વર્તમાન સમયમાં યુદ્ધ ક્ષેત્રે ડ્રોનનું મહત્વ શું છે?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-11 12:04:19

હાલના સમયમાં યુદ્ધ ક્ષેત્રે ડ્રોનનું મહત્વ વધી ગયું છે.  યુદ્ધ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગની શરૂઆત અમેરિકા દ્વારા કરવામાં આવી . અમેરિકાએ તેનો ઉપયોગ ઇરાક અને અફઘાનિસ્તાનમાં વ્યાપક રીતે કર્યો હતો . પરંતુ હવે આપણે ઓપરેશન સિંદૂર પછી જોયું કે પાકિસ્તાને આપણી પર ડ્રોનથી ઘણા હુમલા કર્યા છે . તો આજે આપણે સમજીશું ડ્રોનનું મહત્વ છે શું  અને ભારત પાસે ક્યા ક્યા ડ્રોન્સ છે. 

The Israeli Edge': The weapons that gave India invisible dominance over  Pakistan

૨૦૧૯નું એ વર્ષ જયારે હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયામાં અરામ્કો કંપનીની ઘણી જગ્યાઓને ડ્રોન દ્વારા ટાર્ગેટ કરી હતી. આ પછી તો ૨૦૨૨ના રશિયા યુક્રેન યુદ્ધથી ડ્રોનનો વ્યાપક ઉપયોગ થયો છે. ડ્રોનનો ઉપયોગ મુખ્યત્વે ત્રણ હેતુ માટે થાય છે. ISR = ઇન્ટેલિજન્સ , સરવેઇલન્સ અને રિકનાઈસન્સ . હવે જાણીએ કે ભારત પાસે ક્યા ડ્રોન છે . હેરોન ડ્રોન જે ઇઝરાયેલના છે તેની લંબાઈ લગભગ ૧૬ મીટરની હોય છે. આ ડ્રોન ઓટોનોમસ નથી એટલેકે આપોઆપ નથી ચાલતા તેનું સંચાલન એક પાયલટ દ્વારા થાય છે.  આ ડ્રોન ભારત દ્વારા ૨૦૧૧માં ઇઝરાયેલ પાસેથી ખરીદવામાં આવ્યા હતા.  મુખ્યત્વે આ ડ્રોનનું કામ  સર્વેલન્સનું હોય છે. આપને જણાવી દયિકે આ ડ્રોનસ ક્યારેય પોતાની સરહદ ક્રોસ નથી કરતા પરંતુ આપણી LOC અને આતરરાષ્ટ્રીય સરહદમાં રહીને જ સર્વેલન્સ એટલેકે દુશ્મનની દરેક ગતિવિધિઓ પર નજર રાખે છે. 

Searcher II

બીજા નંબરે આવે છે સર્ચર ડ્રોન જે , આપણે તેને હેરોન ડ્રોનના નાનાં ભાઈ તરીકે ગણી શકીએ છીએ. તેની કેપેસીટી હેરોન કરતા ઓછી છે.  આ પછી આવે છે હેરૉપ ડ્રોન . ભારતે સાતમી અને આઠમીની રાતે પાકિસ્તાનને જે ભયંકર નુકશાન પહોંચાડ્યું તે આ ડ્રોન થકી જ પહોંચાડ્યું છે.  તેને પણ ઇઝરાયેલ દ્વારા ડેવલપ કરાયા છે. આ એક સુસાઇડ ડ્રોન છે. સાથે જ લોઈટરિંગ ડ્રોન છે એટલેકે , પોતાના ટાર્ગેટની પાસે જતા પેહલા લગભગ ૯ કલાક સુધી હવા માં જ રહી શકે છે. આટલુંજ નહિ ભારતે કેટલાક પોતાના બનાવેલા આત્મનિર્ભર ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે જેનાથી પાકિસ્તાનને ખુબ મોટું નુકશાન થયું છે. 

વાત કરીએ પાકિસ્તાનની તો પાકિસ્તાને સ્વાર્મ ઓફ ડ્રોન્સનો ઉપયોગ કર્યો છે જે મધમાખીઓના ઝૂંડની જેમ અટેક કરે છે. આ પછી ભારતે કાઇનેટિક એટલેકે , મિસાઈલની રીતે અને નોન કાઇનેટિક એટલેકે જામર્સનો ઉપયોગ કરીને તેને પરાસ્ત કર્યા છે.



આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.

થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી

૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .