જો તમને પણ લાગતું હોય કે Mehul Boghra માત્ર Policeને જ ટાર્ગેટ કરે છે, તો સાંભળો આ પ્રશ્નનો Mehul Boghraએ શું જવાબ આપ્યો?


  • Published By :
  • Published Date : 2024-02-29 16:41:19

મેહુલ બોઘરા છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં છે. પોલીસકર્મીની સાથે કરવામાં આવતી બબાલને કારણે તે સુરખીઓમાં રહેતા હોય છે. મેહુલ બોઘરા પોલીસ વિભાગની છબી ખરાબ કરવા માગે છે તેવી વાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. એક પ્રશ્ન પોલીસવિભાગને પણ કરવો છે કે જ્યારે પોલીસકર્મી દ્વારા કાયદા ભંગ કરવામાં આવે છે, લાંચ માગવામાં આવે છે, પોલીસ કર્મી લાંચ લે છે ત્યારે જ આવી ઘટનાઓ બને છે ને....! આ બધા વચ્ચે દેવાંશી જોશીએ મેહુલ બોઘરા સાથે ઈન્ટરવ્યું કર્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે જો કોઈ માણસ પોલીસ દ્વારા કરવામાં આવતા તોડ વિરૂદ્ધ અવાજ ઉપાડશે તો તે પોલીસના વીડિયો નહીં બનાવે..!    

રવિવારે એક પોલીસકર્મી સાથે તેમની બોલાચાલી થઈ હતી. ગાડીમાં નંબર પ્લેટ ના હતી ઉપરાંત કાળા કાચ પણ હતા. આ જોતા એડવોકેટ મેહુલ બોઘરાએ તેમને સવાલ પૂછ્યા હતા. પછી આ આખો કેસ પોલીસ સ્ટેશન પહોંચ્યો તે આપણે જાણીએ છીએ. જે પોલીસકર્મી સાથે તેમની માથાકુટ થઈ તે પહેલેથી જ તોડ કરવામાં માહિર નીકળ્યા. મેહુલ બોઘરા આવા વીડિયો બનાવે છે જેને લઈ સામાન્ય માણસના દિમાગમાં પોલીસને લઈ છબી ખરાબ થઈ રહી છે. સૂરતના લોકો પોતાની સાથે થઈ રહેલા અન્યાય વિરૂદ્ધ અવાજ ઉપાડે છે. મેહુલ બોઘરાના સપોર્ટમાં સુરતીઓ આવ્યા. મેહુલ બોઘરાને સમર્થન આપ્યું. 



જ્યારે પોલીસ જ ખોટું કામ કરી રહેલા કર્મચારી વિરૂદ્ધ અવાજ ઉઠાવશે તો.. 

પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થાય છે પરંતુ તે જ વિભાગમાં એવા કર્મચારીઓ છે જે નિષ્ઠા પૂર્વક પોતાની ફરજ નિભાવે છે અને તેમના કારણે જ આવા લાંચિયા કર્મચારીઓ પકડાય છે. પોલીસ વિભાગના કર્મચારીઓને પણ આ અંગે વિચારવું પડશે... જો પોલીસ જ ખોટું કામ કરી રહેલા કર્મચારીઓ વિરૂદ્ધ એક્શન લેવા લાગશે ત્યારે કોઈ બીજા વ્યક્તિને પોલીસ કર્મચારી વિરૂદ્ધ અવાજ નહીં ઉઠાવવો પડે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.