'સનાતન પર હુમલા કરશો તો આવું જ પરિણામ ભોગવવું પડશે' ચૂંટણી પરિણામો પર વેંકટેશ પ્રસાદનું નિવેદન વાયરલ


  • Published By :
  • Published Date : 2023-12-04 13:26:24

મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો લગભગ સ્પષ્ટ છે. તેલંગાણાને બાદ કરતાં બીજેપીને અન્ય ત્રણ રાજ્યોમાં સફળતા મળી છે જ્યારે અને અન્ય તમામ રાજ્યોમાં કોંગ્રેસને નિરાશા જોવા મળી છે. વલણો અનુસાર, ભાજપને ત્રણેય રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં બહુમતી મળી છે. આવી સ્થિતિમાં ચારે બાજુથી આ પરિણામો પર લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વેંકટેશ પ્રસાદે પણ એવું નિવેદન આપ્યું છે જેનાથી વિપક્ષી પાર્ટીઓ નારાજ થઈ શકે છે.


વેંકટેશ પ્રસાદે શું ટ્વીટ કર્યું?


ભૂતપૂર્વ ક્રિકેટર વેંકટેશ પ્રસાદે સનાતન ધર્મ વિરુદ્ધ સ્ટેટમેન્ટ્સના વિવાદનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર કટાક્ષ કર્યો હતો. વેંકટેશ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું હતું કે ‘સનાતન ધર્મ વિશે ઘસાતું બોલવાથી એનાં ખરાબ પરિણામો તો ભોગવવાં જ પડે. ભવ્ય જીત માટે બીજેપીને ખૂબ અભિનંદન. આ જીત પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહની અમેઝિંગ લીડરશિપ અને ગ્રાસરૂટ લેવલે પાર્ટીના કૅડર્સની ગ્રેટ કામગીરીનો વધુ એક પુરાવો છે.’


ઉદયનિધીએ કરી હતી કમેન્ટ્સ


ઉલ્લેખનિય છે કે તામિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટૅલિનના દીકરા ઉદયનિધિએ સનાતન ધર્મ બાબતે વાંધાજનક કમેન્ટ્સ કરી હતી, જેના પછી ખૂબ વિવાદ થયો હતો. એ સમયે કોંગ્રેસ શરૂઆતમાં આ મામલે મૌન રહી હતી, જ્યારે બીજેપીએ ઉદયનિધિનાં સ્ટેટમેન્ટ્સની તેમ જ મૌન રહેવા બદલ કોંગ્રેસની આકરી ટીકા કરી હતી.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.