ચેતી જજો!!! જો તમારા ફોનમાં આ એપ હશે તો ખાતું થઈ જશે ખાલી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 21:31:43

આજકાલ ઓનલાઈન છેતરપિંડી એક લિંક પર ક્લિક કરવાથી બૅન્ક અકાઉંટ ખાલી થઈ ગયાની ઘટના વધી રહી છે. એવામાં વધુ એક વાઈરસ લોકોને પરેશાન કરવા આવી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક નવો જ માલવેર વાયરસ જોવા મળી રહ્યો છે જેનું નામ હાર્લી છે, જે ઘણા એવા એપમાં પ્રવેશી ગયો છે. જેનો ઉપયોગ આપડે રોજિંદા જીવનમાં કરી રહ્યા છીએ. જાણવા મળી રહ્યું છે કે આ વાઈરસથી બેંક એકાઉન્ટ ખાલી રહ્યું છે. 


શુ છે આ હાર્લી વાઇરસ ?

એક રિપોર્ટ અનુસાર હાર્લી નામ એ હોલીવૂડના ફિલ્મના એક પાત્ર પરથી રાખવામાં આવ્યું છે. 2020થી અત્યાર સુધી આ વાઈરસ 190 એપમાં જોવા મળેલ છે. 48 કરોડથી પણ વધુ લોકો એ આ વાઈરસવાળા એપ ડાઉનલોડ કરી લીધી છે. આ વાઇરસ Google Play store પર વધારે વાપરવામાં આવતી એપ્લિકેશનને શિકાર બનાવે છે અનેતેના જેવી જ બીજી ડુપ્લિકેટ એપ તૈયાર કરે છે. તે લોકોને પેઈડ સબ્સ્ક્રિપ્શન વીના જ સાઇન અપ કરવાની મંજૂરી આપે છે અને ઈન્સ્ટોલ થયા પછી આ વાયરસવાળી ડુપ્લિકેટ એપ સક્રિય બને છે. એ પછી હાર્લી માલવેર યુઝરની મંજૂરી વીના જ મોંઘા સબસ્ક્રિપ્શનને એક્ટિવેટ કરે છે અને તેને કારણે યુઝર્સની જાણ વીના તેના બેંક ખાતામાંથી પૈસા કપાય છે. તો જરૂરી ના હોય તેવી એપ્લિકેશન ડાઉનલોડ ના કરો. 


તમે કેવી રીતે બચી શકો આ વાઈરસ

આ વાઈરસથી બચવા માટે કોઈ પણ એપ ડાઉનલોડ કરતાં પેલા તેના રિવ્યૂ વાંચવા જરૂરી છે, ઉપરાંત તમારી અંગત માહિતી જેવી કે ફોન નંબર, લોકેશન વગેરે અજાણ્યા એપને આપવાનું ટાળવું જોઈએ. 


નીચેની એપમાં આ વાઈરસ જોવા મળ્યો છે

1) પોની કેમેરા 

2) લાઈવ વૉલપેપર એન્ડ થીમ લોન્ચર 

3) એક્શન લોન્ચર એન્ડ વોલપેપર 

4) કલર કૉલ

5) ગૂડ લોન્ચર

6) મંડી વિજેટ

7) ફન કોલ- વોઈસ ચેન્જર

8) EVA લોન્ચર

9) ન્યૂલૂક લોન્ચર 

10) પીક્ષેલ સ્ક્રીન એપ્લિકેશન 

જો ઉપરનામાંથી કોઈ એપ્લિકેશન તમારા ફોનમાં હોય તો તરત કાઢી નાખજો હોં! જો નહીં કાઢો તો તમારા બેંક ખાતામાંથી રૂપિયા સ્વાહા થઈ જશે. જો તમારી જાણ બહાર રૂપિયા ઉપડે છે તો તરત જ બેંક અને સાયબર પોલીસની મદદ લેવી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે