ODI વર્લ્ડ કપના શેડ્યૂલમાં ફેરફાર નક્કી; ત્રણ દેશોએ ICCને લખ્યો પત્ર, જય શાહે આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2023-07-27 22:18:19

ભારતમાં ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં યોજાનાર ODI વર્લ્ડ કપના સમયપત્રકમાં ફેરફાર થાય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું  છે. BCCIના સચિવ જય શાહે આ વાતની પુષ્ટિ કરી છે. શાહે કહ્યું કે ODI વર્લ્ડ કપમાં સામેલ ICCના 3 સભ્ય દેશોને વર્લ્ડ કપના શેડ્યૂલમાં સમસ્યા છે. જેના કારણે તેમાં ફેરફાર કરવામાં આવશે. જય શાહના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની તારીખ પણ બદલવામાં આવશે. આ મેચ અગાઉ અમદાવાદમાં 15 ઓક્ટોબરે યોજાવાની હતી.


14 ઓક્ટોબરે યોજવામાં આવી શકે

 

મંગળવારે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે નવરાત્રિના કારણે ભારત-પાકિસ્તાન મેચની તારીખમાં ફેરફાર થઈ શકે છે અને મેચ 15 ઓક્ટોબરના બદલે 14 ઓક્ટોબરે યોજવામાં આવી શકે છે. આના એક દિવસ પછી, BCCI સેક્રેટરી જય શાહે કથિત રીતે ખુલાસો કર્યો છે કે વર્લ્ડ કપના શેડ્યૂલમાં ફેરફાર થવાનો છે. શાહના જણાવ્યા અનુસાર, ત્રણ સભ્ય દેશોએ ગુરુવારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ને પત્ર લખીને તેમના વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફારની માંગ કરી હતી.


BCCI સેક્રેટરી શાહે પુષ્ટિ કરી


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCI સેક્રેટરી શાહે પુષ્ટિ કરી છે કે ICCના ત્રણ પૂર્ણ સભ્યોએ વાંધો વ્યક્ત કર્યા બાદ વર્લ્ડ કપ 2023ના શેડ્યૂલમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે. શાહને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, "ત્રણ સભ્ય દેશોએ તેમના વર્લ્ડ કપના સમયપત્રકમાં ફેરફાર માટે ICCને પત્ર લખ્યો છે. અમે વર્લ્ડ કપની રમત દરમિયાન દર્શકોને પીવાનું પાણી મફત આપવા પર કામ કરી રહ્યા છીએ."


14 ઓક્ટોબરે યોજાઈ શકે ભારત-પાકિસ્તાન મેચ 


ICC અને  BCCIએ ગયા મહિને વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરી હતી. શેડ્યૂલ મુજબ, કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ટકરાશે. અગાઉના રિપોર્ટ મુજબ, ભારત-પાકિસ્તાન મેચ એક દિવસ પહેલા 14 ઓક્ટોબરે યોજાઈ શકે છે. BCCIના એક સૂત્રએ જણાવ્યું હતું કે, "15 ઓક્ટોબરે નવરાત્રિની ઉજવણીનો પ્રથમ દિવસ હોવાથી, સુરક્ષા એજન્સીઓએ સલાહ આપી છે કે મોટી રમત, જેમાં સુરક્ષા અધિકારીઓની ભારે તૈનાતીની પણ જરૂર પડશે, તેથી તેના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવે."


આ શહેરોમાં યોજાશે ક્રિકેટ મેચ 


ICCએ 27 જુને વનડે વર્લ્ડ કપના કાર્યક્રમનું એલાન કર્યું હતું જે અનુસાર 5 ઓક્ટોબરથી ભારતમાં તે શરુ થશે. વર્લ્ડ કપમાં કુલ 10 સ્થળોએ 48 મેચો રમાશે. 8 ઓક્ટોબરે ભારત ઓસ્ટ્રેલિયા સામે તેની પહેલી મેચ રમશે જ્યારે 15 ઓક્ટોબરે અમદાવાદમાં ભારત અને પાકિસ્તાન ટકરાશે.19 નવેમ્બરે અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલ રમાશે. દિલ્હી, ધર્મશાલા, અમદાવાદ, હૈદરાબાદ, મુંબઈ, પુણે, બેંગલુરુ, લખનૌ, ચેન્નાઈ અને કોલકાતા વર્લ્ડ કપના 10 સ્થળો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ 5 ઓક્ટોબરે અમદાવાદમાં તેની વર્લ્ડ કપની શરૂઆતની મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.