જો તમારૂ બાળક વધારે પડતો ફોન વાપરતો હોય તો ચેતજો, પ્રી-પ્રાઈમરી શાળામાં ભણતા બાળકોની દ્રષ્ટિ છે ! જાણો કોણે કર્યો સર્વે


  • Published By :
  • Published Date : 2023-08-11 14:23:25

એક સમય હતો જ્યારે બાળકો બહાર પોતાના ભાઈબંધો સાથે રમવા જતા હતા. તે રમત પણ શારીરિક રમત હોતી હતી. પરંતુ આજના કાલના બાળકો મોબાઈલ ફોનમાં વ્યસ્ત દેખાતા હોય છે. બહાર રમવા જવાની વાત તો દુર પરંતુ ખાતી વખતે પણ નાના બાળકોને ફોનની જરૂર હોય છે. ફિઝિકલ વર્ક આઉટ ન હોવાને કારણે તેમજ મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરવાને કારણે બાળકોની દ્રષ્ટિ નબળી પડી રહી છે. કોરોના બાદ તો મોબાઈલ આપવી માતા પિતાની મજબૂરી બની ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ભણવાનું પણ મોબાઈલમાં જ થતું હતું. જેને લઈ બાળકો જાણે મોબાઈલને આધીન થઈ ગયા હતા. 



શાળા દ્વારા કરવામાં આવ્યું વિદ્યાર્થીઓની આંખોનું પરિક્ષણ 

બાળકોને આપણે જ્યારે જોતા હોઈએ છીએ ત્યારે બાળકો મોબાઈલમાં વ્યસ્ત દેખાય છે. મોબાઈલમાં કેટલા ફીચર્સ છે એ કદાચ જેટલી માટોઓને ખબર નહીં હોય પરંતુ બાળકોને તે ખબર હશે અને આસાનીથી એ કરી પણ આપશે જો આપણને કોઈ પ્રોબ્લેમ થયો હોય તો. ત્યારે અમદાવાદની ખાનગી શાળા દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓની આંખોનું પ્રરિક્ષણ કરવામાં આવ્યું હતું. સ્કૂલમાં પ્રી પ્રાઈમેરી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓની દ્રષ્ટી નબળી છે. 


રિપોર્ટમાં જે આંકડા આવ્યા તે ચોકાવનારા છે...

જે રિપોર્ટ સામે આવ્યો છે તેમાં કરાયેલા ખુલાસા ચોંકાવનારા છે. રિપોર્ટ અનુસાર 2.5 વર્ષથી 6 વર્ષની ઉંમરના બાળકોની આંખો નબળી નોંધાઈ હતી. આ વિદ્યાર્થીઓમાંથી લગભગ પાંચના ભાગના બાળકોને ચશ્મા આટલી નાની ઉંમરે આવી ગયા છે.  સ્કુલ દ્વારા નર્સરીથી સિનિયર કેજી સ્તરના 1,723 વિદ્યાર્થીઓ માટે મફત આંખની તપાસ કરાવવામાં આવી હતી. સ્કુલ દ્વારા કરવામાં આવેલી આ પહેલનો હેતુ નાની વયના બાળકોની આંખની દ્રષ્ટિ અને આરોગ્યનું મૂલ્યાંકન કરવાનો હતો.     


નબળી દ્રષ્ટિ હોવાના આ હોઈ શકે છે કારણ 

આ રિપોર્ટ બાદ માતા પિતા માટે બાળકના સ્વાસ્થ્ય અંગે જાગૃત થવાની જરૂર છે. આટલી નાની ઉંમરે બાળકોની દ્રષ્ટિ નબળી હોવી એ ચિંતાનો વિષય છે. બાળકના આરોગ્ય માટે સુધારાત્મક પગલા લેવામાં આવે તેવા હેતુથી આ સર્વે કરવામાં આવ્યો છે. નાના બાળકોમાં પ્રચલિત નબળી દ્રષ્ટિના ત્રણ પ્રાથમિક કારણો હોઈ શકે છે. પહેલું કારણ બાળકમાં અપૂરતી આઉટડોર પ્રવૃત્તિ, મોબાઈલનો વધુ પડતો ઉપરાંત ટીવી સ્ક્રીન પર વિતાવવામાં આવતા અનેક કલાકો આની પાછળ કારણભૂત હોઈ શકે છે.      



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.