જો તમને પણ લાગતું હોય કે Mehul Boghra માત્ર Policeને જ ટાર્ગેટ કરે છે, તો સાંભળો આ પ્રશ્નનો Mehul Boghraએ શું જવાબ આપ્યો?


  • Published By :
  • Published Date : 2024-02-29 16:41:19

મેહુલ બોઘરા છેલ્લા ઘણા દિવસથી ચર્ચામાં છે. પોલીસકર્મીની સાથે કરવામાં આવતી બબાલને કારણે તે સુરખીઓમાં રહેતા હોય છે. મેહુલ બોઘરા પોલીસ વિભાગની છબી ખરાબ કરવા માગે છે તેવી વાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. એક પ્રશ્ન પોલીસવિભાગને પણ કરવો છે કે જ્યારે પોલીસકર્મી દ્વારા કાયદા ભંગ કરવામાં આવે છે, લાંચ માગવામાં આવે છે, પોલીસ કર્મી લાંચ લે છે ત્યારે જ આવી ઘટનાઓ બને છે ને....! આ બધા વચ્ચે દેવાંશી જોશીએ મેહુલ બોઘરા સાથે ઈન્ટરવ્યું કર્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે જો કોઈ માણસ પોલીસ દ્વારા કરવામાં આવતા તોડ વિરૂદ્ધ અવાજ ઉપાડશે તો તે પોલીસના વીડિયો નહીં બનાવે..!    

રવિવારે એક પોલીસકર્મી સાથે તેમની બોલાચાલી થઈ હતી. ગાડીમાં નંબર પ્લેટ ના હતી ઉપરાંત કાળા કાચ પણ હતા. આ જોતા એડવોકેટ મેહુલ બોઘરાએ તેમને સવાલ પૂછ્યા હતા. પછી આ આખો કેસ પોલીસ સ્ટેશન પહોંચ્યો તે આપણે જાણીએ છીએ. જે પોલીસકર્મી સાથે તેમની માથાકુટ થઈ તે પહેલેથી જ તોડ કરવામાં માહિર નીકળ્યા. મેહુલ બોઘરા આવા વીડિયો બનાવે છે જેને લઈ સામાન્ય માણસના દિમાગમાં પોલીસને લઈ છબી ખરાબ થઈ રહી છે. સૂરતના લોકો પોતાની સાથે થઈ રહેલા અન્યાય વિરૂદ્ધ અવાજ ઉપાડે છે. મેહુલ બોઘરાના સપોર્ટમાં સુરતીઓ આવ્યા. મેહુલ બોઘરાને સમર્થન આપ્યું. 



જ્યારે પોલીસ જ ખોટું કામ કરી રહેલા કર્મચારી વિરૂદ્ધ અવાજ ઉઠાવશે તો.. 

પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થાય છે પરંતુ તે જ વિભાગમાં એવા કર્મચારીઓ છે જે નિષ્ઠા પૂર્વક પોતાની ફરજ નિભાવે છે અને તેમના કારણે જ આવા લાંચિયા કર્મચારીઓ પકડાય છે. પોલીસ વિભાગના કર્મચારીઓને પણ આ અંગે વિચારવું પડશે... જો પોલીસ જ ખોટું કામ કરી રહેલા કર્મચારીઓ વિરૂદ્ધ એક્શન લેવા લાગશે ત્યારે કોઈ બીજા વ્યક્તિને પોલીસ કર્મચારી વિરૂદ્ધ અવાજ નહીં ઉઠાવવો પડે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.