જો તમે પણ બુઢ્ઢી કે બાલ ખાવાના શોખીન હોવ તો ચેતી જજો! લેબ પરિક્ષણમાં આવ્યું ચોંકાવનારું પરિણામ કારણ કે આનું સેવન કરવાથી રહે છે કેન્સરનો ખતરો!


  • Published By :
  • Published Date : 2024-03-01 17:45:01

તમારાથી અનેક એવા લોકો હશે જેમણે નાનપણમાં બુઢ્ઢીના બાલ ખાધા હશે. ખાતા સમયે તમે પણ કહેતા હશો કે મજા આવી ગઈ. પરંતુ શું તમને ખબર છે કે એ બુઢ્ઢીના બાલ આપણા શરીર માટે કેટલુંક નુકસાનકારક સાબિત થઈ શકે છે. પરંતુ દેશના બે રાજ્યો એવા છે જેમણે કોટન કેન્ડી પર પ્રતિબંધ મૂકી દીધો છે. પ્રતિબંધ મૂકવા પાછળનું કારણ તમે જાણશો તો તમે પણ ચોંકી જશો. જ્યારે આ બુઢ્ઢીના વાળનું પરિક્ષણ કરવામાં આવ્યું ત્યારે બુઢ્ઢીના બાલ બનાવવા માટે કેમિકલ રોડામાઈનનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું. આ એટલા ખતરનાક પદાર્થ છે કે તેનાથી કેન્સર થવાનો ખતરો પણ છે!

Buddhi ke Baal | गुड़िया के बाल कैसे बनाते हैं जानें | Cotton candy  supplies, Cotton candy, Candy


કોટન કેન્ડીને જોતા ખાવા માટે મન લલચાઈ જાય છે!

અમુક વસ્તુઓ, ખાદ્ય પદાર્થો એવા હોય જેને જોઈ ખાવાની ઈચ્છા થઈ જતી હોય. અનેક એવી વસ્તુઓ હોય છે જે બહારની ખાઈએ તો જ મજા આવે. ઘરે બનાવીએ તો તેવી મજા ના આવે કારણ કે બહાર જેવો ટેસ્ટ ન આવે. એવી જ એક વસ્તુ છે બુઢ્ઢીના બાલ અથવા તો જેને કોટન કેન્ડી પણ કહેવામાં આવે છે. કોટન કેન્ડીને જોઈ અનેક લોકોનું મન લલચાઈ જતું હોય છે. તેનો આકાર, તેના ટેસ્ટને કારણે અનેક લોકો લલચાઈ જાય છે અને ખાઈ લેતા હોય છે પરંતુ દેખાવમાં સારા લાગ્તા બુઢ્ઢી કે બાલને કારણે મોટી બીમારી થઈ શકે છે. સ્વાસ્થય પર તની ગંભીર અસર પડી શકે છે તેવો અહેવાલ સામે આવ્યો છે. 

Sugar Cotton Candy Floss make in machine, buddhi ke baal, बुद्धि के बाल  video - YouTube

બુઢ્ઢી કા બાલ બનાવવામાં થાય છે આ વસ્તુનો ઉપયોગ!

મીડિયા રિપોર્ટ અનુસાર બુઢ્ઢીના બાલનું પરિક્ષણ તમિલનાડુમાં કરવામાં આવ્યું. કોટન કેન્ડીના કેટલાક સેમ્પલ ચેન્નાઈના મરિન બીચ પરથી લેવામાં આવ્યા હતા જે બાદ તેનું પરિક્ષણ તમિલનાડુ સરકારી લેબમાં કરાયું હતું. પરિક્ષણમાં જે રિપોર્ટ આવ્યો તે ચોંકાવનારો હતો. કોટન કેન્ડી બનાવવા માટે કાપડ તેમજ ચામડાને રંગવા માટે લેવામાં આવતા કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રોડામાઈન બી પણ મળી આવ્યો હતો. આવા હાનીકારક પદાર્થ કોટન કેન્ડીમાંથી મળી આવતા તમિલનાડુ સરકારે બુઠ્ઠીના બાલ પર પ્રતિબંધ મૂકી દીધો છે. મહત્વનું છે કે આની પહેલા કોટન કેન્ડી પર પુડુચેરીએ પ્રતિબંધ મૂકી દીધો છે. 



બે રાજ્યોએ તો પ્રતિબંધ મૂકી દીધો ત્યારે ગુજરાતમાં ક્યારે મૂકાશે પ્રતિબંધ?

સ્વાસ્થ્ય માટે ખરાબ હોય તો તે ખાદ્ય પદાર્થ પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. બે રાજ્યમાં તો કોટન કેન્ડી પર પ્રતિબંધ ફરમાવાઈ દેવાયો છે પરંતુ ગુજરાતમાં ક્યારે પ્રતિબંધ મૂકવામાં આવશે તે એક પ્રશ્ન છે. કારણ કે ગુજરાતમાં પણ અનેક સ્થળો પર કોટન કેન્ડી વેચવામાં આવતી હોય છે. ગુજરાતનું આરોગ્ય વિભાગ ક્યારે જાગશે એ એક પ્રશ્ન છે. કારણ કે કોટન કેન્ડી બનાવવાની પદ્ધતિ તો સરખી જ હોય છે. ગુજરાતમાં પણ રોડામાઈન બીનો ઉપયોગ કરી કોટન કેન્ડી બનતી હશે. ત્યારે જોવું રહ્યું કે ગુજરાતની સરકાર આની પર પ્રતિબંધ મૂકે છે કે પછી કોઈ દુર્ઘટના થાય તેની રાહ જોવે છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"