વર્લ્ડ કપની ફાઈનલ મેચનો જબરદસ્ત ક્રેઝ, ભાડુ 80 હજાર છતાં એક જ દિવસમાં રેકોર્ડ 4.6 લોકોએ ભરી ઉડાન


  • Published By :
  • Published Date : 2023-11-20 20:35:08

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચ ભલે ભારત હારી ગયું હોય પણ આ મહામુકાબલો દેશની એવિયેશન ઈન્ડસ્ટ્રીને ફળ્યો છે. આ ફાઈનલ મેચ એવિયેશન સેક્ટર માટે આશિર્વાદરૂપ બની છે. મેચના કારણે હવાઈ ​​ટ્રાફિકમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે અને એક જ દિવસમાં 4.6 લાખ સ્થાનિક મુસાફરોએ હવાઈ મુસાફરી કરી છે. આ આંકડો દિવાળીના દિવસ કરતા પણ વધુ છે. માહિતી અનુસાર, એક જ દિવસમાં ઘરેલુ મુસાફરોની આ અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે. 


મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપી જાણકારી


ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલે દેશની વિવિધ એરલાઈન્સ કંપનીઓને નવી ઉર્જા આપી છે અને હવાઈ મુસાફરોની સંખ્યાને એક નવા રેકોર્ડ પર લઈ ગઈ છે. શનિવાર અને રવિવારે મુસાફરી કરનારા લોકોની સંખ્યા 9 લાખથી વધુ હતી. 18 નવેમ્બર શનિવારના રોજ ઘરેલુ હવાઈ મુસાફરોની સંખ્યા 4 લાખ 56 હજાર 748 હતી. જ્યારે 19 નવેમ્બર, રવિવારે ઘરેલુ મુસાફરોની સંખ્યા 4,56,910 હતી. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ પોતાની એક્સ પોસ્ટમાં આ આંકડાઓની માહિતી આપી છે.


મુંબઈ એરપોર્ટ માટે ઐતિહાસિક સિદ્ધિ


 મુંબઈ એરપોર્ટ પર શનિવારે સૌથી વધુ ટ્રાફિક જોવા મળ્યો હતો. રવિવારના સમાચાર પર માહિતી શેર કરતી વખતે, અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું કે આ એક ઐતિહાસિક સિદ્ધિ છે. મુંબઈ એરપોર્ટે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. એક જ રનવે એરપોર્ટે એક જ દિવસમાં એટલે કે શનિવાર 18મી નવેમ્બરે રેકોર્ડ 1,61,760 મુસાફરોને સેવા આપી છે. આ ઉછાળો એવા સમયે આવ્યો છે જ્યારે હવાઈ મુસાફરીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.


હવાઈ ​​ભાડું લગભગ 80 હજાર રૂપિયા


ઉલ્લેખનીય છે કે રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Austrelia) વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી, જેને જોવા લાખો લોકો અમદાવાદ પહોંચ્યા હતા. આ સમયગાળા દરમિયાન અમદાવાદમાં હોટેલ અને હવાઈ ભાડા સામાન્ય દિવસો કરતા અનેક ગણા વધારે હતા. કોલકાતાથી અમદાવાદ અને અમદાવાદથી કોલકાતાની એરલાઇનનું ભાડું 80 હજાર રૂપિયા સુધી હતું.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .