વિકાસ જોવો છે તો...Chhota udepurની આ શાળા જોઈલો! વિકાસની વાતો બાળકોને ભણવા માટે ઓરડા નથી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-04 09:27:43

નેતાઓના મોઢે અનેક વખત વિકાસશીલ ગુજરાત, ગુજરાત એટલે વિકાસ મોડલ જેવી વાતો, વચનો સાંભળ્યો હશે. ગામડાઓ સુધી અત્યાનુધિક સુવિધાઓ પહોંચી છે તેવી વાતો કરવામાં આવે છે પરંતુ ગામડાઓથી, અંતરિયાળ વિસ્તારથી અનેક દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં આ વિકાસની વાતો પોકળ સાબિત થાય છે. તે વાત ખોટી પડે છે કારણ કે જે દ્રશ્યો હોય છે તે વિકાસની વાતો પર તમાચો મારે તેવા હોય છે! છોટા ઉદેપુરથી દ્રશ્યો સામે આવ્યા જેમાં વિદ્યાર્થી ભણવા માટે તો આવ્યા છે પરંતુ ક્લાસરૂમ નથી. દોઢ વર્ષથી શિક્ષકો તેમજ ગ્રામજનો દ્વારા આ અંગેની રજૂઆત કરવામાં આવી પરંતુ પરિસ્થિતિ શું છે તે આપ જોઈ શકો છો. તે સિવાય એવા બીજા દ્રશ્યો પણ સામે આવ્યા છે જેમાં રસ્તો ન હોવાને કારણે એમ્બ્યુલન્સ બંધ પડી ગઈ અને ટ્રેક્ટરથી એમ્બ્યુલન્સને ખસેડવામાં આવી. 

ઠંડીમાં પણ બહાર બેસી ભણવા બાળકો મજબૂર! 

આ દ્રશ્યો જોઈને એક સવાલ પૂછવાની ઈચ્છા થાય કે છોટાઉદેપુર ગુજરાતમાં આવે છે કે નહીં? આ સવાલ એટલા માટે પણ પૂછવાની ઈચ્છા થાય કારણ કે સરકાર જે ગુજરાત અને ગુજરાતના વિકાસની વાત કરે છે એમાં તો છોટાઉદેપુર ક્યાંય નથી આવતું.. વિકાસ તો છોડો અહીંયાં તો જીવન જરૂરી વસ્તુઓ પણ અને સગવડો પણ નથી પહોંચી રહી! બાળકોનો જે વીડિયો સામે આવ્યો તેમાં નાના નાના બાળકો ઠંડીમાં પણ બહાર બેસીને ભણે છે. કારણ શું તો ત્યાં ક્લાસરૂમ જ નથી. દોઢ વર્ષથી શિક્ષકો અને ત્યાંના લોકો રજૂઆત કરીને થાક્યા પણ કોઈ પ્રકારે કામ જ નથી થતું.


નથી સારો રસ્તો, નથી પીવા માટેનું પાણી...!

સરકારને મારે માત્ર એટલું કહવું છે કે જો તમે ત્યાં શાળા ન બનાવી શક્તા હોવ તો ત્યાં બોર્ડ લાગવી દો કે છોટાઉદેપુરના છોકરાઓને સપના જોવાનો કોઈ અધિકાર નથી. એ લોકો ભણીગણીને આગળ નહીં વધી શકે. માત્ર શાળાની તકલીફ થોડી છે ત્યાં તો રસ્તા નથી પીવા માટે પાણી નથી ટોઇલેટ નથી. એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક સગર્ભાને 108 લેવા પહોંચી તો રસ્તા સારા ન હોવાને કારણે એને ટ્રેક્ટરથી ખેચી જવી પડી. શું આ છે ગુજરાતનું વિકાસ મોડલ?



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે