ICC T-20 World Cup 2024 : અમેરિકન ડિપ્લોમેટ ક્રિકેટ રમતા શીખ્યા..! આમણે શીખવાડ્યા ક્રિકેટના signature moves, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-03 17:48:18

ભારતીયો તો ક્રિકેટના શોખીન હોય છે તે આપણે જાણીએ છીએ... ક્રિકેટની મેચ હોય તો કામકાજ છોડીને લોકો મેચ જોતા હોય છે.. તેમાં પણ જો ICC T20 વર્લ્ડ કપ 2024ની મેચ હોય તો તો વાત જ નહી.. પરંતુ ના માત્ર ભારતીયો ક્રિકેટના શોખીન હોય છે પરંતુ બીજા દેશના લોકો પણ ક્રિકેટના શોખીન હોય છે.. ભારતીય ટીમના ખેલાડીઓ દ્વરા અમેરિકન રાજદ્વારીઓને ક્રિકેટના દાવ શીખવાડવામાં આવ્યા..

અમેરિકન ડિપ્લોમેટ ક્રિકેટ રમતા શીખ્યા..!

ક્રિકેટ રમવાનો અનેક લોકોને શોખ હોય છે.. પરંતુ અનેક લોકો એવા હોય છે જેમને ક્રિકેટ રમતા નથી આવડતું.. જો ક્રિકેટના અમુક દાવ શીખવવામાં આવે તો તેમને ક્રિકેટ થોડું થોડું રમતા આવડી જતું હોય છે. ત્યારે અમેરિકન ડિપ્લોમેટ માટે ક્રિકેટ ક્રેશ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે.. અમેરિકન ડિપ્લોમેટને ક્રિકેટના દાવ શીખવાડ્યા હતા. ભારતીય ક્રિકેટરો મોહમ્મદ સિરાજ, ઉત્કર્ષ પવાર, રુતુરાજ ગાયકવાડ, શિવમ દુબે અને જીતેશ શર્માએ અમેરિકન રાજદ્વારીઓને ક્રિકેટના દાવ શીખવાડ્યા હતા. 


U.S.Consulate Mumbaiએ વીડિયો શેર કર્યો

એક વીડિયો U.S.Consulate Mumbai દ્વારા શેર કરવામાં આવ્યો છે જેમાં અમેરિકાના રાજદ્વારીને ક્રિકેટની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.. વીડિયોની શરૂઆતમાં તેઓ ભારતના વખાણ કરે છે અને પછી પૂછે છે કે શું તમને ક્રિકેટ રમતા આવડે છે? T-20 in US... ક્રિકેટ રમવા માટે ટીમ યુએસ જવાની છે.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.