મોતનો મલાજો ન જાળવી શકો તો કંઈ નહીં પણ મહેરબાની કરીને મોતનો તમાશો ન કરો - કોંગ્રેસ


  • Published By :
  • Published Date : 2022-11-01 10:52:37

રવિવારની સાંજે મોરબીમાં બનેલી દુર્ઘટના પર તમામ રાજકીય પાર્ટીઓએ શોક વ્યક્ત કર્યો હતો. આ ઘટના પર પાર્ટીઓએ રાજકારણ કરવાની ના પાડી હતી. આ ઘટના પર રાજકારણ કર્યું પણ ન હતું. પરંતુ મોરબીથી એક વીડિયો સામે આવતા પાર્ટીઓ રાજકારણ કરી રહી છે. આ વીડિયો છે મોરબી સિવિલ હોસ્પિટલનો. હોસ્પિટલને વડાપ્રધાનના આગમન પહેલા રંગીન કરવામાં આવી હતી. આ વીડિયો પર રાજકારણ શરૂ થઈ ગયું છે. આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસે પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે.

  

મોતનો તમાશો ન બનાવો - કોંગ્રેસ

મોરબીની ઘટના બાદ દરેક પાર્ટીએ કાર્યક્રમ રદ્દ કરી દીધા હતા. તમામ પાર્ટીએ પોતાની સહાનુભુતિ વ્યક્ત કરી હતી. ત્યારે સિવિલ હોસ્પિટલનો વીડિયો સામે આવતા કોંગ્રેસે આનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસે ટ્વિટ કરતા લખ્યું કે એક બાજુ પરિવારોના જીવનના રંગ ભૂંસાઈ ગયા ત્યારે વડાપ્રધાનની મુલાકાતને લઈ સિવિલ હોસ્પિટલમાં રાતોરાત કલરકામ અને રીનોવેશન ચાલું કરવામાં આવ્યું. શું ખરેખર દર્દીની ખબર પૂછવા આવો છો???


આવા વ્યવહારની શું લોકોએ રાખી હશે આશા??? 

તંત્રની આવી કામગીરી પર સવાલ ઉઠવા વ્યાજબી છે. એક તરફ લોકોએ જ્યાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે આવી ઘટના બાદ તંત્ર દ્વારા આવા વ્યવહારની અપેક્ષા કોઈએ ન રાખી હોય. તંત્ર હોનારતને તો ન રોકી શક્યું પરંતુ દુ:ખમાં સહભાગી થાય તેવી આશા તો સૌ રાખે છે. જે પરિવારે પોતાના સભ્યને ગુમાવ્યો હશે, તે જો આ દ્રશ્ય જુવે તો તેના દિલમાંથી કેટલી હાય નીકળતી હશે. તેને કેટલુ દુખ થાય તેની કલ્પના આપણે ન કરી શકીએ.   



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે