દર્શન સોલંકીની આત્મહત્યા કેસમાં IIT બોમ્બેના વિદ્યાર્થીની ધરપકડ, અરમાન ખત્રીએ આપી હતી ધમકી


  • Published By :
  • Published Date : 2023-04-09 19:28:56

મુંબઈ પોલીસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ રવિવારે IIT બોમ્બેના 19 વર્ષીય વિદ્યાર્થીની સાથી વિદ્યાર્થી દર્શન સોલંકીની આત્મહત્યા માટે કથિત રૂપે પ્રેરિત કરવાના આરોપમાં ધરપકડ કરી છે. SITને સોલંકીના હોસ્ટેલના રૂમમાંથી કથિત સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં તેણે કથિત રીતે લખ્યું હતું કે, "અરમાન, તે મને મારી નાખ્યો"


અરમાન ખત્રીની થશે પૂછપરછ 


દર્શન સોલંકી અને અરમાન ખત્રી વચ્ચે ઝઘડાનું કારણ શું હતું એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે અરમાન ઈકબાલ ખત્રીનું નિવેદન નોંધ્યું હતું, પરંતુ તે બંને વચ્ચે બોલાચાલીનું કારણ શું હતું તે વિશે તે જણાવી રહ્યો નથી.આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણી શકીએ, તે માટે અમે તેની ધરપકડ કરી પૂછપરછ કરવા માગીએ છીએ. અરમાન ઈકબાલ ખત્રી અને દર્શન સોલંકી વચ્ચે મારામારી થઈ અને મામલો આત્મહત્યા સુધી પહોંચ્યો હતો. કેસની તપાસ દરમિયાન, પોલીસને જાણવા મળ્યું કે અરમાન ખત્રીએ કથિત રીતે સાંપ્રદાયિક ટિપ્પણી કરવા બદલ દર્શન સોલંકીને ધમકી આપી હતી. દર્શન સોલંકી હોસ્ટેલના એ જ ફ્લોર પર રહેતો હતો.


અરમાન ખત્રીએ આપી હતી ધમકી 


પ્રાથમિક તપાસમાં પોલીસને સાંપ્રદાયિક ટિપ્પણીનો એંગલ મળ્યો છે.તપાસ સાથે સંકળાયેલા એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “અમારા દ્વારા નોંધવામાં આવેલા અન્ય વિદ્યાર્થીઓના નિવેદનના આધારે, તે પ્રકાશમાં આવ્યું છે કે દર્શન સોલંકીએ આત્મહત્યાના લગભગ પાંચ દિવસ પહેલા એક કોમવાદી ટિપ્પણી કરી હતી. જેનાથી અરમાન ખત્રી નારાજ થયો હતો. ખત્રીએ તેને કટર બતાવીને ધમકી આપી હતી કે તે તેને છોડશે નહીં. આ ધમકીથી દર્શન સોલંકી ડરી ગયો હતો અને તેણે અનેકવાર અરમાન  ખત્રીની માફી પણ માંગી હતી અને બંને ગળે મળ્યા હતા. જોકે, એવું લાગે છે કે તે ખુબ જ ડરી ગયો હતો. આત્મહત્યાના એક દિવસ પહેલા તેને તાવ પણ આવ્યો હતો.


સુસાઇડ નોટની તપાસ બાદ ખત્રીની ધરપકડ


દર્શન સોલંકી આત્મહત્યા કેસ SITને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.  SITની તપાસ દરમિયાન 3 માર્ચે દર્શન સોલંકીના હોસ્ટેલ રૂમમાંથી એક કથિત સુસાઇડ નોટ મળી આવી હતી. એક સૂત્રએ જણાવ્યું હતું કે હેન્ડરાઈટિંગ એનાલિસિસ પછી તે બાબતની પુષ્ટિ થઈ છે કે કથિત સુસાઈડ નોટ સોલંકીએ લખી હતી. આ પછી પોલીસે અરમાન  ખત્રીની ધરપકડ કરવાનો નિર્ણય લીધો હતો.


સમગ્ર મામલો શું હતો?


અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાતના અમદાવાદના રહેવાસી અને B.Tech (કેમિકલ) કોર્સના પ્રથમ વર્ષના વિદ્યાર્થી દર્શન સોલંકીએ આ વર્ષે 12 ફેબ્રુઆરીએ IIT બોમ્બેની હોસ્ટેલ બિલ્ડિંગના સાતમા માળેથી કૂદીને કથિત રીતે આત્મહત્યા કરી હતી. મહારાષ્ટ્ર સરકારે સોલંકીના મૃત્યુની તપાસ માટે SITની રચના કરી હતી.



જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.