વિકાસ જોવો છે તો...Chhota udepurની આ શાળા જોઈલો! વિકાસની વાતો બાળકોને ભણવા માટે ઓરડા નથી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-04 09:27:43

નેતાઓના મોઢે અનેક વખત વિકાસશીલ ગુજરાત, ગુજરાત એટલે વિકાસ મોડલ જેવી વાતો, વચનો સાંભળ્યો હશે. ગામડાઓ સુધી અત્યાનુધિક સુવિધાઓ પહોંચી છે તેવી વાતો કરવામાં આવે છે પરંતુ ગામડાઓથી, અંતરિયાળ વિસ્તારથી અનેક દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં આ વિકાસની વાતો પોકળ સાબિત થાય છે. તે વાત ખોટી પડે છે કારણ કે જે દ્રશ્યો હોય છે તે વિકાસની વાતો પર તમાચો મારે તેવા હોય છે! છોટા ઉદેપુરથી દ્રશ્યો સામે આવ્યા જેમાં વિદ્યાર્થી ભણવા માટે તો આવ્યા છે પરંતુ ક્લાસરૂમ નથી. દોઢ વર્ષથી શિક્ષકો તેમજ ગ્રામજનો દ્વારા આ અંગેની રજૂઆત કરવામાં આવી પરંતુ પરિસ્થિતિ શું છે તે આપ જોઈ શકો છો. તે સિવાય એવા બીજા દ્રશ્યો પણ સામે આવ્યા છે જેમાં રસ્તો ન હોવાને કારણે એમ્બ્યુલન્સ બંધ પડી ગઈ અને ટ્રેક્ટરથી એમ્બ્યુલન્સને ખસેડવામાં આવી. 

ઠંડીમાં પણ બહાર બેસી ભણવા બાળકો મજબૂર! 

આ દ્રશ્યો જોઈને એક સવાલ પૂછવાની ઈચ્છા થાય કે છોટાઉદેપુર ગુજરાતમાં આવે છે કે નહીં? આ સવાલ એટલા માટે પણ પૂછવાની ઈચ્છા થાય કારણ કે સરકાર જે ગુજરાત અને ગુજરાતના વિકાસની વાત કરે છે એમાં તો છોટાઉદેપુર ક્યાંય નથી આવતું.. વિકાસ તો છોડો અહીંયાં તો જીવન જરૂરી વસ્તુઓ પણ અને સગવડો પણ નથી પહોંચી રહી! બાળકોનો જે વીડિયો સામે આવ્યો તેમાં નાના નાના બાળકો ઠંડીમાં પણ બહાર બેસીને ભણે છે. કારણ શું તો ત્યાં ક્લાસરૂમ જ નથી. દોઢ વર્ષથી શિક્ષકો અને ત્યાંના લોકો રજૂઆત કરીને થાક્યા પણ કોઈ પ્રકારે કામ જ નથી થતું.


નથી સારો રસ્તો, નથી પીવા માટેનું પાણી...!

સરકારને મારે માત્ર એટલું કહવું છે કે જો તમે ત્યાં શાળા ન બનાવી શક્તા હોવ તો ત્યાં બોર્ડ લાગવી દો કે છોટાઉદેપુરના છોકરાઓને સપના જોવાનો કોઈ અધિકાર નથી. એ લોકો ભણીગણીને આગળ નહીં વધી શકે. માત્ર શાળાની તકલીફ થોડી છે ત્યાં તો રસ્તા નથી પીવા માટે પાણી નથી ટોઇલેટ નથી. એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક સગર્ભાને 108 લેવા પહોંચી તો રસ્તા સારા ન હોવાને કારણે એને ટ્રેક્ટરથી ખેચી જવી પડી. શું આ છે ગુજરાતનું વિકાસ મોડલ?



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.