જો તમારૂ બાળક વધારે પડતો ફોન વાપરતો હોય તો ચેતજો, પ્રી-પ્રાઈમરી શાળામાં ભણતા બાળકોની દ્રષ્ટિ છે ! જાણો કોણે કર્યો સર્વે


  • Published By :
  • Published Date : 2023-08-11 14:23:25

એક સમય હતો જ્યારે બાળકો બહાર પોતાના ભાઈબંધો સાથે રમવા જતા હતા. તે રમત પણ શારીરિક રમત હોતી હતી. પરંતુ આજના કાલના બાળકો મોબાઈલ ફોનમાં વ્યસ્ત દેખાતા હોય છે. બહાર રમવા જવાની વાત તો દુર પરંતુ ખાતી વખતે પણ નાના બાળકોને ફોનની જરૂર હોય છે. ફિઝિકલ વર્ક આઉટ ન હોવાને કારણે તેમજ મોબાઈલ ફોનનો વધુ ઉપયોગ કરવાને કારણે બાળકોની દ્રષ્ટિ નબળી પડી રહી છે. કોરોના બાદ તો મોબાઈલ આપવી માતા પિતાની મજબૂરી બની ગયું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ભણવાનું પણ મોબાઈલમાં જ થતું હતું. જેને લઈ બાળકો જાણે મોબાઈલને આધીન થઈ ગયા હતા. 



શાળા દ્વારા કરવામાં આવ્યું વિદ્યાર્થીઓની આંખોનું પરિક્ષણ 

બાળકોને આપણે જ્યારે જોતા હોઈએ છીએ ત્યારે બાળકો મોબાઈલમાં વ્યસ્ત દેખાય છે. મોબાઈલમાં કેટલા ફીચર્સ છે એ કદાચ જેટલી માટોઓને ખબર નહીં હોય પરંતુ બાળકોને તે ખબર હશે અને આસાનીથી એ કરી પણ આપશે જો આપણને કોઈ પ્રોબ્લેમ થયો હોય તો. ત્યારે અમદાવાદની ખાનગી શાળા દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓની આંખોનું પ્રરિક્ષણ કરવામાં આવ્યું હતું. સ્કૂલમાં પ્રી પ્રાઈમેરી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓની દ્રષ્ટી નબળી છે. 


રિપોર્ટમાં જે આંકડા આવ્યા તે ચોકાવનારા છે...

જે રિપોર્ટ સામે આવ્યો છે તેમાં કરાયેલા ખુલાસા ચોંકાવનારા છે. રિપોર્ટ અનુસાર 2.5 વર્ષથી 6 વર્ષની ઉંમરના બાળકોની આંખો નબળી નોંધાઈ હતી. આ વિદ્યાર્થીઓમાંથી લગભગ પાંચના ભાગના બાળકોને ચશ્મા આટલી નાની ઉંમરે આવી ગયા છે.  સ્કુલ દ્વારા નર્સરીથી સિનિયર કેજી સ્તરના 1,723 વિદ્યાર્થીઓ માટે મફત આંખની તપાસ કરાવવામાં આવી હતી. સ્કુલ દ્વારા કરવામાં આવેલી આ પહેલનો હેતુ નાની વયના બાળકોની આંખની દ્રષ્ટિ અને આરોગ્યનું મૂલ્યાંકન કરવાનો હતો.     


નબળી દ્રષ્ટિ હોવાના આ હોઈ શકે છે કારણ 

આ રિપોર્ટ બાદ માતા પિતા માટે બાળકના સ્વાસ્થ્ય અંગે જાગૃત થવાની જરૂર છે. આટલી નાની ઉંમરે બાળકોની દ્રષ્ટિ નબળી હોવી એ ચિંતાનો વિષય છે. બાળકના આરોગ્ય માટે સુધારાત્મક પગલા લેવામાં આવે તેવા હેતુથી આ સર્વે કરવામાં આવ્યો છે. નાના બાળકોમાં પ્રચલિત નબળી દ્રષ્ટિના ત્રણ પ્રાથમિક કારણો હોઈ શકે છે. પહેલું કારણ બાળકમાં અપૂરતી આઉટડોર પ્રવૃત્તિ, મોબાઈલનો વધુ પડતો ઉપરાંત ટીવી સ્ક્રીન પર વિતાવવામાં આવતા અનેક કલાકો આની પાછળ કારણભૂત હોઈ શકે છે.      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.