ચેતી જજો!!! જો તમારા ફોનમાં આ એપ હશે તો ખાતું થઈ જશે ખાલી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 21:31:43

આજકાલ ઓનલાઈન છેતરપિંડી એક લિંક પર ક્લિક કરવાથી બૅન્ક અકાઉંટ ખાલી થઈ ગયાની ઘટના વધી રહી છે. એવામાં વધુ એક વાઈરસ લોકોને પરેશાન કરવા આવી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક નવો જ માલવેર વાયરસ જોવા મળી રહ્યો છે જેનું નામ હાર્લી છે, જે ઘણા એવા એપમાં પ્રવેશી ગયો છે. જેનો ઉપયોગ આપડે રોજિંદા જીવનમાં કરી રહ્યા છીએ. જાણવા મળી રહ્યું છે કે આ વાઈરસથી બેંક એકાઉન્ટ ખાલી રહ્યું છે. 


શુ છે આ હાર્લી વાઇરસ ?

એક રિપોર્ટ અનુસાર હાર્લી નામ એ હોલીવૂડના ફિલ્મના એક પાત્ર પરથી રાખવામાં આવ્યું છે. 2020થી અત્યાર સુધી આ વાઈરસ 190 એપમાં જોવા મળેલ છે. 48 કરોડથી પણ વધુ લોકો એ આ વાઈરસવાળા એપ ડાઉનલોડ કરી લીધી છે. આ વાઇરસ Google Play store પર વધારે વાપરવામાં આવતી એપ્લિકેશનને શિકાર બનાવે છે અનેતેના જેવી જ બીજી ડુપ્લિકેટ એપ તૈયાર કરે છે. તે લોકોને પેઈડ સબ્સ્ક્રિપ્શન વીના જ સાઇન અપ કરવાની મંજૂરી આપે છે અને ઈન્સ્ટોલ થયા પછી આ વાયરસવાળી ડુપ્લિકેટ એપ સક્રિય બને છે. એ પછી હાર્લી માલવેર યુઝરની મંજૂરી વીના જ મોંઘા સબસ્ક્રિપ્શનને એક્ટિવેટ કરે છે અને તેને કારણે યુઝર્સની જાણ વીના તેના બેંક ખાતામાંથી પૈસા કપાય છે. તો જરૂરી ના હોય તેવી એપ્લિકેશન ડાઉનલોડ ના કરો. 


તમે કેવી રીતે બચી શકો આ વાઈરસ

આ વાઈરસથી બચવા માટે કોઈ પણ એપ ડાઉનલોડ કરતાં પેલા તેના રિવ્યૂ વાંચવા જરૂરી છે, ઉપરાંત તમારી અંગત માહિતી જેવી કે ફોન નંબર, લોકેશન વગેરે અજાણ્યા એપને આપવાનું ટાળવું જોઈએ. 


નીચેની એપમાં આ વાઈરસ જોવા મળ્યો છે

1) પોની કેમેરા 

2) લાઈવ વૉલપેપર એન્ડ થીમ લોન્ચર 

3) એક્શન લોન્ચર એન્ડ વોલપેપર 

4) કલર કૉલ

5) ગૂડ લોન્ચર

6) મંડી વિજેટ

7) ફન કોલ- વોઈસ ચેન્જર

8) EVA લોન્ચર

9) ન્યૂલૂક લોન્ચર 

10) પીક્ષેલ સ્ક્રીન એપ્લિકેશન 

જો ઉપરનામાંથી કોઈ એપ્લિકેશન તમારા ફોનમાં હોય તો તરત કાઢી નાખજો હોં! જો નહીં કાઢો તો તમારા બેંક ખાતામાંથી રૂપિયા સ્વાહા થઈ જશે. જો તમારી જાણ બહાર રૂપિયા ઉપડે છે તો તરત જ બેંક અને સાયબર પોલીસની મદદ લેવી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.