ODI વર્લ્ડ કપના શેડ્યૂલમાં ફેરફાર નક્કી; ત્રણ દેશોએ ICCને લખ્યો પત્ર, જય શાહે આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-07-27 22:18:19

ભારતમાં ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં યોજાનાર ODI વર્લ્ડ કપના સમયપત્રકમાં ફેરફાર થાય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું  છે. BCCIના સચિવ જય શાહે આ વાતની પુષ્ટિ કરી છે. શાહે કહ્યું કે ODI વર્લ્ડ કપમાં સામેલ ICCના 3 સભ્ય દેશોને વર્લ્ડ કપના શેડ્યૂલમાં સમસ્યા છે. જેના કારણે તેમાં ફેરફાર કરવામાં આવશે. જય શાહના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની તારીખ પણ બદલવામાં આવશે. આ મેચ અગાઉ અમદાવાદમાં 15 ઓક્ટોબરે યોજાવાની હતી.


14 ઓક્ટોબરે યોજવામાં આવી શકે

 

મંગળવારે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે નવરાત્રિના કારણે ભારત-પાકિસ્તાન મેચની તારીખમાં ફેરફાર થઈ શકે છે અને મેચ 15 ઓક્ટોબરના બદલે 14 ઓક્ટોબરે યોજવામાં આવી શકે છે. આના એક દિવસ પછી, BCCI સેક્રેટરી જય શાહે કથિત રીતે ખુલાસો કર્યો છે કે વર્લ્ડ કપના શેડ્યૂલમાં ફેરફાર થવાનો છે. શાહના જણાવ્યા અનુસાર, ત્રણ સભ્ય દેશોએ ગુરુવારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ને પત્ર લખીને તેમના વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફારની માંગ કરી હતી.


BCCI સેક્રેટરી શાહે પુષ્ટિ કરી


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI સેક્રેટરી શાહે પુષ્ટિ કરી છે કે ICCના ત્રણ પૂર્ણ સભ્યોએ વાંધો વ્યક્ત કર્યા બાદ વર્લ્ડ કપ 2023ના શેડ્યૂલમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. શાહને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, "ત્રણ સભ્ય દેશોએ તેમના વર્લ્ડ કપના સમયપત્રકમાં ફેરફાર માટે ICCને પત્ર લખ્યો છે. અમે વર્લ્ડ કપની રમત દરમિયાન દર્શકોને પીવાનું પાણી મફત આપવા પર કામ કરી રહ્યા છીએ."


14 ઓક્ટોબરે યોજાઈ શકે ભારત-પાકિસ્તાન મેચ 


ICC અને  BCCIએ ગયા મહિને વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરી હતી. શેડ્યૂલ મુજબ, કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ટકરાશે. અગાઉના રિપોર્ટ મુજબ, ભારત-પાકિસ્તાન મેચ એક દિવસ પહેલા 14 ઓક્ટોબરે યોજાઈ શકે છે. BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું કે, "15 ઓક્ટોબરે નવરાત્રિની ઉજવણીનો પ્રથમ દિવસ હોવાથી, સુરક્ષા એજન્સીઓએ સલાહ આપી છે કે મોટી રમત, જેમાં સુરક્ષા અધિકારીઓની ભારે તૈનાતીની પણ જરૂર પડશે, તેથી તેના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવે."


આ શહેરોમાં યોજાશે ક્રિકેટ મેચ 


ICCએ 27 જુને વનડે વર્લ્ડ કપના કાર્યક્રમનું એલાન કર્યું હતું જે અનુસાર 5 ઓક્ટોબરથી ભારતમાં તે શરુ થશે. વર્લ્ડ કપમાં કુલ 10 સ્થળોએ 48 મેચો રમાશે. 8 ઓક્ટોબરે ભારત ઓસ્ટ્રેલિયા સામે તેની પહેલી મેચ રમશે જ્યારે 15 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન ટકરાશે.19 નવેમ્બરે અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. દિલ્હી, ધર્મશાલા, અમદાવાદ, હૈદરાબાદ, મુંબઈ, પુણે, બેંગલુરુ, લખનૌ, ચેન્નાઈ અને કોલકાતા વર્લ્ડ કપના 10 સ્થળો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ 5 ઓક્ટોબરે અમદાવાદમાં તેની વર્લ્ડ કપની શરૂઆતની મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.