વિકાસ જોવો છે તો...Chhota udepurની આ શાળા જોઈલો! વિકાસની વાતો બાળકોને ભણવા માટે ઓરડા નથી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-04 09:27:43

નેતાઓના મોઢે અનેક વખત વિકાસશીલ ગુજરાત, ગુજરાત એટલે વિકાસ મોડલ જેવી વાતો, વચનો સાંભળ્યો હશે. ગામડાઓ સુધી અત્યાનુધિક સુવિધાઓ પહોંચી છે તેવી વાતો કરવામાં આવે છે પરંતુ ગામડાઓથી, અંતરિયાળ વિસ્તારથી અનેક દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં આ વિકાસની વાતો પોકળ સાબિત થાય છે. તે વાત ખોટી પડે છે કારણ કે જે દ્રશ્યો હોય છે તે વિકાસની વાતો પર તમાચો મારે તેવા હોય છે! છોટા ઉદેપુરથી દ્રશ્યો સામે આવ્યા જેમાં વિદ્યાર્થી ભણવા માટે તો આવ્યા છે પરંતુ ક્લાસરૂમ નથી. દોઢ વર્ષથી શિક્ષકો તેમજ ગ્રામજનો દ્વારા આ અંગેની રજૂઆત કરવામાં આવી પરંતુ પરિસ્થિતિ શું છે તે આપ જોઈ શકો છો. તે સિવાય એવા બીજા દ્રશ્યો પણ સામે આવ્યા છે જેમાં રસ્તો ન હોવાને કારણે એમ્બ્યુલન્સ બંધ પડી ગઈ અને ટ્રેક્ટરથી એમ્બ્યુલન્સને ખસેડવામાં આવી. 

ઠંડીમાં પણ બહાર બેસી ભણવા બાળકો મજબૂર! 

આ દ્રશ્યો જોઈને એક સવાલ પૂછવાની ઈચ્છા થાય કે છોટાઉદેપુર ગુજરાતમાં આવે છે કે નહીં? આ સવાલ એટલા માટે પણ પૂછવાની ઈચ્છા થાય કારણ કે સરકાર જે ગુજરાત અને ગુજરાતના વિકાસની વાત કરે છે એમાં તો છોટાઉદેપુર ક્યાંય નથી આવતું.. વિકાસ તો છોડો અહીંયાં તો જીવન જરૂરી વસ્તુઓ પણ અને સગવડો પણ નથી પહોંચી રહી! બાળકોનો જે વીડિયો સામે આવ્યો તેમાં નાના નાના બાળકો ઠંડીમાં પણ બહાર બેસીને ભણે છે. કારણ શું તો ત્યાં ક્લાસરૂમ જ નથી. દોઢ વર્ષથી શિક્ષકો અને ત્યાંના લોકો રજૂઆત કરીને થાક્યા પણ કોઈ પ્રકારે કામ જ નથી થતું.


નથી સારો રસ્તો, નથી પીવા માટેનું પાણી...!

સરકારને મારે માત્ર એટલું કહવું છે કે જો તમે ત્યાં શાળા ન બનાવી શક્તા હોવ તો ત્યાં બોર્ડ લાગવી દો કે છોટાઉદેપુરના છોકરાઓને સપના જોવાનો કોઈ અધિકાર નથી. એ લોકો ભણીગણીને આગળ નહીં વધી શકે. માત્ર શાળાની તકલીફ થોડી છે ત્યાં તો રસ્તા નથી પીવા માટે પાણી નથી ટોઇલેટ નથી. એક વીડિયો સામે આવ્યો હતો જેમાં એક સગર્ભાને 108 લેવા પહોંચી તો રસ્તા સારા ન હોવાને કારણે એને ટ્રેક્ટરથી ખેચી જવી પડી. શું આ છે ગુજરાતનું વિકાસ મોડલ?



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.