ODI વર્લ્ડ કપના શેડ્યૂલમાં ફેરફાર નક્કી; ત્રણ દેશોએ ICCને લખ્યો પત્ર, જય શાહે આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-07-27 22:18:19

ભારતમાં ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં યોજાનાર ODI વર્લ્ડ કપના સમયપત્રકમાં ફેરફાર થાય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું  છે. BCCIના સચિવ જય શાહે આ વાતની પુષ્ટિ કરી છે. શાહે કહ્યું કે ODI વર્લ્ડ કપમાં સામેલ ICCના 3 સભ્ય દેશોને વર્લ્ડ કપના શેડ્યૂલમાં સમસ્યા છે. જેના કારણે તેમાં ફેરફાર કરવામાં આવશે. જય શાહના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની તારીખ પણ બદલવામાં આવશે. આ મેચ અગાઉ અમદાવાદમાં 15 ઓક્ટોબરે યોજાવાની હતી.


14 ઓક્ટોબરે યોજવામાં આવી શકે

 

મંગળવારે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે નવરાત્રિના કારણે ભારત-પાકિસ્તાન મેચની તારીખમાં ફેરફાર થઈ શકે છે અને મેચ 15 ઓક્ટોબરના બદલે 14 ઓક્ટોબરે યોજવામાં આવી શકે છે. આના એક દિવસ પછી, BCCI સેક્રેટરી જય શાહે કથિત રીતે ખુલાસો કર્યો છે કે વર્લ્ડ કપના શેડ્યૂલમાં ફેરફાર થવાનો છે. શાહના જણાવ્યા અનુસાર, ત્રણ સભ્ય દેશોએ ગુરુવારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ને પત્ર લખીને તેમના વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફારની માંગ કરી હતી.


BCCI સેક્રેટરી શાહે પુષ્ટિ કરી


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI સેક્રેટરી શાહે પુષ્ટિ કરી છે કે ICCના ત્રણ પૂર્ણ સભ્યોએ વાંધો વ્યક્ત કર્યા બાદ વર્લ્ડ કપ 2023ના શેડ્યૂલમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. શાહને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, "ત્રણ સભ્ય દેશોએ તેમના વર્લ્ડ કપના સમયપત્રકમાં ફેરફાર માટે ICCને પત્ર લખ્યો છે. અમે વર્લ્ડ કપની રમત દરમિયાન દર્શકોને પીવાનું પાણી મફત આપવા પર કામ કરી રહ્યા છીએ."


14 ઓક્ટોબરે યોજાઈ શકે ભારત-પાકિસ્તાન મેચ 


ICC અને  BCCIએ ગયા મહિને વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરી હતી. શેડ્યૂલ મુજબ, કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ટકરાશે. અગાઉના રિપોર્ટ મુજબ, ભારત-પાકિસ્તાન મેચ એક દિવસ પહેલા 14 ઓક્ટોબરે યોજાઈ શકે છે. BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું કે, "15 ઓક્ટોબરે નવરાત્રિની ઉજવણીનો પ્રથમ દિવસ હોવાથી, સુરક્ષા એજન્સીઓએ સલાહ આપી છે કે મોટી રમત, જેમાં સુરક્ષા અધિકારીઓની ભારે તૈનાતીની પણ જરૂર પડશે, તેથી તેના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવે."


આ શહેરોમાં યોજાશે ક્રિકેટ મેચ 


ICCએ 27 જુને વનડે વર્લ્ડ કપના કાર્યક્રમનું એલાન કર્યું હતું જે અનુસાર 5 ઓક્ટોબરથી ભારતમાં તે શરુ થશે. વર્લ્ડ કપમાં કુલ 10 સ્થળોએ 48 મેચો રમાશે. 8 ઓક્ટોબરે ભારત ઓસ્ટ્રેલિયા સામે તેની પહેલી મેચ રમશે જ્યારે 15 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન ટકરાશે.19 નવેમ્બરે અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. દિલ્હી, ધર્મશાલા, અમદાવાદ, હૈદરાબાદ, મુંબઈ, પુણે, બેંગલુરુ, લખનૌ, ચેન્નાઈ અને કોલકાતા વર્લ્ડ કપના 10 સ્થળો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ 5 ઓક્ટોબરે અમદાવાદમાં તેની વર્લ્ડ કપની શરૂઆતની મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.