“દારૂ પીવો છે” તો પહોંચી જાવ કાર્યાલય પર! Gandhidhamના BJP Officeનો ફરતો થયો વિડીયો જે જોઈ તમે કહેશો કે ચૂંટણી નજીક આવી...!


  • Published By :
  • Published Date : 2024-03-05 10:10:21

કચ્છ જિલ્લાના ગાંધીધામ  ભાજપ કાર્યાલયની બહારથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે  જોઈ તમને થશે કે દારૂબંધી કાયદાના લીરેલીરા ફરી ઉડ્યા. દારૂબંધી કાયદાના લીરેલીરા ઉડવા તો જાણે સામાન્ય બની ગયું છે તેવું લાગે છે હવે. પ્રતિદિન કોઈને કોઈ જગ્યાએથી કાંતો દારૂડિયા પકડાય છે અથવા તો દારૂની બોટલ ઝડપાય છે. આવા દ્રશ્યો જ્યારે અમે તમને બતાવીએ છીએ ત્યારે તમે કહેતા હશો કે કંઈક નવું બતાવો આવું થવું તો સામાન્ય છે. આ દ્રશ્યો આમ તો સામાન્ય જોવામાં લાગે છે પરંતુ હવે ચૂંટણી નજીક આવી રહી છે. અને આ જે દ્રશ્યો સામે આવ્યા છે તે ભાજપ કાર્યાલયની બહારના છે.

ભાજપના કાર્યાલયની બહાર જોવા મળી દારૂની બોટલ!

લોકસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી લક્ષી કાર્યાલયને ખુલ્લા મૂક્યા છે. આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે ગરીબ મતદાતાઓને દારૂની પોટલી,ચવાણું આપી દેવામાં આવે તો તે વ્યક્તિ તે પાર્ટીના પક્ષમાં વોટ કરતો હોય છે! ચૂંટણી વખતે સૌથી વધારે રોજગારીનું સર્જન ચૂંટણી વખતમાં થાય છે કારણ કે કાળા નાણાઓ બહાર આવે છે. આ સમય દરમિયાન વ્યાપક પ્રમાણમાં કાળા નાણાનો ઉપયોગ થાય છે. આપણે પણ અનેક વખત જાતિ અને ધર્મના આધારે વોટ આપીએ છીએ. 


ચૂંટણી નજીક આવતા આવા દ્રશ્યો અનેક વખત જોવા મળશે!

જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ દારૂનું વેચાણ પણ વધશે. આવા વીડિયો અનેક વખત જોવા પણ મળશે. ગુજરાતમાં કહેવા માટે તો દારૂબંધી છે પરંતુ તેનો કેટલો અમલ થાય છે તે આપણે અનેક વખત જોઈ ચૂક્યા છે. ગાંધીધામ ભાજપના કાર્યાલય બહારથી દારૂની બોટલના દ્રશ્યો સામે આવતા અનેક સવાલો ઉભા કરે છે. ચૂંટણી સમયે આવા વીડિયો સામે આવતા એટલું કહી શકાય કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે અને પછી દારૂ પીને સૂઈ જશે..!



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.