાસ અધિકારી બનાવાયા 

IAS એસ. ડી. ધાનાણીને દ્વારકાના જિલ્લા વિકાસ અધિકારી બનાવાયા 

IAS સંદીપ સાંગલે ગાંધીનગર મનપાના કમિશનર બનાવાયા 

IAS એમ.વાય. દક્ષિણીને પંચાયત, ગ્રામ્ય ગૃહ, ગ્રામ્ય વિકાસ વિભાગના એડિશનલ સેક્રેટરી બનાવાયા 

IAS હરીભાઈ વઢવાણિયાને એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સીના ડિરેક્ટર બનાવ્યા

IAS ડૉ. મનીષ કુમારને ગુજરાત લિવલીહૂડ પ્રોમોશન કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બનાવ્યા 

IAS જેબી પટેલને યુવા અને સંસ્કૃતિ એક્ટિવિટીના ડિરેક્ટર પદે મૂકાયા

IAS યોગેશ ચૌધરીને ડીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર બનાવાયા

IAS કે.એસ. વસાવાને ટેક્નિકલ એજ્યુકેશનના ડિરેક્ટર બનાવાયા 

IAS જસ્મીન હસરતને ગુજરાત સ્ટેટ એનર્જી જનરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બનાવાયા 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે