વિસાવદર વિધાનસભા સીટ સૌથી પહેલા ખાલી થઈ તો ચૂંટણી શું કામ જાહેર ના કરાઈ? જો ચૂંટણી જાહેર થાય તો Gopal Italia હશે ઉમેદવાર...?


  • Published By :
  • Published Date : 2024-03-18 18:52:11

લોકસભા ચૂંટણીની સાથે સાથે ગુજરાતની 5 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે. ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને કેસરિયો ધારણ કરી લીધો છે. જ્યારે લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે રાહ જોવામાં આવી રહી હતી કે ગુજરાતની 6 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની જાહેરાત થાય. પરંતુ માત્ર 5 બેઠકો માટે ચૂંટણી જાહેર થઈ. વિસાવદર માટે પેટા ચૂંટણીની જાહેરાત નથી થઈ કારણ કે કોર્ટ કેસ ત્યાં ચાલી રહ્યો છે. જો પેટા ચૂંટણી અંગેની વાત કરીએ તો આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે જો વિસાવદર માટે પેટાચૂંટણી થાય છે તો ગોપાલ ઈટાલિયાને ત્યાં માટે ઉમેદવાર ઘોષિત થઈ શકે છે.

વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીની નથી કરવામાં આવી જાહેરાત!

2022માં વિધાનસભા બેઠક યોજાઈ હતી. ભાજપને ફાળે 156 સીટો આવી હતી જ્યારે કોંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટીને 5 ઉપરાંત અપક્ષના 3 ઉમેદવાર જીત્યા હતા. પરંતુ સમયની સાથે સાથે અનેક ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. વિસાવદર, પોરબંદર, વાઘોડિયા, ખંભાત વિજાપુર તેમજ માણાવદરના ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. બેઠક ખાલી થતાં ત્યાં પેટા ચૂંટણી યોજાવાની છે. એવું માનવામાં આવતું હતું કે લોકસભા ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની 6 પેટા ચૂંટણીને લઈ તારીખ જાહેર થઈ શકે છે પરંતુ 5 બેઠકો માટે જ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. 

ગોપાલ ઈટાલિયા હોઈ શકે છે પેટા ચૂંટણીના ઉમેદવાર 

વિસાવદર માટે પેટાચૂંટણીની તારીખની જાહેરાત નથી કરવામાં આવી. લોકસભા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું છે. ત્યારે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પેટા ચૂંટણી માટે પણ ગઠબંધન થઈ શકે છે. શનિવારે આપ તેમજ કોંગ્રેસના નેતાઓ વચ્ચે બંધ બારણે બેઠક થઈ હતી. વિસાવદર પેટા ચૂંટણી માટે જો ઉમેદવારના નામ અંગેની ચર્ચા કરવામાં આવે તો ગોપાલ ઈટાલિયા ઉમેદવાર હોઈ શકે છે. વિસાવદરમાં પેટાચૂંટણીની જાહેરાત ના કરવામાં આવી તે બાદ ગોપાલ ઈટાલિયા સાથે દેવાંશી જોશીએ વાત કરી ત્યારે તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. વિસાવદરની ચૂંટણી કેમ જાહેર ના કરવામાં આવી તે અંગે પણ તેમણે પ્રહાર કર્યા.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી