ICC T-20 World Cup 2024 : અમેરિકન ડિપ્લોમેટ ક્રિકેટ રમતા શીખ્યા..! આમણે શીખવાડ્યા ક્રિકેટના signature moves, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-03 17:48:18

ભારતીયો તો ક્રિકેટના શોખીન હોય છે તે આપણે જાણીએ છીએ... ક્રિકેટની મેચ હોય તો કામકાજ છોડીને લોકો મેચ જોતા હોય છે.. તેમાં પણ જો ICC T20 વર્લ્ડ કપ 2024ની મેચ હોય તો તો વાત જ નહી.. પરંતુ ના માત્ર ભારતીયો ક્રિકેટના શોખીન હોય છે પરંતુ બીજા દેશના લોકો પણ ક્રિકેટના શોખીન હોય છે.. ભારતીય ટીમના ખેલાડીઓ દ્વરા અમેરિકન રાજદ્વારીઓને ક્રિકેટના દાવ શીખવાડવામાં આવ્યા..

અમેરિકન ડિપ્લોમેટ ક્રિકેટ રમતા શીખ્યા..!

ક્રિકેટ રમવાનો અનેક લોકોને શોખ હોય છે.. પરંતુ અનેક લોકો એવા હોય છે જેમને ક્રિકેટ રમતા નથી આવડતું.. જો ક્રિકેટના અમુક દાવ શીખવવામાં આવે તો તેમને ક્રિકેટ થોડું થોડું રમતા આવડી જતું હોય છે. ત્યારે અમેરિકન ડિપ્લોમેટ માટે ક્રિકેટ ક્રેશ કોર્ષનું આયોજન કરવામાં આવ્યું છે.. અમેરિકન ડિપ્લોમેટને ક્રિકેટના દાવ શીખવાડ્યા હતા. ભારતીય ક્રિકેટરો મોહમ્મદ સિરાજ, ઉત્કર્ષ પવાર, રુતુરાજ ગાયકવાડ, શિવમ દુબે અને જીતેશ શર્માએ અમેરિકન રાજદ્વારીઓને ક્રિકેટના દાવ શીખવાડ્યા હતા. 


U.S.Consulate Mumbaiએ વીડિયો શેર કર્યો

એક વીડિયો U.S.Consulate Mumbai દ્વારા શેર કરવામાં આવ્યો છે જેમાં અમેરિકાના રાજદ્વારીને ક્રિકેટની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.. વીડિયોની શરૂઆતમાં તેઓ ભારતના વખાણ કરે છે અને પછી પૂછે છે કે શું તમને ક્રિકેટ રમતા આવડે છે? T-20 in US... ક્રિકેટ રમવા માટે ટીમ યુએસ જવાની છે.



સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.