ODI વર્લ્ડ કપના શેડ્યૂલમાં ફેરફાર નક્કી; ત્રણ દેશોએ ICCને લખ્યો પત્ર, જય શાહે આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-07-27 22:18:19

ભારતમાં ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં યોજાનાર ODI વર્લ્ડ કપના સમયપત્રકમાં ફેરફાર થાય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું  છે. BCCIના સચિવ જય શાહે આ વાતની પુષ્ટિ કરી છે. શાહે કહ્યું કે ODI વર્લ્ડ કપમાં સામેલ ICCના 3 સભ્ય દેશોને વર્લ્ડ કપના શેડ્યૂલમાં સમસ્યા છે. જેના કારણે તેમાં ફેરફાર કરવામાં આવશે. જય શાહના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની તારીખ પણ બદલવામાં આવશે. આ મેચ અગાઉ અમદાવાદમાં 15 ઓક્ટોબરે યોજાવાની હતી.


14 ઓક્ટોબરે યોજવામાં આવી શકે

 

મંગળવારે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે નવરાત્રિના કારણે ભારત-પાકિસ્તાન મેચની તારીખમાં ફેરફાર થઈ શકે છે અને મેચ 15 ઓક્ટોબરના બદલે 14 ઓક્ટોબરે યોજવામાં આવી શકે છે. આના એક દિવસ પછી, BCCI સેક્રેટરી જય શાહે કથિત રીતે ખુલાસો કર્યો છે કે વર્લ્ડ કપના શેડ્યૂલમાં ફેરફાર થવાનો છે. શાહના જણાવ્યા અનુસાર, ત્રણ સભ્ય દેશોએ ગુરુવારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ને પત્ર લખીને તેમના વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફારની માંગ કરી હતી.


BCCI સેક્રેટરી શાહે પુષ્ટિ કરી


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI સેક્રેટરી શાહે પુષ્ટિ કરી છે કે ICCના ત્રણ પૂર્ણ સભ્યોએ વાંધો વ્યક્ત કર્યા બાદ વર્લ્ડ કપ 2023ના શેડ્યૂલમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. શાહને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, "ત્રણ સભ્ય દેશોએ તેમના વર્લ્ડ કપના સમયપત્રકમાં ફેરફાર માટે ICCને પત્ર લખ્યો છે. અમે વર્લ્ડ કપની રમત દરમિયાન દર્શકોને પીવાનું પાણી મફત આપવા પર કામ કરી રહ્યા છીએ."


14 ઓક્ટોબરે યોજાઈ શકે ભારત-પાકિસ્તાન મેચ 


ICC અને  BCCIએ ગયા મહિને વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરી હતી. શેડ્યૂલ મુજબ, કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ટકરાશે. અગાઉના રિપોર્ટ મુજબ, ભારત-પાકિસ્તાન મેચ એક દિવસ પહેલા 14 ઓક્ટોબરે યોજાઈ શકે છે. BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું કે, "15 ઓક્ટોબરે નવરાત્રિની ઉજવણીનો પ્રથમ દિવસ હોવાથી, સુરક્ષા એજન્સીઓએ સલાહ આપી છે કે મોટી રમત, જેમાં સુરક્ષા અધિકારીઓની ભારે તૈનાતીની પણ જરૂર પડશે, તેથી તેના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવે."


આ શહેરોમાં યોજાશે ક્રિકેટ મેચ 


ICCએ 27 જુને વનડે વર્લ્ડ કપના કાર્યક્રમનું એલાન કર્યું હતું જે અનુસાર 5 ઓક્ટોબરથી ભારતમાં તે શરુ થશે. વર્લ્ડ કપમાં કુલ 10 સ્થળોએ 48 મેચો રમાશે. 8 ઓક્ટોબરે ભારત ઓસ્ટ્રેલિયા સામે તેની પહેલી મેચ રમશે જ્યારે 15 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન ટકરાશે.19 નવેમ્બરે અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. દિલ્હી, ધર્મશાલા, અમદાવાદ, હૈદરાબાદ, મુંબઈ, પુણે, બેંગલુરુ, લખનૌ, ચેન્નાઈ અને કોલકાતા વર્લ્ડ કપના 10 સ્થળો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ 5 ઓક્ટોબરે અમદાવાદમાં તેની વર્લ્ડ કપની શરૂઆતની મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.