વર્તમાન સમયમાં યુદ્ધ ક્ષેત્રે ડ્રોનનું મહત્વ શું છે?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-11 12:04:19

હાલના સમયમાં યુદ્ધ ક્ષેત્રે ડ્રોનનું મહત્વ વધી ગયું છે.  યુદ્ધ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગની શરૂઆત અમેરિકા દ્વારા કરવામાં આવી . અમેરિકાએ તેનો ઉપયોગ ઇરાક અને અફઘાનિસ્તાનમાં વ્યાપક રીતે કર્યો હતો . પરંતુ હવે આપણે ઓપરેશન સિંદૂર પછી જોયું કે પાકિસ્તાને આપણી પર ડ્રોનથી ઘણા હુમલા કર્યા છે . તો આજે આપણે સમજીશું ડ્રોનનું મહત્વ છે શું  અને ભારત પાસે ક્યા ક્યા ડ્રોન્સ છે. 

The Israeli Edge': The weapons that gave India invisible dominance over  Pakistan

૨૦૧૯નું એ વર્ષ જયારે હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયામાં અરામ્કો કંપનીની ઘણી જગ્યાઓને ડ્રોન દ્વારા ટાર્ગેટ કરી હતી. આ પછી તો ૨૦૨૨ના રશિયા યુક્રેન યુદ્ધથી ડ્રોનનો વ્યાપક ઉપયોગ થયો છે. ડ્રોનનો ઉપયોગ મુખ્યત્વે ત્રણ હેતુ માટે થાય છે. ISR = ઇન્ટેલિજન્સ , સરવેઇલન્સ અને રિકનાઈસન્સ . હવે જાણીએ કે ભારત પાસે ક્યા ડ્રોન છે . હેરોન ડ્રોન જે ઇઝરાયેલના છે તેની લંબાઈ લગભગ ૧૬ મીટરની હોય છે. આ ડ્રોન ઓટોનોમસ નથી એટલેકે આપોઆપ નથી ચાલતા તેનું સંચાલન એક પાયલટ દ્વારા થાય છે.  આ ડ્રોન ભારત દ્વારા ૨૦૧૧માં ઇઝરાયેલ પાસેથી ખરીદવામાં આવ્યા હતા.  મુખ્યત્વે આ ડ્રોનનું કામ  સર્વેલન્સનું હોય છે. આપને જણાવી દયિકે આ ડ્રોનસ ક્યારેય પોતાની સરહદ ક્રોસ નથી કરતા પરંતુ આપણી LOC અને આતરરાષ્ટ્રીય સરહદમાં રહીને જ સર્વેલન્સ એટલેકે દુશ્મનની દરેક ગતિવિધિઓ પર નજર રાખે છે. 

Searcher II

બીજા નંબરે આવે છે સર્ચર ડ્રોન જે , આપણે તેને હેરોન ડ્રોનના નાનાં ભાઈ તરીકે ગણી શકીએ છીએ. તેની કેપેસીટી હેરોન કરતા ઓછી છે.  આ પછી આવે છે હેરૉપ ડ્રોન . ભારતે સાતમી અને આઠમીની રાતે પાકિસ્તાનને જે ભયંકર નુકશાન પહોંચાડ્યું તે આ ડ્રોન થકી જ પહોંચાડ્યું છે.  તેને પણ ઇઝરાયેલ દ્વારા ડેવલપ કરાયા છે. આ એક સુસાઇડ ડ્રોન છે. સાથે જ લોઈટરિંગ ડ્રોન છે એટલેકે , પોતાના ટાર્ગેટની પાસે જતા પેહલા લગભગ ૯ કલાક સુધી હવા માં જ રહી શકે છે. આટલુંજ નહિ ભારતે કેટલાક પોતાના બનાવેલા આત્મનિર્ભર ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે જેનાથી પાકિસ્તાનને ખુબ મોટું નુકશાન થયું છે. 

વાત કરીએ પાકિસ્તાનની તો પાકિસ્તાને સ્વાર્મ ઓફ ડ્રોન્સનો ઉપયોગ કર્યો છે જે મધમાખીઓના ઝૂંડની જેમ અટેક કરે છે. આ પછી ભારતે કાઇનેટિક એટલેકે , મિસાઈલની રીતે અને નોન કાઇનેટિક એટલેકે જામર્સનો ઉપયોગ કરીને તેને પરાસ્ત કર્યા છે.



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.