ગુજરાતના IAS અધિકારીઓની બદલી કરાઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 15:59:38

ગુજરાતમાં ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી છે. સરકારે પોલીસ બેડા સહિતના માળખાકીય બેડામાં ફેરફારો કર્યા બાદ IAS અધિકારીઓની પણ બદલી કરવાના આદેશ આપ્યા છે. ગુજરાત સરકારે હાલ 23 IAS અધિકારીની બદલીની જાહેરાત કરી છે. 


આયા બદલી કા મૌસમ

IAS એમ થેન્નારસનને અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશનના ચેરમેન બનાવાયા 

IAS ડૉ. રાહુલ બી ગુપ્તાને જીઆઈડીસીના એમડી અને વાઈસ ચેરમેનનો વધારાની ચાર્જ સોંપાયો

IAS ડી. એસ. ગઢવીને આણંદના કલેક્ટર બનાવાયા 

IAS ધર્મેન્દ્રસિંહ જાડેજાને ડાંગ-આહવાના કલેક્ટર બનાવાયા 

IAS જીટી પંડ્યાને મોરબીના કલેક્ટર બનાવાયા 

IAS બીઆર દવે તાપી-વ્યારાના કલેક્ટર બનાવાયા 

IAS બીકે પંડ્યાને મહીસાગર-લુણાવાડાના કલેક્ટર બનાવાયા 

IAS પ્રવીણા ડી.કે.ને કચ્છ-ભુજના કલેક્ટર બનાવાયા 

IAS યોગેશ નીરગુડેને આદિવિકાસ બોર્ડના ડિરેક્ટર તરીકે બદલી 

IAS રમેશ મેરજા (બ્રિજેશ મેરજાના પિતરાઈ ભાઈ)ને ભાવનગરના કલેક્ટર બનાવાયા

IAS પીઆર જોશી ભરૂચના જિલ્લા વિકાસ અધિકારી બનાવાયા 

IAS બીકે વસાવા સુરતના જિલ્લા વિકાસ અધિકારી બનાવાયા 

IAS એસ. ડી. ધાનાણીને દ્વારકાના જિલ્લા વિકાસ અધિકારી બનાવાયા 

IAS સંદીપ સાંગલે ગાંધીનગર મનપાના કમિશનર બનાવાયા 

IAS એમ.વાય. દક્ષિણીને પંચાયત, ગ્રામ્ય ગૃહ, ગ્રામ્ય વિકાસ વિભાગના એડિશનલ સેક્રેટરી બનાવાયા 

IAS હરીભાઈ વઢવાણિયાને એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સીના ડિરેક્ટર બનાવ્યા

IAS ડૉ. મનીષ કુમારને ગુજરાત લિવલીહૂડ પ્રોમોશન કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બનાવ્યા 

IAS જેબી પટેલને યુવા અને સંસ્કૃતિ એક્ટિવિટીના ડિરેક્ટર પદે મૂકાયા

IAS યોગેશ ચૌધરીને ડીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર બનાવાયા

IAS કે.એસ. વસાવાને ટેક્નિકલ એજ્યુકેશનના ડિરેક્ટર બનાવાયા 

IAS જસ્મીન હસરતને ગુજરાત સ્ટેટ એનર્જી જનરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બનાવાયા 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.