ગુજરાતના IAS અધિકારીઓની બદલી કરાઈ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-12 15:59:38

ગુજરાતમાં ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી છે. સરકારે પોલીસ બેડા સહિતના માળખાકીય બેડામાં ફેરફારો કર્યા બાદ IAS અધિકારીઓની પણ બદલી કરવાના આદેશ આપ્યા છે. ગુજરાત સરકારે હાલ 23 IAS અધિકારીની બદલીની જાહેરાત કરી છે. 


આયા બદલી કા મૌસમ

IAS એમ થેન્નારસનને અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશનના ચેરમેન બનાવાયા 

IAS ડૉ. રાહુલ બી ગુપ્તાને જીઆઈડીસીના એમડી અને વાઈસ ચેરમેનનો વધારાની ચાર્જ સોંપાયો

IAS ડી. એસ. ગઢવીને આણંદના કલેક્ટર બનાવાયા 

IAS ધર્મેન્દ્રસિંહ જાડેજાને ડાંગ-આહવાના કલેક્ટર બનાવાયા 

IAS જીટી પંડ્યાને મોરબીના કલેક્ટર બનાવાયા 

IAS બીઆર દવે તાપી-વ્યારાના કલેક્ટર બનાવાયા 

IAS બીકે પંડ્યાને મહીસાગર-લુણાવાડાના કલેક્ટર બનાવાયા 

IAS પ્રવીણા ડી.કે.ને કચ્છ-ભુજના કલેક્ટર બનાવાયા 

IAS યોગેશ નીરગુડેને આદિવિકાસ બોર્ડના ડિરેક્ટર તરીકે બદલી 

IAS રમેશ મેરજા (બ્રિજેશ મેરજાના પિતરાઈ ભાઈ)ને ભાવનગરના કલેક્ટર બનાવાયા

IAS પીઆર જોશી ભરૂચના જિલ્લા વિકાસ અધિકારી બનાવાયા 

IAS બીકે વસાવા સુરતના જિલ્લા વિકાસ અધિકારી બનાવાયા 

IAS એસ. ડી. ધાનાણીને દ્વારકાના જિલ્લા વિકાસ અધિકારી બનાવાયા 

IAS સંદીપ સાંગલે ગાંધીનગર મનપાના કમિશનર બનાવાયા 

IAS એમ.વાય. દક્ષિણીને પંચાયત, ગ્રામ્ય ગૃહ, ગ્રામ્ય વિકાસ વિભાગના એડિશનલ સેક્રેટરી બનાવાયા 

IAS હરીભાઈ વઢવાણિયાને એગ્રીકલ્ચર ટેક્નોલોજી મેનેજમેન્ટ એજન્સીના ડિરેક્ટર બનાવ્યા

IAS ડૉ. મનીષ કુમારને ગુજરાત લિવલીહૂડ પ્રોમોશન કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બનાવ્યા 

IAS જેબી પટેલને યુવા અને સંસ્કૃતિ એક્ટિવિટીના ડિરેક્ટર પદે મૂકાયા

IAS યોગેશ ચૌધરીને ડીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર બનાવાયા

IAS કે.એસ. વસાવાને ટેક્નિકલ એજ્યુકેશનના ડિરેક્ટર બનાવાયા 

IAS જસ્મીન હસરતને ગુજરાત સ્ટેટ એનર્જી જનરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર બનાવાયા 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .