ICC T-20 World Cup 2024 : અમેરિકન ડિપ્લોમેટ ક્રિકેટ રમતા શીખ્યા..! આમણે શીખવાડ્યા ક્રિકેટના signature moves, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-03 17:48:18

ભારતીયો તો ક્રિકેટના શોખીન હોય છે તે આપણે જાણીએ છીએ... ક્રિકેટની મેચ હોય તો કામકાજ છોડીને લોકો મેચ જોતા હોય છે.. તેમાં પણ જો ICC T20 વર્લ્ડ કપ 2024ની મેચ હોય તો તો વાત જ નહી.. પરંતુ ના માત્ર ભારતીયો ક્રિકેટના શોખીન હોય છે પરંતુ બીજા દેશના લોકો પણ ક્રિકેટના શોખીન હોય છે.. ભારતીય ટીમના ખેલાડીઓ દ્વરા અમેરિકન રાજદ્વારીઓને ક્રિકેટના દાવ શીખવાડવામાં આવ્યા..

અમેરિકન ડિપ્લોમેટ ક્રિકેટ રમતા શીખ્યા..!

ક્રિકેટ રમવાનો અનેક લોકોને શોખ હોય છે.. પરંતુ અનેક લોકો એવા હોય છે જેમને ક્રિકેટ રમતા નથી આવડતું.. જો ક્રિકેટના અમુક દાવ શીખવવામાં આવે તો તેમને ક્રિકેટ થોડું થોડું રમતા આવડી જતું હોય છે. ત્યારે અમેરિકન ડિપ્લોમેટ માટે ક્રિકેટ ક્રેશ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે.. અમેરિકન ડિપ્લોમેટને ક્રિકેટના દાવ શીખવાડ્યા હતા. ભારતીય ક્રિકેટરો મોહમ્મદ સિરાજ, ઉત્કર્ષ પવાર, રુતુરાજ ગાયકવાડ, શિવમ દુબે અને જીતેશ શર્માએ અમેરિકન રાજદ્વારીઓને ક્રિકેટના દાવ શીખવાડ્યા હતા. 


U.S.Consulate Mumbaiએ વીડિયો શેર કર્યો

એક વીડિયો U.S.Consulate Mumbai દ્વારા શેર કરવામાં આવ્યો છે જેમાં અમેરિકાના રાજદ્વારીને ક્રિકેટની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.. વીડિયોની શરૂઆતમાં તેઓ ભારતના વખાણ કરે છે અને પછી પૂછે છે કે શું તમને ક્રિકેટ રમતા આવડે છે? T-20 in US... ક્રિકેટ રમવા માટે ટીમ યુએસ જવાની છે.



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.