“દારૂ પીવો છે” તો પહોંચી જાવ કાર્યાલય પર! Gandhidhamના BJP Officeનો ફરતો થયો વિડીયો જે જોઈ તમે કહેશો કે ચૂંટણી નજીક આવી...!


  • Published By :
  • Published Date : 2024-03-05 10:10:21

કચ્છ જિલ્લાના ગાંધીધામ  ભાજપ કાર્યાલયની બહારથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે  જોઈ તમને થશે કે દારૂબંધી કાયદાના લીરેલીરા ફરી ઉડ્યા. દારૂબંધી કાયદાના લીરેલીરા ઉડવા તો જાણે સામાન્ય બની ગયું છે તેવું લાગે છે હવે. પ્રતિદિન કોઈને કોઈ જગ્યાએથી કાંતો દારૂડિયા પકડાય છે અથવા તો દારૂની બોટલ ઝડપાય છે. આવા દ્રશ્યો જ્યારે અમે તમને બતાવીએ છીએ ત્યારે તમે કહેતા હશો કે કંઈક નવું બતાવો આવું થવું તો સામાન્ય છે. આ દ્રશ્યો આમ તો સામાન્ય જોવામાં લાગે છે પરંતુ હવે ચૂંટણી નજીક આવી રહી છે. અને આ જે દ્રશ્યો સામે આવ્યા છે તે ભાજપ કાર્યાલયની બહારના છે.

ભાજપના કાર્યાલયની બહાર જોવા મળી દારૂની બોટલ!

લોકસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી લક્ષી કાર્યાલયને ખુલ્લા મૂક્યા છે. આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે ગરીબ મતદાતાઓને દારૂની પોટલી,ચવાણું આપી દેવામાં આવે તો તે વ્યક્તિ તે પાર્ટીના પક્ષમાં વોટ કરતો હોય છે! ચૂંટણી વખતે સૌથી વધારે રોજગારીનું સર્જન ચૂંટણી વખતમાં થાય છે કારણ કે કાળા નાણાઓ બહાર આવે છે. આ સમય દરમિયાન વ્યાપક પ્રમાણમાં કાળા નાણાનો ઉપયોગ થાય છે. આપણે પણ અનેક વખત જાતિ અને ધર્મના આધારે વોટ આપીએ છીએ. 


ચૂંટણી નજીક આવતા આવા દ્રશ્યો અનેક વખત જોવા મળશે!

જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ દારૂનું વેચાણ પણ વધશે. આવા વીડિયો અનેક વખત જોવા પણ મળશે. ગુજરાતમાં કહેવા માટે તો દારૂબંધી છે પરંતુ તેનો કેટલો અમલ થાય છે તે આપણે અનેક વખત જોઈ ચૂક્યા છે. ગાંધીધામ ભાજપના કાર્યાલય બહારથી દારૂની બોટલના દ્રશ્યો સામે આવતા અનેક સવાલો ઉભા કરે છે. ચૂંટણી સમયે આવા વીડિયો સામે આવતા એટલું કહી શકાય કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે અને પછી દારૂ પીને સૂઈ જશે..!



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.