મોતનો મલાજો ન જાળવી શકો તો કંઈ નહીં પણ મહેરબાની કરીને મોતનો તમાશો ન કરો - કોંગ્રેસ


  • Published By :
  • Published Date : 2022-11-01 10:52:37

રવિવારની સાંજે મોરબીમાં બનેલી દુર્ઘટના પર તમામ રાજકીય પાર્ટીઓએ શોક વ્યક્ત કર્યો હતો. આ ઘટના પર પાર્ટીઓએ રાજકારણ કરવાની ના પાડી હતી. આ ઘટના પર રાજકારણ કર્યું પણ ન હતું. પરંતુ મોરબીથી એક વીડિયો સામે આવતા પાર્ટીઓ રાજકારણ કરી રહી છે. આ વીડિયો છે મોરબી સિવિલ હોસ્પિટલનો. હોસ્પિટલને વડાપ્રધાનના આગમન પહેલા રંગીન કરવામાં આવી હતી. આ વીડિયો પર રાજકારણ શરૂ થઈ ગયું છે. આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસે પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે.

  

મોતનો તમાશો ન બનાવો - કોંગ્રેસ

મોરબીની ઘટના બાદ દરેક પાર્ટીએ કાર્યક્રમ રદ્દ કરી દીધા હતા. તમામ પાર્ટીએ પોતાની સહાનુભુતિ વ્યક્ત કરી હતી. ત્યારે સિવિલ હોસ્પિટલનો વીડિયો સામે આવતા કોંગ્રેસે આનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસે ટ્વિટ કરતા લખ્યું કે એક બાજુ પરિવારોના જીવનના રંગ ભૂંસાઈ ગયા ત્યારે વડાપ્રધાનની મુલાકાતને લઈ સિવિલ હોસ્પિટલમાં રાતોરાત કલરકામ અને રીનોવેશન ચાલું કરવામાં આવ્યું. શું ખરેખર દર્દીની ખબર પૂછવા આવો છો???


આવા વ્યવહારની શું લોકોએ રાખી હશે આશા??? 

તંત્રની આવી કામગીરી પર સવાલ ઉઠવા વ્યાજબી છે. એક તરફ લોકોએ જ્યાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે આવી ઘટના બાદ તંત્ર દ્વારા આવા વ્યવહારની અપેક્ષા કોઈએ ન રાખી હોય. તંત્ર હોનારતને તો ન રોકી શક્યું પરંતુ દુ:ખમાં સહભાગી થાય તેવી આશા તો સૌ રાખે છે. જે પરિવારે પોતાના સભ્યને ગુમાવ્યો હશે, તે જો આ દ્રશ્ય જુવે તો તેના દિલમાંથી કેટલી હાય નીકળતી હશે. તેને કેટલુ દુખ થાય તેની કલ્પના આપણે ન કરી શકીએ.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.