ગુજરાતના IAS અધિકારીઓની બદલી કરાઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 15:59:38

ગુજરાતમાં ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી છે. સરકારે પોલીસ બેડા સહિતના માળખાકીય બેડામાં ફેરફારો કર્યા બાદ IAS અધિકારીઓની પણ બદલી કરવાના આદેશ આપ્યા છે. ગુજરાત સરકારે હાલ 23 IAS અધિકારીની બદલીની જાહેરાત કરી છે. 


આયા બદલી કા મૌસમ

IAS એમ થેન્નારસનને અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશનના ચેરમેન બનાવાયા 

IAS ડૉ. રાહુલ બી ગુપ્તાને જીઆઈડીસીના એમડી અને વાઈસ ચેરમેનનો વધારાની ચાર્જ સોંપાયો

IAS ડી. એસ. ગઢવીને આણંદના કલેક્ટર બનાવાયા 

IAS ધર્મેન્દ્રસિંહ જાડેજાને ડાંગ-આહવાના કલેક્ટર બનાવાયા 

IAS જીટી પંડ્યાને મોરબીના કલેક્ટર બનાવાયા 

IAS બીઆર દવે તાપી-વ્યારાના કલેક્ટર બનાવાયા 

IAS બીકે પંડ્યાને મહીસાગર-લુણાવાડાના કલેક્ટર બનાવાયા 

IAS પ્રવીણા ડી.કે.ને કચ્છ-ભુજના કલેક્ટર બનાવાયા 

IAS યોગેશ નીરગુડેને આદિવિકાસ બોર્ડના ડિરેક્ટર તરીકે બદલી 

IAS રમેશ મેરજા (બ્રિજેશ મેરજાના પિતરાઈ ભાઈ)ને ભાવનગરના કલેક્ટર બનાવાયા

IAS પીઆર જોશી ભરૂચના જિલ્લા વિકાસ અધિકારી બનાવાયા 

IAS બીકે વસાવા સુરતના જિલ્લા વિકાસ અધિકારી બનાવાયા 

IAS એસ. ડી. ધાનાણીને દ્વારકાના જિલ્લા વિકાસ અધિકારી બનાવાયા 

IAS સંદીપ સાંગલે ગાંધીનગર મનપાના કમિશનર બનાવાયા 

IAS એમ.વાય. દક્ષિણીને પંચાયત, ગ્રામ્ય ગૃહ, ગ્રામ્ય વિકાસ વિભાગના એડિશનલ સેક્રેટરી બનાવાયા 

IAS હરીભાઈ વઢવાણિયાને એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સીના ડિરેક્ટર બનાવ્યા

IAS ડૉ. મનીષ કુમારને ગુજરાત લિવલીહૂડ પ્રોમોશન કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બનાવ્યા 

IAS જેબી પટેલને યુવા અને સંસ્કૃતિ એક્ટિવિટીના ડિરેક્ટર પદે મૂકાયા

IAS યોગેશ ચૌધરીને ડીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર બનાવાયા

IAS કે.એસ. વસાવાને ટેક્નિકલ એજ્યુકેશનના ડિરેક્ટર બનાવાયા 

IAS જસ્મીન હસરતને ગુજરાત સ્ટેટ એનર્જી જનરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બનાવાયા 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"