જો તમે પણ બુઢ્ઢી કે બાલ ખાવાના શોખીન હોવ તો ચેતી જજો! લેબ પરિક્ષણમાં આવ્યું ચોંકાવનારું પરિણામ કારણ કે આનું સેવન કરવાથી રહે છે કેન્સરનો ખતરો!


  • Published By :
  • Published Date : 2024-03-01 17:45:01

તમારાથી અનેક એવા લોકો હશે જેમણે નાનપણમાં બુઢ્ઢીના બાલ ખાધા હશે. ખાતા સમયે તમે પણ કહેતા હશો કે મજા આવી ગઈ. પરંતુ શું તમને ખબર છે કે એ બુઢ્ઢીના બાલ આપણા શરીર માટે કેટલુંક નુકસાનકારક સાબિત થઈ શકે છે. પરંતુ દેશના બે રાજ્યો એવા છે જેમણે કોટન કેન્ડી પર પ્રતિબંધ મૂકી દીધો છે. પ્રતિબંધ મૂકવા પાછળનું કારણ તમે જાણશો તો તમે પણ ચોંકી જશો. જ્યારે આ બુઢ્ઢીના વાળનું પરિક્ષણ કરવામાં આવ્યું ત્યારે બુઢ્ઢીના બાલ બનાવવા માટે કેમિકલ રોડામાઈનનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું. આ એટલા ખતરનાક પદાર્થ છે કે તેનાથી કેન્સર થવાનો ખતરો પણ છે!

Buddhi ke Baal | गुड़िया के बाल कैसे बनाते हैं जानें | Cotton candy  supplies, Cotton candy, Candy


કોટન કેન્ડીને જોતા ખાવા માટે મન લલચાઈ જાય છે!

અમુક વસ્તુઓ, ખાદ્ય પદાર્થો એવા હોય જેને જોઈ ખાવાની ઈચ્છા થઈ જતી હોય. અનેક એવી વસ્તુઓ હોય છે જે બહારની ખાઈએ તો જ મજા આવે. ઘરે બનાવીએ તો તેવી મજા ના આવે કારણ કે બહાર જેવો ટેસ્ટ ન આવે. એવી જ એક વસ્તુ છે બુઢ્ઢીના બાલ અથવા તો જેને કોટન કેન્ડી પણ કહેવામાં આવે છે. કોટન કેન્ડીને જોઈ અનેક લોકોનું મન લલચાઈ જતું હોય છે. તેનો આકાર, તેના ટેસ્ટને કારણે અનેક લોકો લલચાઈ જાય છે અને ખાઈ લેતા હોય છે પરંતુ દેખાવમાં સારા લાગ્તા બુઢ્ઢી કે બાલને કારણે મોટી બીમારી થઈ શકે છે. સ્વાસ્થય પર તની ગંભીર અસર પડી શકે છે તેવો અહેવાલ સામે આવ્યો છે. 

Sugar Cotton Candy Floss make in machine, buddhi ke baal, बुद्धि के बाल  video - YouTube

બુઢ્ઢી કા બાલ બનાવવામાં થાય છે આ વસ્તુનો ઉપયોગ!

મીડિયા રિપોર્ટ અનુસાર બુઢ્ઢીના બાલનું પરિક્ષણ તમિલનાડુમાં કરવામાં આવ્યું. કોટન કેન્ડીના કેટલાક સેમ્પલ ચેન્નાઈના મરિન બીચ પરથી લેવામાં આવ્યા હતા જે બાદ તેનું પરિક્ષણ તમિલનાડુ સરકારી લેબમાં કરાયું હતું. પરિક્ષણમાં જે રિપોર્ટ આવ્યો તે ચોંકાવનારો હતો. કોટન કેન્ડી બનાવવા માટે કાપડ તેમજ ચામડાને રંગવા માટે લેવામાં આવતા કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રોડામાઈન બી પણ મળી આવ્યો હતો. આવા હાનીકારક પદાર્થ કોટન કેન્ડીમાંથી મળી આવતા તમિલનાડુ સરકારે બુઠ્ઠીના બાલ પર પ્રતિબંધ મૂકી દીધો છે. મહત્વનું છે કે આની પહેલા કોટન કેન્ડી પર પુડુચેરીએ પ્રતિબંધ મૂકી દીધો છે. 



બે રાજ્યોએ તો પ્રતિબંધ મૂકી દીધો ત્યારે ગુજરાતમાં ક્યારે મૂકાશે પ્રતિબંધ?

સ્વાસ્થ્ય માટે ખરાબ હોય તો તે ખાદ્ય પદાર્થ પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. બે રાજ્યમાં તો કોટન કેન્ડી પર પ્રતિબંધ ફરમાવાઈ દેવાયો છે પરંતુ ગુજરાતમાં ક્યારે પ્રતિબંધ મૂકવામાં આવશે તે એક પ્રશ્ન છે. કારણ કે ગુજરાતમાં પણ અનેક સ્થળો પર કોટન કેન્ડી વેચવામાં આવતી હોય છે. ગુજરાતનું આરોગ્ય વિભાગ ક્યારે જાગશે એ એક પ્રશ્ન છે. કારણ કે કોટન કેન્ડી બનાવવાની પદ્ધતિ તો સરખી જ હોય છે. ગુજરાતમાં પણ રોડામાઈન બીનો ઉપયોગ કરી કોટન કેન્ડી બનતી હશે. ત્યારે જોવું રહ્યું કે ગુજરાતની સરકાર આની પર પ્રતિબંધ મૂકે છે કે પછી કોઈ દુર્ઘટના થાય તેની રાહ જોવે છે. 



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.