“દારૂ પીવો છે” તો પહોંચી જાવ કાર્યાલય પર! Gandhidhamના BJP Officeનો ફરતો થયો વિડીયો જે જોઈ તમે કહેશો કે ચૂંટણી નજીક આવી...!


  • Published By :
  • Published Date : 2024-03-05 10:10:21

કચ્છ જિલ્લાના ગાંધીધામ  ભાજપ કાર્યાલયની બહારથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે  જોઈ તમને થશે કે દારૂબંધી કાયદાના લીરેલીરા ફરી ઉડ્યા. દારૂબંધી કાયદાના લીરેલીરા ઉડવા તો જાણે સામાન્ય બની ગયું છે તેવું લાગે છે હવે. પ્રતિદિન કોઈને કોઈ જગ્યાએથી કાંતો દારૂડિયા પકડાય છે અથવા તો દારૂની બોટલ ઝડપાય છે. આવા દ્રશ્યો જ્યારે અમે તમને બતાવીએ છીએ ત્યારે તમે કહેતા હશો કે કંઈક નવું બતાવો આવું થવું તો સામાન્ય છે. આ દ્રશ્યો આમ તો સામાન્ય જોવામાં લાગે છે પરંતુ હવે ચૂંટણી નજીક આવી રહી છે. અને આ જે દ્રશ્યો સામે આવ્યા છે તે ભાજપ કાર્યાલયની બહારના છે.

ભાજપના કાર્યાલયની બહાર જોવા મળી દારૂની બોટલ!

લોકસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી લક્ષી કાર્યાલયને ખુલ્લા મૂક્યા છે. આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે ગરીબ મતદાતાઓને દારૂની પોટલી,ચવાણું આપી દેવામાં આવે તો તે વ્યક્તિ તે પાર્ટીના પક્ષમાં વોટ કરતો હોય છે! ચૂંટણી વખતે સૌથી વધારે રોજગારીનું સર્જન ચૂંટણી વખતમાં થાય છે કારણ કે કાળા નાણાઓ બહાર આવે છે. આ સમય દરમિયાન વ્યાપક પ્રમાણમાં કાળા નાણાનો ઉપયોગ થાય છે. આપણે પણ અનેક વખત જાતિ અને ધર્મના આધારે વોટ આપીએ છીએ. 


ચૂંટણી નજીક આવતા આવા દ્રશ્યો અનેક વખત જોવા મળશે!

જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ દારૂનું વેચાણ પણ વધશે. આવા વીડિયો અનેક વખત જોવા પણ મળશે. ગુજરાતમાં કહેવા માટે તો દારૂબંધી છે પરંતુ તેનો કેટલો અમલ થાય છે તે આપણે અનેક વખત જોઈ ચૂક્યા છે. ગાંધીધામ ભાજપના કાર્યાલય બહારથી દારૂની બોટલના દ્રશ્યો સામે આવતા અનેક સવાલો ઉભા કરે છે. ચૂંટણી સમયે આવા વીડિયો સામે આવતા એટલું કહી શકાય કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે અને પછી દારૂ પીને સૂઈ જશે..!



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.