જો તમે પણ બુઢ્ઢી કે બાલ ખાવાના શોખીન હોવ તો ચેતી જજો! લેબ પરિક્ષણમાં આવ્યું ચોંકાવનારું પરિણામ કારણ કે આનું સેવન કરવાથી રહે છે કેન્સરનો ખતરો!


  • Published By :
  • Published Date : 2024-03-01 17:45:01

તમારાથી અનેક એવા લોકો હશે જેમણે નાનપણમાં બુઢ્ઢીના બાલ ખાધા હશે. ખાતા સમયે તમે પણ કહેતા હશો કે મજા આવી ગઈ. પરંતુ શું તમને ખબર છે કે એ બુઢ્ઢીના બાલ આપણા શરીર માટે કેટલુંક નુકસાનકારક સાબિત થઈ શકે છે. પરંતુ દેશના બે રાજ્યો એવા છે જેમણે કોટન કેન્ડી પર પ્રતિબંધ મૂકી દીધો છે. પ્રતિબંધ મૂકવા પાછળનું કારણ તમે જાણશો તો તમે પણ ચોંકી જશો. જ્યારે આ બુઢ્ઢીના વાળનું પરિક્ષણ કરવામાં આવ્યું ત્યારે બુઢ્ઢીના બાલ બનાવવા માટે કેમિકલ રોડામાઈનનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું. આ એટલા ખતરનાક પદાર્થ છે કે તેનાથી કેન્સર થવાનો ખતરો પણ છે!

Buddhi ke Baal | गुड़िया के बाल कैसे बनाते हैं जानें | Cotton candy  supplies, Cotton candy, Candy


કોટન કેન્ડીને જોતા ખાવા માટે મન લલચાઈ જાય છે!

અમુક વસ્તુઓ, ખાદ્ય પદાર્થો એવા હોય જેને જોઈ ખાવાની ઈચ્છા થઈ જતી હોય. અનેક એવી વસ્તુઓ હોય છે જે બહારની ખાઈએ તો જ મજા આવે. ઘરે બનાવીએ તો તેવી મજા ના આવે કારણ કે બહાર જેવો ટેસ્ટ ન આવે. એવી જ એક વસ્તુ છે બુઢ્ઢીના બાલ અથવા તો જેને કોટન કેન્ડી પણ કહેવામાં આવે છે. કોટન કેન્ડીને જોઈ અનેક લોકોનું મન લલચાઈ જતું હોય છે. તેનો આકાર, તેના ટેસ્ટને કારણે અનેક લોકો લલચાઈ જાય છે અને ખાઈ લેતા હોય છે પરંતુ દેખાવમાં સારા લાગ્તા બુઢ્ઢી કે બાલને કારણે મોટી બીમારી થઈ શકે છે. સ્વાસ્થય પર તની ગંભીર અસર પડી શકે છે તેવો અહેવાલ સામે આવ્યો છે. 

Sugar Cotton Candy Floss make in machine, buddhi ke baal, बुद्धि के बाल  video - YouTube

બુઢ્ઢી કા બાલ બનાવવામાં થાય છે આ વસ્તુનો ઉપયોગ!

મીડિયા રિપોર્ટ અનુસાર બુઢ્ઢીના બાલનું પરિક્ષણ તમિલનાડુમાં કરવામાં આવ્યું. કોટન કેન્ડીના કેટલાક સેમ્પલ ચેન્નાઈના મરિન બીચ પરથી લેવામાં આવ્યા હતા જે બાદ તેનું પરિક્ષણ તમિલનાડુ સરકારી લેબમાં કરાયું હતું. પરિક્ષણમાં જે રિપોર્ટ આવ્યો તે ચોંકાવનારો હતો. કોટન કેન્ડી બનાવવા માટે કાપડ તેમજ ચામડાને રંગવા માટે લેવામાં આવતા કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રોડામાઈન બી પણ મળી આવ્યો હતો. આવા હાનીકારક પદાર્થ કોટન કેન્ડીમાંથી મળી આવતા તમિલનાડુ સરકારે બુઠ્ઠીના બાલ પર પ્રતિબંધ મૂકી દીધો છે. મહત્વનું છે કે આની પહેલા કોટન કેન્ડી પર પુડુચેરીએ પ્રતિબંધ મૂકી દીધો છે. 



બે રાજ્યોએ તો પ્રતિબંધ મૂકી દીધો ત્યારે ગુજરાતમાં ક્યારે મૂકાશે પ્રતિબંધ?

સ્વાસ્થ્ય માટે ખરાબ હોય તો તે ખાદ્ય પદાર્થ પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. બે રાજ્યમાં તો કોટન કેન્ડી પર પ્રતિબંધ ફરમાવાઈ દેવાયો છે પરંતુ ગુજરાતમાં ક્યારે પ્રતિબંધ મૂકવામાં આવશે તે એક પ્રશ્ન છે. કારણ કે ગુજરાતમાં પણ અનેક સ્થળો પર કોટન કેન્ડી વેચવામાં આવતી હોય છે. ગુજરાતનું આરોગ્ય વિભાગ ક્યારે જાગશે એ એક પ્રશ્ન છે. કારણ કે કોટન કેન્ડી બનાવવાની પદ્ધતિ તો સરખી જ હોય છે. ગુજરાતમાં પણ રોડામાઈન બીનો ઉપયોગ કરી કોટન કેન્ડી બનતી હશે. ત્યારે જોવું રહ્યું કે ગુજરાતની સરકાર આની પર પ્રતિબંધ મૂકે છે કે પછી કોઈ દુર્ઘટના થાય તેની રાહ જોવે છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.