વર્લ્ડ કપની ફાઈનલ મેચનો જબરદસ્ત ક્રેઝ, ભાડુ 80 હજાર છતાં એક જ દિવસમાં રેકોર્ડ 4.6 લોકોએ ભરી ઉડાન


  • Published By :
  • Published Date : 2023-11-20 20:35:08

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વર્લ્ડ કપની ફાઈનલ મેચ ભલે ભારત હારી ગયું હોય પણ આ મહામુકાબલો દેશની એવિયેશન ઈન્ડસ્ટ્રીને ફળ્યો છે. આ ફાઈનલ મેચ એવિયેશન સેક્ટર માટે આશિર્વાદરૂપ બની છે. મેચના કારણે હવાઈ ​​ટ્રાફિકમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે અને એક જ દિવસમાં 4.6 લાખ સ્થાનિક મુસાફરોએ હવાઈ મુસાફરી કરી છે. આ આંકડો દિવાળીના દિવસ કરતા પણ વધુ છે. માહિતી અનુસાર, એક જ દિવસમાં ઘરેલુ મુસાફરોની આ અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે. 


મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપી જાણકારી


ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલે દેશની વિવિધ એરલાઈન્સ કંપનીઓને નવી ઉર્જા આપી છે અને હવાઈ મુસાફરોની સંખ્યાને એક નવા રેકોર્ડ પર લઈ ગઈ છે. શનિવાર અને રવિવારે મુસાફરી કરનારા લોકોની સંખ્યા 9 લાખથી વધુ હતી. 18 નવેમ્બર શનિવારના રોજ ઘરેલુ હવાઈ મુસાફરોની સંખ્યા 4 લાખ 56 હજાર 748 હતી. જ્યારે 19 નવેમ્બર, રવિવારે ઘરેલુ મુસાફરોની સંખ્યા 4,56,910 હતી. કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ પોતાની એક્સ પોસ્ટમાં આ આંકડાઓની માહિતી આપી છે.


મુંબઈ એરપોર્ટ માટે ઐતિહાસિક સિદ્ધિ


 મુંબઈ એરપોર્ટ પર શનિવારે સૌથી વધુ ટ્રાફિક જોવા મળ્યો હતો. રવિવારના સમાચાર પર માહિતી શેર કરતી વખતે, અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું કે આ એક ઐતિહાસિક સિદ્ધિ છે. મુંબઈ એરપોર્ટે એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. એક જ રનવે એરપોર્ટે એક જ દિવસમાં એટલે કે શનિવાર 18મી નવેમ્બરે રેકોર્ડ 1,61,760 મુસાફરોને સેવા આપી છે. આ ઉછાળો એવા સમયે આવ્યો છે જ્યારે હવાઈ મુસાફરીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.


હવાઈ ​​ભાડું લગભગ 80 હજાર રૂપિયા


ઉલ્લેખનીય છે કે રવિવારે ભારત અને ઓસ્ટ્રેલિયા (India vs Austrelia) વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી, જેને જોવા લાખો લોકો અમદાવાદ પહોંચ્યા હતા. આ સમયગાળા દરમિયાન અમદાવાદમાં હોટેલ અને હવાઈ ભાડા સામાન્ય દિવસો કરતા અનેક ગણા વધારે હતા. કોલકાતાથી અમદાવાદ અને અમદાવાદથી કોલકાતાની એરલાઇનનું ભાડું 80 હજાર રૂપિયા સુધી હતું.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે