ચેતી જજો!!! જો તમારા ફોનમાં આ એપ હશે તો ખાતું થઈ જશે ખાલી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 21:31:43

આજકાલ ઓનલાઈન છેતરપિંડી એક લિંક પર ક્લિક કરવાથી બૅન્ક અકાઉંટ ખાલી થઈ ગયાની ઘટના વધી રહી છે. એવામાં વધુ એક વાઈરસ લોકોને પરેશાન કરવા આવી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક નવો જ માલવેર વાયરસ જોવા મળી રહ્યો છે જેનું નામ હાર્લી છે, જે ઘણા એવા એપમાં પ્રવેશી ગયો છે. જેનો ઉપયોગ આપડે રોજિંદા જીવનમાં કરી રહ્યા છીએ. જાણવા મળી રહ્યું છે કે આ વાઈરસથી બેંક એકાઉન્ટ ખાલી રહ્યું છે. 


શુ છે આ હાર્લી વાઇરસ ?

એક રિપોર્ટ અનુસાર હાર્લી નામ એ હોલીવૂડના ફિલ્મના એક પાત્ર પરથી રાખવામાં આવ્યું છે. 2020થી અત્યાર સુધી આ વાઈરસ 190 એપમાં જોવા મળેલ છે. 48 કરોડથી પણ વધુ લોકો એ આ વાઈરસવાળા એપ ડાઉનલોડ કરી લીધી છે. આ વાઇરસ Google Play store પર વધારે વાપરવામાં આવતી એપ્લિકેશનને શિકાર બનાવે છે અનેતેના જેવી જ બીજી ડુપ્લિકેટ એપ તૈયાર કરે છે. તે લોકોને પેઈડ સબ્સ્ક્રિપ્શન વીના જ સાઇન અપ કરવાની મંજૂરી આપે છે અને ઈન્સ્ટોલ થયા પછી આ વાયરસવાળી ડુપ્લિકેટ એપ સક્રિય બને છે. એ પછી હાર્લી માલવેર યુઝરની મંજૂરી વીના જ મોંઘા સબસ્ક્રિપ્શનને એક્ટિવેટ કરે છે અને તેને કારણે યુઝર્સની જાણ વીના તેના બેંક ખાતામાંથી પૈસા કપાય છે. તો જરૂરી ના હોય તેવી એપ્લિકેશન ડાઉનલોડ ના કરો. 


તમે કેવી રીતે બચી શકો આ વાઈરસ

આ વાઈરસથી બચવા માટે કોઈ પણ એપ ડાઉનલોડ કરતાં પેલા તેના રિવ્યૂ વાંચવા જરૂરી છે, ઉપરાંત તમારી અંગત માહિતી જેવી કે ફોન નંબર, લોકેશન વગેરે અજાણ્યા એપને આપવાનું ટાળવું જોઈએ. 


નીચેની એપમાં આ વાઈરસ જોવા મળ્યો છે

1) પોની કેમેરા 

2) લાઈવ વૉલપેપર એન્ડ થીમ લોન્ચર 

3) એક્શન લોન્ચર એન્ડ વોલપેપર 

4) કલર કૉલ

5) ગૂડ લોન્ચર

6) મંડી વિજેટ

7) ફન કોલ- વોઈસ ચેન્જર

8) EVA લોન્ચર

9) ન્યૂલૂક લોન્ચર 

10) પીક્ષેલ સ્ક્રીન એપ્લિકેશન 

જો ઉપરનામાંથી કોઈ એપ્લિકેશન તમારા ફોનમાં હોય તો તરત કાઢી નાખજો હોં! જો નહીં કાઢો તો તમારા બેંક ખાતામાંથી રૂપિયા સ્વાહા થઈ જશે. જો તમારી જાણ બહાર રૂપિયા ઉપડે છે તો તરત જ બેંક અને સાયબર પોલીસની મદદ લેવી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.