સોમનાથ મંદિર આસપાસ દબાણો દૂર કરાયા, પોલીસ બંદોબસ્ત સાથે 3 હેક્ટર જમીન ખુલ્લી કરાઈ


  • Published By :
  • Published Date : 2024-01-28 14:57:51

રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર આસપાસ સરકારી જમીનો પરના અનઅધિકૃત દબાણો દૂર કરવા માટે બીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સોમનાથ તંત્રએ મંદિર નજીકના મુખ્ય માર્ગ પર 144થી વધુ પાથરણાવાળાઓ અને લારી-ગલ્લાઓને પોલીસ બંદોબસ્ત સાથે દૂર કર્યાં હતાં. ગઈકાલે દરિયાકિનારે યાત્રાધામ સોમનાથ મંદિર ટ્રસ્ટની તથા સરકારી જમીન ઉપર વર્ષોથી ખડકાયેલાં કાચાં-પાકાં 175 જેટલાં ગેરકાયદે મકાનો દૂર કરાયાં હતાં.


જડબેસલાક પોલીસ બંદોબસ્ત


સોમનાથ મંદિરના જે મુખ્ય પ્રેવેશ માર્ગ એવા શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધીના મુખ્યમાર્ગ પર લારી-ગલ્લાવાળા અને પાથરણા વાળાઓને આજે વહેલી સવારથી દૂર કરવામાં આવ્યા છે. આ અંગે વિભાગીય પોલીસ અધિકારી વી.આર.ખેંગારે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા ગઈકાલે 144 જેટલા દબાણ ધારકોને નોટિસો આપવામાં આવી હતી. આ દબાણો હટાવવા માટે માર્ગ-મકાન વિભાગની ટીમ દ્વારા જેસીબી, ટ્રેક્ટરો કામે લગાડાયાં હતાં. આ મેગા ડિમોલિશન કામગીરીની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયા અને પોલીસ અધીક્ષક મનોહરસિંહ જાડેજા પણ સ્થળ પર હાજર રહ્યા હતા. કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે જિલ્લા પોલીસ અધીક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા જડબેસલાક પોલીસ- બંદોબસ્ત તહેનાત કરી દેવાયો હતો. એમાં ડિમોલિશનના સ્થળે 2 ડીવાયએસપી, 7 પીઆઈ, 20 પીએસઆઈ, એલસીબી, એસઓજી તથા જીઆઇડી મળી 500 જેટલા પોલીસકર્મીઓનો કાફલો બંદોબસ્તમાં તહેનાત કરવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે પોલીસના જડબેસલાક બંદોબસ્ત સાથે આ તમામ દબાણોને દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આમ આજે બીજા દિવસે પણ યાત્રાધામ સોમનાથમાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે અને સરકારી જમીન પરના વર્ષો જુના દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે. સોમનાથ તંત્રએ મેગા ડિમોલિશન દ્વારા 21 પાકાં મકાનો તથા 153 જેટલાં ઝૂંપડાં હટાવીને 3 હેક્ટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી હતી, હવે આ ખુલ્લી જમીનને ફરતે ફેન્સિંગ કરવામાં આવશે.​​​​​



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે