ગીર સોમનાથ જિલ્લા તંત્રનો સપાટો, સોમનાથ મંદિર આસપાસ ગેરકાયદે દબાણો દૂર કરાયા


  • Published By :
  • Published Date : 2023-10-08 16:57:14

દેશના 12 જ્યોતિર્લિંગ પૈકીના એક ગીર સોમનાથ જિલ્લામાં આવેલા સોમનાથ મંદિરની આસપાસ વધી રહેલા દબાણોને હટાવવા માટે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.  સોમનાથમાં તંત્ર દ્વારા હાથ ઘરવામાં આવેલી આવેલી આ દબાણ હટાવવાની કામગીરી પ્રાંત અધિકારી કે. વી. બાટીના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. તંત્રએ ચુસ્ત બંદોબસ્ત હેઠળ 9000 ચોરસ મીટરથી વધુ જગ્યામાં ડીમોલેશન હાથ ધર્યું છે.


સઘન પોલીસ બંદોબસ્ત હેઠળ કાર્યવાહી


ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ અને સોમનાથ ને જોડતા મુખ્ય માર્ગ પર તેમજ આસપાસના સરકારી જગ્યા ઉપર થયેલા દબાણોને દૂર કરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સઘન પોલીસ બંદોબસ્ત હેઠળ 02 DYSP, 07 PI, 18 PSI, SOG,LCB, 02 SRP કંપની સહિત 300 થી વધુ પોલીસ સ્ટાફ ઝુંબેશની સુરક્ષામાં ફાળવવામાં આવ્યો છે.


9000 ચોરસ મીટર જેટલી જગ્યામાં ડિમોલિશન


વેરાવળ અને સોમનાથ ને જોડતા મુખ્ય માર્ગ પર લગભગ 9000 ચોરસ મીટર જેટલી જગ્યામાં 27 થી વધુ વાણિજ્ય હેતુના દબાણ આ ઉપરાંત અનેક દબાણો હટાવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ ગોઠવાયું છે. કોઈ તોફાની તત્વો શહેરમાં પ્રવેશ ના કરે તે માટે જિલ્લાની સરહદ શાંતિપરા પાટિયા અને સોમનાથ સર્કલ પર ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ શરૂ કરાયું છે. આ ઉપરાંત ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.