વાહન ચલાવતી વખતે જો તમે સીટ બેલ્ટ અથવા તો હેલ્મેટ નથી પહેરતા તો આજથી પહેરવાનું શરૂ કરી દો કારણ કે વર્ષ 2022માં આટલા લોકોએ જીવ ગુમાવ્યો છે..!


  • Published By :
  • Published Date : 2023-11-01 09:25:19

આપણામાંથી અનેક લોકો અથવા તો મુખ્યત્વે લોકો એવા હશે જે ગાડી ચલાવતી વખતે સિટ બેલ્ટ નહીં પહેરતા હોય અથવા તો ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ નહીં પહેરતા હોય. હેલ્મેટ કે સીટ બેલ્ટ ન પહેરતી વખતે આપણને માત્ર પોલીસનો ડર લાગે છે પરંતુ આપણે આપણા જીવનને ભૂલી જઈએ છીએ. આવી વાતો એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયનો અહેવાલ બહાર આવ્યો છે જેમાં એવી માહિતી આપવામાં આવી છે કે વર્ષ 2022માં સીટ બેલ્ટ ન પહેરવાને કારણે 16715 જેટલા લોકોના મોત થયા છે જ્યારે હેલ્મેટ ન પહેરવાને કારણે 50029 જેટલા લોકોના મોત થયા છે. 


વાહન ચલાવતી વખતે સીટ બેલ્ટ/ હેલ્મેટ પહેરવું જોઈએ... 

આપણે ત્યાં કાયદો છે કે ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું જોઈએ જ્યારે ફોર વ્હીલર ચલાવતી વખતે સીટ બેલ્ટ બાંધવો જોઈએ. ન કેવલ ડ્રાઈવરે પરંતુ બાજુમાં બેઠેલા વ્યક્તિને પણ સીટ બેલ્ટ પહેરવો જોઈએ. હેલ્મેટ અથવા તો સીટ બેલ્ટ ન પહેરતી વખતે કદાચ આપણને પોલીસનો અથવા તો મેમોનો ડર લાગતો હશે પરંતુ આપણે વિચારીએ છીએ કે પોલીસ પકડશે ત્યારે જોયું જશે.. 


હેલ્મેટ ન પહેરવાને કારણે જીવન મૂકાય છે સંકટમાં 

સામાન્ય રીતે એવું પણ માનતા હોઈએ છીએ કે થોડા પૈસા આપીશુને એટલે આપણે છુટી જઈશું વગેરે.... વગેરે.... આવું જ્યારે આપણે વિચારીએ છીએ ત્યારે આપણે આપણા જીવન પર કેટલું સંકટ તોડાયેલું છે એ ભૂલી જઈએ છીએ. રસ્તા પર અનેક લોકો એવા મળશે જે હેલ્મેટ વગરના જોવા મળશે. એવી પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે કે જો કોઈ વ્યક્તિ હેલ્મેટ પહેરેલો દેખાય છે તો કદાચ આશ્ચર્ય થાય છે. 


અકસ્માત કોઈની સાથે પણ સર્જાઈ શકે છે 

વાહન ચલાવતી વખતે વાહનચાલકને સેફ્ટી મળી રહે તે માટે હેલ્મેટ  અને સીટ બેલ્ટ પહેરવા જોઈએ. જો અકસ્માત થાય તો બચવાના ચાન્સીસ રહે તે માટે મુખ્યત્વે હેલ્મેટ અથવા તો સીટ બેલ્ટ પહેરવો જોઈએ. પરંતુ અનેક લોકો નથી પહેરતા. તેમને લાગે છે કે અમારો થોડી અકસ્માત થવાનો છે. અનેક લોકો આવા ભ્રમમાં રહેતા હોય છે પરંતુ તે ભૂલી જાય છે કે અકસ્માત કોઈની સાથે પણ સર્જાઈ શકે છે. એ કોઈમાં તમારો પણ સમાવેશ હોઈ શકે છે. 


આ આંકડો ચોંકાવનારો છે...

હેલ્મેટ અને સીટ બેલ્ટની વાત આજે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના આંકડા જે સામે આવ્યા છે તે ચોંકાવનારા છે.. અહેવાલ અનુસાર વર્ષ 2022માં હેલ્મેટ ન પહેરવાને કારણે 50,029 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે સીટ બેલ્ટ ન પહેરવાને કારણે 16715 જેટલા લોકોના મોત થયા છે. સીટ બેલ્ટ ન પહેરવાને કારણે 8384 ડ્રાઈવરોના મોત થયા છે જ્યારે 8331  પેસેન્જરોના મોત થયા છે. તે ઉપરાંત અનેક અકસ્માતો વાહન સ્પીડમાં હોવાને કારણે થયા છે જ્યારે અનેક અકસ્માતો રોંગ સાઈડ પર આવતા વાહનોને કારણે પણ થયા છે. 


પરિવાર માટે આપણે સર્વસ્વ હોઈએ છીએ... 

આ આંકડા ડરાવવા માટે નથી પરંતુ જાગૃત કરવા માટે છે. અકસ્માત કોઈની સાથે પણ ક્યારે પણ સર્જાઈ શકે છે. આ લાઈન વાંચીને તમે કહેશો કે જે થવાનું છે તો થઈને રહેવાનું છે...! વાત પણ સાચી છે પરંતુ જો તમે સેફ્ટી રાખી હશે તો તમારો જીવ બચી શકે છે. હેલ્મેટ અથવા તો સીટ બેલ્ટ આપણી સેફ્ટી માટે છે ન કે બીજાની સેફ્ટી માટે એ વાત આપણે ન ભૂલવી જોઈએ... આપણને ભલે કદાચ આપણો જીવ વ્હાલો નહીં હોય પરંતુ પરિવાર માટે આપણે સર્વસ્વ હોઈએ છીએ.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે