વર્લ્ડ કપની ફાઈનલ મેચનો જબરદસ્ત ક્રેઝ, ભાડુ 80 હજાર છતાં એક જ દિવસમાં રેકોર્ડ 4.6 લોકોએ ભરી ઉડાન


  • Published By :
  • Published Date : 2023-11-20 20:35:08

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચ ભલે ભારત હારી ગયું હોય પણ આ મહામુકાબલો દેશની એવિયેશન ઈન્ડસ્ટ્રીને ફળ્યો છે. આ ફાઈનલ મેચ એવિયેશન સેક્ટર માટે આશિર્વાદરૂપ બની છે. મેચના કારણે હવાઈ ​​ટ્રાફિકમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે અને એક જ દિવસમાં 4.6 લાખ સ્થાનિક મુસાફરોએ હવાઈ મુસાફરી કરી છે. આ આંકડો દિવાળીના દિવસ કરતા પણ વધુ છે. માહિતી અનુસાર, એક જ દિવસમાં ઘરેલુ મુસાફરોની આ અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે. 


મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપી જાણકારી


ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલે દેશની વિવિધ એરલાઈન્સ કંપનીઓને નવી ઉર્જા આપી છે અને હવાઈ મુસાફરોની સંખ્યાને એક નવા રેકોર્ડ પર લઈ ગઈ છે. શનિવાર અને રવિવારે મુસાફરી કરનારા લોકોની સંખ્યા 9 લાખથી વધુ હતી. 18 નવેમ્બર શનિવારના રોજ ઘરેલુ હવાઈ મુસાફરોની સંખ્યા 4 લાખ 56 હજાર 748 હતી. જ્યારે 19 નવેમ્બર, રવિવારે ઘરેલુ મુસાફરોની સંખ્યા 4,56,910 હતી. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ પોતાની એક્સ પોસ્ટમાં આ આંકડાઓની માહિતી આપી છે.


મુંબઈ એરપોર્ટ માટે ઐતિહાસિક સિદ્ધિ


 મુંબઈ એરપોર્ટ પર શનિવારે સૌથી વધુ ટ્રાફિક જોવા મળ્યો હતો. રવિવારના સમાચાર પર માહિતી શેર કરતી વખતે, અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું કે આ એક ઐતિહાસિક સિદ્ધિ છે. મુંબઈ એરપોર્ટે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. એક જ રનવે એરપોર્ટે એક જ દિવસમાં એટલે કે શનિવાર 18મી નવેમ્બરે રેકોર્ડ 1,61,760 મુસાફરોને સેવા આપી છે. આ ઉછાળો એવા સમયે આવ્યો છે જ્યારે હવાઈ મુસાફરીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.


હવાઈ ​​ભાડું લગભગ 80 હજાર રૂપિયા


ઉલ્લેખનીય છે કે રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Austrelia) વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી, જેને જોવા લાખો લોકો અમદાવાદ પહોંચ્યા હતા. આ સમયગાળા દરમિયાન અમદાવાદમાં હોટેલ અને હવાઈ ભાડા સામાન્ય દિવસો કરતા અનેક ગણા વધારે હતા. કોલકાતાથી અમદાવાદ અને અમદાવાદથી કોલકાતાની એરલાઇનનું ભાડું 80 હજાર રૂપિયા સુધી હતું.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.