મોતનો મલાજો ન જાળવી શકો તો કંઈ નહીં પણ મહેરબાની કરીને મોતનો તમાશો ન કરો - કોંગ્રેસ


  • Published By :
  • Published Date : 2022-11-01 10:52:37

રવિવારની સાંજે મોરબીમાં બનેલી દુર્ઘટના પર તમામ રાજકીય પાર્ટીઓએ શોક વ્યક્ત કર્યો હતો. આ ઘટના પર પાર્ટીઓએ રાજકારણ કરવાની ના પાડી હતી. આ ઘટના પર રાજકારણ કર્યું પણ ન હતું. પરંતુ મોરબીથી એક વીડિયો સામે આવતા પાર્ટીઓ રાજકારણ કરી રહી છે. આ વીડિયો છે મોરબી સિવિલ હોસ્પિટલનો. હોસ્પિટલને વડાપ્રધાનના આગમન પહેલા રંગીન કરવામાં આવી હતી. આ વીડિયો પર રાજકારણ શરૂ થઈ ગયું છે. આમ આદમી પાર્ટી બાદ કોંગ્રેસે પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે.

  

મોતનો તમાશો ન બનાવો - કોંગ્રેસ

મોરબીની ઘટના બાદ દરેક પાર્ટીએ કાર્યક્રમ રદ્દ કરી દીધા હતા. તમામ પાર્ટીએ પોતાની સહાનુભુતિ વ્યક્ત કરી હતી. ત્યારે સિવિલ હોસ્પિટલનો વીડિયો સામે આવતા કોંગ્રેસે આનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસે ટ્વિટ કરતા લખ્યું કે એક બાજુ પરિવારોના જીવનના રંગ ભૂંસાઈ ગયા ત્યારે વડાપ્રધાનની મુલાકાતને લઈ સિવિલ હોસ્પિટલમાં રાતોરાત કલરકામ અને રીનોવેશન ચાલું કરવામાં આવ્યું. શું ખરેખર દર્દીની ખબર પૂછવા આવો છો???


આવા વ્યવહારની શું લોકોએ રાખી હશે આશા??? 

તંત્રની આવી કામગીરી પર સવાલ ઉઠવા વ્યાજબી છે. એક તરફ લોકોએ જ્યાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે આવી ઘટના બાદ તંત્ર દ્વારા આવા વ્યવહારની અપેક્ષા કોઈએ ન રાખી હોય. તંત્ર હોનારતને તો ન રોકી શક્યું પરંતુ દુ:ખમાં સહભાગી થાય તેવી આશા તો સૌ રાખે છે. જે પરિવારે પોતાના સભ્યને ગુમાવ્યો હશે, તે જો આ દ્રશ્ય જુવે તો તેના દિલમાંથી કેટલી હાય નીકળતી હશે. તેને કેટલુ દુખ થાય તેની કલ્પના આપણે ન કરી શકીએ.   



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.