વર્તમાન સમયમાં યુદ્ધ ક્ષેત્રે ડ્રોનનું મહત્વ શું છે?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-05-11 12:04:19

હાલના સમયમાં યુદ્ધ ક્ષેત્રે ડ્રોનનું મહત્વ વધી ગયું છે.  યુદ્ધ ક્ષેત્રે ડ્રોનના ઉપયોગની શરૂઆત અમેરિકા દ્વારા કરવામાં આવી . અમેરિકાએ તેનો ઉપયોગ ઇરાક અને અફઘાનિસ્તાનમાં વ્યાપક રીતે કર્યો હતો . પરંતુ હવે આપણે ઓપરેશન સિંદૂર પછી જોયું કે પાકિસ્તાને આપણી પર ડ્રોનથી ઘણા હુમલા કર્યા છે . તો આજે આપણે સમજીશું ડ્રોનનું મહત્વ છે શું  અને ભારત પાસે ક્યા ક્યા ડ્રોન્સ છે. 

The Israeli Edge': The weapons that gave India invisible dominance over  Pakistan

૨૦૧૯નું એ વર્ષ જયારે હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયામાં અરામ્કો કંપનીની ઘણી જગ્યાઓને ડ્રોન દ્વારા ટાર્ગેટ કરી હતી. આ પછી તો ૨૦૨૨ના રશિયા યુક્રેન યુદ્ધથી ડ્રોનનો વ્યાપક ઉપયોગ થયો છે. ડ્રોનનો ઉપયોગ મુખ્યત્વે ત્રણ હેતુ માટે થાય છે. ISR = ઇન્ટેલિજન્સ , સરવેઇલન્સ અને રિકનાઈસન્સ . હવે જાણીએ કે ભારત પાસે ક્યા ડ્રોન છે . હેરોન ડ્રોન જે ઇઝરાયેલના છે તેની લંબાઈ લગભગ ૧૬ મીટરની હોય છે. આ ડ્રોન ઓટોનોમસ નથી એટલેકે આપોઆપ નથી ચાલતા તેનું સંચાલન એક પાયલટ દ્વારા થાય છે.  આ ડ્રોન ભારત દ્વારા ૨૦૧૧માં ઇઝરાયેલ પાસેથી ખરીદવામાં આવ્યા હતા.  મુખ્યત્વે આ ડ્રોનનું કામ  સર્વેલન્સનું હોય છે. આપને જણાવી દયિકે આ ડ્રોનસ ક્યારેય પોતાની સરહદ ક્રોસ નથી કરતા પરંતુ આપણી LOC અને આતરરાષ્ટ્રીય સરહદમાં રહીને જ સર્વેલન્સ એટલેકે દુશ્મનની દરેક ગતિવિધિઓ પર નજર રાખે છે. 

Searcher II

બીજા નંબરે આવે છે સર્ચર ડ્રોન જે , આપણે તેને હેરોન ડ્રોનના નાનાં ભાઈ તરીકે ગણી શકીએ છીએ. તેની કેપેસીટી હેરોન કરતા ઓછી છે.  આ પછી આવે છે હેરૉપ ડ્રોન . ભારતે સાતમી અને આઠમીની રાતે પાકિસ્તાનને જે ભયંકર નુકશાન પહોંચાડ્યું તે આ ડ્રોન થકી જ પહોંચાડ્યું છે.  તેને પણ ઇઝરાયેલ દ્વારા ડેવલપ કરાયા છે. આ એક સુસાઇડ ડ્રોન છે. સાથે જ લોઈટરિંગ ડ્રોન છે એટલેકે , પોતાના ટાર્ગેટની પાસે જતા પેહલા લગભગ ૯ કલાક સુધી હવા માં જ રહી શકે છે. આટલુંજ નહિ ભારતે કેટલાક પોતાના બનાવેલા આત્મનિર્ભર ડ્રોનનો પણ ઉપયોગ કર્યો છે જેનાથી પાકિસ્તાનને ખુબ મોટું નુકશાન થયું છે. 

વાત કરીએ પાકિસ્તાનની તો પાકિસ્તાને સ્વાર્મ ઓફ ડ્રોન્સનો ઉપયોગ કર્યો છે જે મધમાખીઓના ઝૂંડની જેમ અટેક કરે છે. આ પછી ભારતે કાઇનેટિક એટલેકે , મિસાઈલની રીતે અને નોન કાઇનેટિક એટલેકે જામર્સનો ઉપયોગ કરીને તેને પરાસ્ત કર્યા છે.



ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ રશિયાની મુલાકાતે છે. જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સહીત રશિયન સિક્યોરિટી સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ" રૂપી ટેરરિઝમની સામે ભારત અને રશિયા પોતાનો સહયોગ વધારવા જઈ રહ્યા છે . સાથે જ અજિત ડોભાલની આ મુલાકાતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવવાના છે તેને લઇને તારીખો પર પણ ચર્ચા થઇ છે .

ગોંડલના અનિરુદ્ધસિંહ રીબડા જેમની સજા માફી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારનો ઉઘાડો લીધો છે. ગુજરાત સરકારે , ૨૦૧૮માં અનિરુદ્ધસિંહ રીબડાને કોંગ્રેસના પૂર્વ MLA પોપટભાઈ સોરઠિયાની ૧૯૮૮માં જે હત્યા કરવામાં આવી તે કેસમાં માફી આપી હતી . તો હવે આ સજા માફીને પડકારતી પિટિશન સ્વ. પોપટભાઈ સોરઠિયાના પૌત્ર ધ્વરા હાઇકોર્ટમાં કરવામાં આવી હતી . આ મામલે ગુજરાત હાઇકોર્ટે સરકારના સત્તાધીશોની સાથે જેલના સત્તાધીશોને સવાલો પૂછ્યા છે. તો હવે પ્રશ્ન થાય છે કે , અનિરુદ્ધસિંહ રીબડા આ કેસમાં ફરીથી જેલમાં જશે?

જયારે પત્રકારે ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે , ભારત કહે છે કે અમેરિકા રશિયા પાસેથી યુરેનિયમ , ખાતર અને કેમિકલની આયાત કરે છે જયારે તમે ભારતની રશિયન ક્રૂડ ઓઈલની આયાતની નિંદા કરો છો તો તમે શું કહેશો? ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પએ જવાબ આપ્યો કે , હું આ વિશે કશું જ જાણતો નથી. તો હવે ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નેતા નીક્કી હેલી હેલીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખ્યું છે કે અમેરિકાએ ભારત સાથે સબંધો બગાડવા ના જોઈએ .

થોડાક સમય પેહલા સુપ્રીમ કોર્ટે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને ફટકાર લગાવી હતી. કેમ કે , લોકસભાની ૨૦૨૪ની ચૂંટણીઓ પહેલા ભારત જોડો યાત્રા દરમ્યાન રાહુલ ગાંધીએ ભારતની સેનાને લઇને ટિપ્પણીઓ કરી હતી , જેને કારણે સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને ફટકાર લગાવતા કહ્યું હતું કે , "જો તમે સાચા ભારતીય હોત તો તમે આવું ના કરત." તો હવે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પર વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટ વિશે કહ્યું છે કે , "કોણ સાચું ભારતીય છે , કોણ નથી એ ન્યાયપાલિકાના દાયરામાં નથી. જજ નક્કી ના કરી શકે." આમ પ્રિયંકા ગાંધીએ સુપ્રીમ કોર્ટની ટિપ્પણીનો જવાબ આપ્યો છે.