ICC T-20 World Cup 2024 : અમેરિકન ડિપ્લોમેટ ક્રિકેટ રમતા શીખ્યા..! આમણે શીખવાડ્યા ક્રિકેટના signature moves, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-03 17:48:18

ભારતીયો તો ક્રિકેટના શોખીન હોય છે તે આપણે જાણીએ છીએ... ક્રિકેટની મેચ હોય તો કામકાજ છોડીને લોકો મેચ જોતા હોય છે.. તેમાં પણ જો ICC T20 વર્લ્ડ કપ 2024ની મેચ હોય તો તો વાત જ નહી.. પરંતુ ના માત્ર ભારતીયો ક્રિકેટના શોખીન હોય છે પરંતુ બીજા દેશના લોકો પણ ક્રિકેટના શોખીન હોય છે.. ભારતીય ટીમના ખેલાડીઓ દ્વરા અમેરિકન રાજદ્વારીઓને ક્રિકેટના દાવ શીખવાડવામાં આવ્યા..

અમેરિકન ડિપ્લોમેટ ક્રિકેટ રમતા શીખ્યા..!

ક્રિકેટ રમવાનો અનેક લોકોને શોખ હોય છે.. પરંતુ અનેક લોકો એવા હોય છે જેમને ક્રિકેટ રમતા નથી આવડતું.. જો ક્રિકેટના અમુક દાવ શીખવવામાં આવે તો તેમને ક્રિકેટ થોડું થોડું રમતા આવડી જતું હોય છે. ત્યારે અમેરિકન ડિપ્લોમેટ માટે ક્રિકેટ ક્રેશ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે.. અમેરિકન ડિપ્લોમેટને ક્રિકેટના દાવ શીખવાડ્યા હતા. ભારતીય ક્રિકેટરો મોહમ્મદ સિરાજ, ઉત્કર્ષ પવાર, રુતુરાજ ગાયકવાડ, શિવમ દુબે અને જીતેશ શર્માએ અમેરિકન રાજદ્વારીઓને ક્રિકેટના દાવ શીખવાડ્યા હતા. 


U.S.Consulate Mumbaiએ વીડિયો શેર કર્યો

એક વીડિયો U.S.Consulate Mumbai દ્વારા શેર કરવામાં આવ્યો છે જેમાં અમેરિકાના રાજદ્વારીને ક્રિકેટની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.. વીડિયોની શરૂઆતમાં તેઓ ભારતના વખાણ કરે છે અને પછી પૂછે છે કે શું તમને ક્રિકેટ રમતા આવડે છે? T-20 in US... ક્રિકેટ રમવા માટે ટીમ યુએસ જવાની છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.