પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નહી કરો તો પડી શકે છે આ મુશ્કેલીઓ! જાણો કેમ વસૂલાઈ રહ્યો છે 1000રુ. નો ચાર્જ!


  • Published By :
  • Published Date : 2023-03-17 19:26:39

છેલ્લાં કેટલાંય દિવસથી પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવવું હોય તો 1000 રુપિયા આપવા પડે છે, ત્યારે એ મુદ્દે ઘણું ક્નફ્યુઝન છે, કે આખરે આ મુદ્દો શું છે?                          

હકીકતમાં બાબત એવી છે કે ભારતના ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એ જાહેરાત કરી હતી કે તમારે પાનકાર્ડને અને આધારકાર્ડ સાથે ફરિજીયાત લિંક કરવું પડશે અને તે માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2022, રાખવામાં આવી હતી, અને જો તે પછી કોઈ પાનને આધાર સાથે લિંક નથી કરાવતા, તો તેમને પેનેલ્ટી ચૂકવીને બંને કાર્ડને લિંક કરાવવા પડશે. અને તે માટે જૂન 2022 સુધી 500 રુપિયા પેનેલ્ટી રાખવામાં આવી હતી, અને જુલાઈ 2022 થી માર્ચ 2023 સુધી આ પેનેલ્ટીને 500થી વધારીને 1000 રુપિયા કરવામાં આવી. અને તેને લીધે જ હાલ આધારકાર્ડને પાનકાર્ડ સાથે લિંક કરવા માટે 1000 રુપિયાનો ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે.

1000 રુ. પેનેલ્ટી હોવાથી લોકોને આર્થિક ફટકો

એટલે જે લોકોને એ લાગતું હતું કે આ 1000 રુપિયા જેટલી રકમ તેમની પાસેથી વસુલાય છે, તે એક પ્રકારનો ફ્રોડ છે, પણ તેવું જરાય નથી. એ સરકારનો જ આદેશ છે અને કર્મચારીઓ એ આદેશ પર જ કામ કરી રહ્યાં છે, હવે આમા, બીજા પ્રશ્નો પણ ઉભા થઈ રહ્યાં છે, કે સરકાર આની પર સમાન્ય પેનેલ્ટી પણ રાખી શકતી હતી ને ? કેમ કે કોઈ સામાન્ય માણસ માટે 1000 રુપિયા નીકળવા એ કંઈ સહેલી વાત નથી, કારણ કે રોજ કમાવીને રોજનું ખાનારો માણસ તો 1000 રુપિયા એક ઝાટકે આપી દે છે તો કદાચ 10 દિવસ તેના ઘરમાં તેનો ચૂલો નહી સળગે..એટલે આવા ગંભીર પ્રશ્નો તો સરકારને પૂછવા જ પડે. આ સિવાય વધુ એક સવાલ નાગરિકોને પણ થાય કે સરકાર પણ તો કેટલાંય વર્ષોથી બૂમો પાડીને થાકી ગઈ પણ આપણે એ તસ્દી ક્યારેય નથી લીધી અને એના કારણે જ હાલ આ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. 

જો પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવામાં નહીં આવે તો શું થશે? 

હવે વાત કરીએ કે જો 31 માર્ચ 2023 પછી પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નહીં કરવામાં આવે તો શું થશે…તો જો એવું નહીં કરવામાં આવે તો તમારું પાનકાર્ડ નિષ્ક્રિય એટલે કે ડિફોલ્ટ થઈ જશે, પછી એ પાનકાર્ડનો ઉપયોગ તમે ઈન્કમટેક્સને લગતા કોઈ કામ માટે નહીં કરી શકો.,અને એટલું જ નહીં જો પાનને આધારસાથે લિંક કરવામાં નહીં આવે તો તમે ઈન્ક્મટેક્સ રિર્ટન પણ ફાઈલ નહીં કરી શકો અને અત્યારસુધી જે રિર્ટનને તમે ફાઈલ કર્યા છે, તેનું રિફંડ પણ તમને મળશે નહીં. તેથી બને એટલી ઝડપથી તમારે પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરાવવું પડશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.