ચેતી જજો!!! જો તમારા ફોનમાં આ એપ હશે તો ખાતું થઈ જશે ખાલી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 21:31:43

આજકાલ ઓનલાઈન છેતરપિંડી એક લિંક પર ક્લિક કરવાથી બૅન્ક અકાઉંટ ખાલી થઈ ગયાની ઘટના વધી રહી છે. એવામાં વધુ એક વાઈરસ લોકોને પરેશાન કરવા આવી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક નવો જ માલવેર વાયરસ જોવા મળી રહ્યો છે જેનું નામ હાર્લી છે, જે ઘણા એવા એપમાં પ્રવેશી ગયો છે. જેનો ઉપયોગ આપડે રોજિંદા જીવનમાં કરી રહ્યા છીએ. જાણવા મળી રહ્યું છે કે આ વાઈરસથી બેંક એકાઉન્ટ ખાલી રહ્યું છે. 


શુ છે આ હાર્લી વાઇરસ ?

એક રિપોર્ટ અનુસાર હાર્લી નામ એ હોલીવૂડના ફિલ્મના એક પાત્ર પરથી રાખવામાં આવ્યું છે. 2020થી અત્યાર સુધી આ વાઈરસ 190 એપમાં જોવા મળેલ છે. 48 કરોડથી પણ વધુ લોકો એ આ વાઈરસવાળા એપ ડાઉનલોડ કરી લીધી છે. આ વાઇરસ Google Play store પર વધારે વાપરવામાં આવતી એપ્લિકેશનને શિકાર બનાવે છે અનેતેના જેવી જ બીજી ડુપ્લિકેટ એપ તૈયાર કરે છે. તે લોકોને પેઈડ સબ્સ્ક્રિપ્શન વીના જ સાઇન અપ કરવાની મંજૂરી આપે છે અને ઈન્સ્ટોલ થયા પછી આ વાયરસવાળી ડુપ્લિકેટ એપ સક્રિય બને છે. એ પછી હાર્લી માલવેર યુઝરની મંજૂરી વીના જ મોંઘા સબસ્ક્રિપ્શનને એક્ટિવેટ કરે છે અને તેને કારણે યુઝર્સની જાણ વીના તેના બેંક ખાતામાંથી પૈસા કપાય છે. તો જરૂરી ના હોય તેવી એપ્લિકેશન ડાઉનલોડ ના કરો. 


તમે કેવી રીતે બચી શકો આ વાઈરસ

આ વાઈરસથી બચવા માટે કોઈ પણ એપ ડાઉનલોડ કરતાં પેલા તેના રિવ્યૂ વાંચવા જરૂરી છે, ઉપરાંત તમારી અંગત માહિતી જેવી કે ફોન નંબર, લોકેશન વગેરે અજાણ્યા એપને આપવાનું ટાળવું જોઈએ. 


નીચેની એપમાં આ વાઈરસ જોવા મળ્યો છે

1) પોની કેમેરા 

2) લાઈવ વૉલપેપર એન્ડ થીમ લોન્ચર 

3) એક્શન લોન્ચર એન્ડ વોલપેપર 

4) કલર કૉલ

5) ગૂડ લોન્ચર

6) મંડી વિજેટ

7) ફન કોલ- વોઈસ ચેન્જર

8) EVA લોન્ચર

9) ન્યૂલૂક લોન્ચર 

10) પીક્ષેલ સ્ક્રીન એપ્લિકેશન 

જો ઉપરનામાંથી કોઈ એપ્લિકેશન તમારા ફોનમાં હોય તો તરત કાઢી નાખજો હોં! જો નહીં કાઢો તો તમારા બેંક ખાતામાંથી રૂપિયા સ્વાહા થઈ જશે. જો તમારી જાણ બહાર રૂપિયા ઉપડે છે તો તરત જ બેંક અને સાયબર પોલીસની મદદ લેવી.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.