જો તમને પણ લાગતું હોય કે Mehul Boghra માત્ર Policeને જ ટાર્ગેટ કરે છે, તો સાંભળો આ પ્રશ્નનો Mehul Boghraએ શું જવાબ આપ્યો?


  • Published By :
  • Published Date : 2024-02-29 16:41:19

મેહુલ બોઘરા છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં છે. પોલીસકર્મીની સાથે કરવામાં આવતી બબાલને કારણે તે સુરખીઓમાં રહેતા હોય છે. મેહુલ બોઘરા પોલીસ વિભાગની છબી ખરાબ કરવા માગે છે તેવી વાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. એક પ્રશ્ન પોલીસવિભાગને પણ કરવો છે કે જ્યારે પોલીસકર્મી દ્વારા કાયદા ભંગ કરવામાં આવે છે, લાંચ માગવામાં આવે છે, પોલીસ કર્મી લાંચ લે છે ત્યારે જ આવી ઘટનાઓ બને છે ને....! આ બધા વચ્ચે દેવાંશી જોશીએ મેહુલ બોઘરા સાથે ઈન્ટરવ્યું કર્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે જો કોઈ માણસ પોલીસ દ્વારા કરવામાં આવતા તોડ વિરૂદ્ધ અવાજ ઉપાડશે તો તે પોલીસના વીડિયો નહીં બનાવે..!    

રવિવારે એક પોલીસકર્મી સાથે તેમની બોલાચાલી થઈ હતી. ગાડીમાં નંબર પ્લેટ ના હતી ઉપરાંત કાળા કાચ પણ હતા. આ જોતા એડવોકેટ મેહુલ બોઘરાએ તેમને સવાલ પૂછ્યા હતા. પછી આ આખો કેસ પોલીસ સ્ટેશન પહોંચ્યો તે આપણે જાણીએ છીએ. જે પોલીસકર્મી સાથે તેમની માથાકુટ થઈ તે પહેલેથી જ તોડ કરવામાં માહિર નીકળ્યા. મેહુલ બોઘરા આવા વીડિયો બનાવે છે જેને લઈ સામાન્ય માણસના દિમાગમાં પોલીસને લઈ છબી ખરાબ થઈ રહી છે. સૂરતના લોકો પોતાની સાથે થઈ રહેલા અન્યાય વિરૂદ્ધ અવાજ ઉપાડે છે. મેહુલ બોઘરાના સપોર્ટમાં સુરતીઓ આવ્યા. મેહુલ બોઘરાને સમર્થન આપ્યું. 



જ્યારે પોલીસ જ ખોટું કામ કરી રહેલા કર્મચારી વિરૂદ્ધ અવાજ ઉઠાવશે તો.. 

પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થાય છે પરંતુ તે જ વિભાગમાં એવા કર્મચારીઓ છે જે નિષ્ઠા પૂર્વક પોતાની ફરજ નિભાવે છે અને તેમના કારણે જ આવા લાંચિયા કર્મચારીઓ પકડાય છે. પોલીસ વિભાગના કર્મચારીઓને પણ આ અંગે વિચારવું પડશે... જો પોલીસ જ ખોટું કામ કરી રહેલા કર્મચારીઓ વિરૂદ્ધ એક્શન લેવા લાગશે ત્યારે કોઈ બીજા વ્યક્તિને પોલીસ કર્મચારી વિરૂદ્ધ અવાજ નહીં ઉઠાવવો પડે.  



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.