જો તમારૂ બાળક વધારે પડતો ફોન વાપરતો હોય તો ચેતજો, પ્રી-પ્રાઈમરી શાળામાં ભણતા બાળકોની દ્રષ્ટિ છે ! જાણો કોણે કર્યો સર્વે


  • Published By :
  • Published Date : 2023-08-11 14:23:25

એક સમય હતો જ્યારે બાળકો બહાર પોતાના ભાઈબંધો સાથે રમવા જતા હતા. તે રમત પણ શારીરિક રમત હોતી હતી. પરંતુ આજના કાલના બાળકો મોબાઈલ ફોનમાં વ્યસ્ત દેખાતા હોય છે. બહાર રમવા જવાની વાત તો દુર પરંતુ ખાતી વખતે પણ નાના બાળકોને ફોનની જરૂર હોય છે. ફિઝિકલ વર્ક આઉટ ન હોવાને કારણે તેમજ મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરવાને કારણે બાળકોની દ્રષ્ટિ નબળી પડી રહી છે. કોરોના બાદ તો મોબાઈલ આપવી માતા પિતાની મજબૂરી બની ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ભણવાનું પણ મોબાઈલમાં જ થતું હતું. જેને લઈ બાળકો જાણે મોબાઈલને આધીન થઈ ગયા હતા. 



શાળા દ્વારા કરવામાં આવ્યું વિદ્યાર્થીઓની આંખોનું પરિક્ષણ 

બાળકોને આપણે જ્યારે જોતા હોઈએ છીએ ત્યારે બાળકો મોબાઈલમાં વ્યસ્ત દેખાય છે. મોબાઈલમાં કેટલા ફીચર્સ છે એ કદાચ જેટલી માટોઓને ખબર નહીં હોય પરંતુ બાળકોને તે ખબર હશે અને આસાનીથી એ કરી પણ આપશે જો આપણને કોઈ પ્રોબ્લેમ થયો હોય તો. ત્યારે અમદાવાદની ખાનગી શાળા દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓની આંખોનું પ્રરિક્ષણ કરવામાં આવ્યું હતું. સ્કૂલમાં પ્રી પ્રાઈમેરી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓની દ્રષ્ટી નબળી છે. 


રિપોર્ટમાં જે આંકડા આવ્યા તે ચોકાવનારા છે...

જે રિપોર્ટ સામે આવ્યો છે તેમાં કરાયેલા ખુલાસા ચોંકાવનારા છે. રિપોર્ટ અનુસાર 2.5 વર્ષથી 6 વર્ષની ઉંમરના બાળકોની આંખો નબળી નોંધાઈ હતી. આ વિદ્યાર્થીઓમાંથી લગભગ પાંચના ભાગના બાળકોને ચશ્મા આટલી નાની ઉંમરે આવી ગયા છે.  સ્કુલ દ્વારા નર્સરીથી સિનિયર કેજી સ્તરના 1,723 વિદ્યાર્થીઓ માટે મફત આંખની તપાસ કરાવવામાં આવી હતી. સ્કુલ દ્વારા કરવામાં આવેલી આ પહેલનો હેતુ નાની વયના બાળકોની આંખની દ્રષ્ટિ અને આરોગ્યનું મૂલ્યાંકન કરવાનો હતો.     


નબળી દ્રષ્ટિ હોવાના આ હોઈ શકે છે કારણ 

આ રિપોર્ટ બાદ માતા પિતા માટે બાળકના સ્વાસ્થ્ય અંગે જાગૃત થવાની જરૂર છે. આટલી નાની ઉંમરે બાળકોની દ્રષ્ટિ નબળી હોવી એ ચિંતાનો વિષય છે. બાળકના આરોગ્ય માટે સુધારાત્મક પગલા લેવામાં આવે તેવા હેતુથી આ સર્વે કરવામાં આવ્યો છે. નાના બાળકોમાં પ્રચલિત નબળી દ્રષ્ટિના ત્રણ પ્રાથમિક કારણો હોઈ શકે છે. પહેલું કારણ બાળકમાં અપૂરતી આઉટડોર પ્રવૃત્તિ, મોબાઈલનો વધુ પડતો ઉપરાંત ટીવી સ્ક્રીન પર વિતાવવામાં આવતા અનેક કલાકો આની પાછળ કારણભૂત હોઈ શકે છે.      



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.