ગીર સોમનાથ જિલ્લા તંત્રનો સપાટો, સોમનાથ મંદિર આસપાસ ગેરકાયદે દબાણો દૂર કરાયા


  • Published By :
  • Published Date : 2023-10-08 16:57:14

દેશના 12 જ્યોતિર્લિંગ પૈકીના એક ગીર સોમનાથ જિલ્લામાં આવેલા સોમનાથ મંદિરની આસપાસ વધી રહેલા દબાણોને હટાવવા માટે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.  સોમનાથમાં તંત્ર દ્વારા હાથ ઘરવામાં આવેલી આવેલી આ દબાણ હટાવવાની કામગીરી પ્રાંત અધિકારી કે. વી. બાટીના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. તંત્રએ ચુસ્ત બંદોબસ્ત હેઠળ 9000 ચોરસ મીટરથી વધુ જગ્યામાં ડીમોલેશન હાથ ધર્યું છે.


સઘન પોલીસ બંદોબસ્ત હેઠળ કાર્યવાહી


ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ અને સોમનાથ ને જોડતા મુખ્ય માર્ગ પર તેમજ આસપાસના સરકારી જગ્યા ઉપર થયેલા દબાણોને દૂર કરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. સઘન પોલીસ બંદોબસ્ત હેઠળ 02 DYSP, 07 PI, 18 PSI, SOG,LCB, 02 SRP કંપની સહિત 300 થી વધુ પોલીસ સ્ટાફ ઝુંબેશની સુરક્ષામાં ફાળવવામાં આવ્યો છે.


9000 ચોરસ મીટર જેટલી જગ્યામાં ડિમોલિશન


વેરાવળ અને સોમનાથ ને જોડતા મુખ્ય માર્ગ પર લગભગ 9000 ચોરસ મીટર જેટલી જગ્યામાં 27 થી વધુ વાણિજ્ય હેતુના દબાણ આ ઉપરાંત અનેક દબાણો હટાવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તમામ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ ગોઠવાયું છે. કોઈ તોફાની તત્વો શહેરમાં પ્રવેશ ના કરે તે માટે જિલ્લાની સરહદ શાંતિપરા પાટિયા અને સોમનાથ સર્કલ પર ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ શરૂ કરાયું છે. આ ઉપરાંત ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી