જો તમારૂ બાળક વધારે પડતો ફોન વાપરતો હોય તો ચેતજો, પ્રી-પ્રાઈમરી શાળામાં ભણતા બાળકોની દ્રષ્ટિ છે ! જાણો કોણે કર્યો સર્વે


  • Published By :
  • Published Date : 2023-08-11 14:23:25

એક સમય હતો જ્યારે બાળકો બહાર પોતાના ભાઈબંધો સાથે રમવા જતા હતા. તે રમત પણ શારીરિક રમત હોતી હતી. પરંતુ આજના કાલના બાળકો મોબાઈલ ફોનમાં વ્યસ્ત દેખાતા હોય છે. બહાર રમવા જવાની વાત તો દુર પરંતુ ખાતી વખતે પણ નાના બાળકોને ફોનની જરૂર હોય છે. ફિઝિકલ વર્ક આઉટ ન હોવાને કારણે તેમજ મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરવાને કારણે બાળકોની દ્રષ્ટિ નબળી પડી રહી છે. કોરોના બાદ તો મોબાઈલ આપવી માતા પિતાની મજબૂરી બની ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ભણવાનું પણ મોબાઈલમાં જ થતું હતું. જેને લઈ બાળકો જાણે મોબાઈલને આધીન થઈ ગયા હતા. 



શાળા દ્વારા કરવામાં આવ્યું વિદ્યાર્થીઓની આંખોનું પરિક્ષણ 

બાળકોને આપણે જ્યારે જોતા હોઈએ છીએ ત્યારે બાળકો મોબાઈલમાં વ્યસ્ત દેખાય છે. મોબાઈલમાં કેટલા ફીચર્સ છે એ કદાચ જેટલી માટોઓને ખબર નહીં હોય પરંતુ બાળકોને તે ખબર હશે અને આસાનીથી એ કરી પણ આપશે જો આપણને કોઈ પ્રોબ્લેમ થયો હોય તો. ત્યારે અમદાવાદની ખાનગી શાળા દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓની આંખોનું પ્રરિક્ષણ કરવામાં આવ્યું હતું. સ્કૂલમાં પ્રી પ્રાઈમેરી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓની દ્રષ્ટી નબળી છે. 


રિપોર્ટમાં જે આંકડા આવ્યા તે ચોકાવનારા છે...

જે રિપોર્ટ સામે આવ્યો છે તેમાં કરાયેલા ખુલાસા ચોંકાવનારા છે. રિપોર્ટ અનુસાર 2.5 વર્ષથી 6 વર્ષની ઉંમરના બાળકોની આંખો નબળી નોંધાઈ હતી. આ વિદ્યાર્થીઓમાંથી લગભગ પાંચના ભાગના બાળકોને ચશ્મા આટલી નાની ઉંમરે આવી ગયા છે.  સ્કુલ દ્વારા નર્સરીથી સિનિયર કેજી સ્તરના 1,723 વિદ્યાર્થીઓ માટે મફત આંખની તપાસ કરાવવામાં આવી હતી. સ્કુલ દ્વારા કરવામાં આવેલી આ પહેલનો હેતુ નાની વયના બાળકોની આંખની દ્રષ્ટિ અને આરોગ્યનું મૂલ્યાંકન કરવાનો હતો.     


નબળી દ્રષ્ટિ હોવાના આ હોઈ શકે છે કારણ 

આ રિપોર્ટ બાદ માતા પિતા માટે બાળકના સ્વાસ્થ્ય અંગે જાગૃત થવાની જરૂર છે. આટલી નાની ઉંમરે બાળકોની દ્રષ્ટિ નબળી હોવી એ ચિંતાનો વિષય છે. બાળકના આરોગ્ય માટે સુધારાત્મક પગલા લેવામાં આવે તેવા હેતુથી આ સર્વે કરવામાં આવ્યો છે. નાના બાળકોમાં પ્રચલિત નબળી દ્રષ્ટિના ત્રણ પ્રાથમિક કારણો હોઈ શકે છે. પહેલું કારણ બાળકમાં અપૂરતી આઉટડોર પ્રવૃત્તિ, મોબાઈલનો વધુ પડતો ઉપરાંત ટીવી સ્ક્રીન પર વિતાવવામાં આવતા અનેક કલાકો આની પાછળ કારણભૂત હોઈ શકે છે.      



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.