જો તમે પણ મચ્છર કોઈલ વાપરતા હોવ તો ચેતી જજો, દિલ્હીમાં મચ્છર કોઈલના ધૂમાડાને કારણે થયા 6 લોકોના મોત, કોઈલના કારણે થાય છે શરીરને નુકસાન!


  • Published By :
  • Published Date : 2023-03-31 16:01:18

મચ્છરથી બચવા અનેક લોકો મચ્છર કોઈલનો ઉપયોગ કરતા હોય છે. ઘણી બધી વખત કહેવામાં આવ્યું છે કે આ મચ્છર કોઈલનો ઉપયોગ ન કરવો જોઈએ પરંતુ તો પણ અનેક લોકો મચ્છર કોઈલનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આ મચ્છર કોઈલ જીવલેણ સાબિત થઈ શકે છે તેવી ઘટના દિલ્હીથી સામે આવી છે. દિલ્હીની શાસ્ત્રી પાર્ક વિસ્તારમાંથી છ લોકોની લાશ મળી આવી હતી.  

ઘરમાંથી મળી 6 લોકોની લાશ! 

દેશની રાજધાની દિલ્હીથી એવી ઘટના સામે આવી છે જેમાં 6 જેટલા લોકોના મોત થઈ ગયા છે. કારણ કે તેમણે ઉંઘતી વખતે મચ્છરને ભગાડવા વાળી કોઈલનો ઉપયોગ કર્યો હતો. અનેક વખત એવી ચેતવણી પણ આપવામાં આવતી હોય છે કે બંધ રૂમાં આવી કોઈલ સળગાવી ન જોઈએ. કોઈલ જીવલેણ સાબિત થઈ શકે છે. ત્યારે આવી જ ઘટના દિલ્હીમાં બની છે. જ્યાં 6 જેટલા લોકોના મોત કોઈલ લગાવવાને કારણે થયા છે. 

Burning Mosquito Coils Can Kill You. YES, It's True | Mosquito Coil: મચ્છર  મારવા કરો છો કોઈલનો ઉપયોગ, તો સાવધાન થઇ શકે છે ગંભીર બીમારી

મચ્છર અગરબતીને કારણે પડે છે શ્વાસ લેવામાં તકલીફ!

રિપોર્ટસ પ્રમાણે પરિવાર રાત્રે કોઈલ લગાવીને ઉંઘી ગયો હતો. મચ્છર ભગાડવાની કોઈલમાંથી અનેક એવા ખતરનાક તત્વો નીકળતા હોય છે જે ઘાતક સાબિત થતાં હોય છે. તેમાંથી ડીડીટી, કાર્બન ફોસ્ફોરસ સહિત અનેક તત્વો નીકળતા હોય છે શ્વાસ લેવામાં તકલીફ કરતા હોય છે. બંધ રૂમમાં કોઈલ હોવાને કારણે રૂમની અંદર ગેસ ભરાઈ ગયો. જેને કારણે ઉંઘતા લોકોને શ્વાસ લેવાની તકલીફ પડી હતી. રૂમમાં કાર્બન મોનોક્સાઈડથી ભરાઈ ગયો હતો. જેને કારણે ઓક્સિજનની કમી રૂમમાં પડી. 


નાનકડી બેદરકારી જીવલેણ થઈ શકે છે સાબિત

જો શરીરમાં આ ગેસ ભરાઈ જાય તો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. જેને કારણે મરવાની સંભાવનાઓ વધતી જણાય છે. એક રિચર્સમાં એવું પણ સામે આવ્યું છે મચ્છરની એક કોઈલ ફેફસાને બહું નુકસાન પહોંચાડે છે. કોઈલ દ્વારા થતું નુકસાન 100 સીગરેટમાં જેટલું નુકસાન થાય તેટલું હોય છે. ત્યારે મચ્છર કોઈલે પરિવારના સભ્યોનો ભોગ લીધો છે. મચ્છર કોઈલનો ઉપયોગ કરતા પહેલા ચેતવું જોઈએ કારણ કે તે જીવલેણ સાબિત થઈ શકે છે.    



હાલના સમયમાં યુદ્ધ ક્ષેત્રે ડ્રોનનું મહત્વ વધી ગયું છે. યુદ્ધ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગની શરૂઆત અમેરિકા દ્વારા કરવામાં આવી . અમેરિકાએ તેનો ઉપયોગ ઇરાક અને અફઘાનિસ્તાનમાં વ્યાપક રીતે કર્યો હતો . પરંતુ હવે આપણે ઓપરેશન સિંદૂર પછી જોયું કે પાકિસ્તાને આપણી પર ડ્રોનથી ઘણા હુમલા કર્યા છે . તો આજે આપણે સમજીશું ડ્રોનનું મહત્વ છે શું અને ભારત પાસે ક્યા ક્યા ડ્રોન્સ છે.

IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.