અમદાવાદમાં ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિંગ ફર્મ પર EDનો સપાટો, રૂ.1.36 કરોડ રોકડ, 71 લાખનું સોનું, 2 લક્ઝરી કાર જપ્ત


  • Published By :
  • Published Date : 2023-09-19 19:23:23

રાજ્યના મોટા શહેરોમાં ચાલી રહેલા ફોરેક્સ ટ્રેડિગ પર ઈડીની બાજ નજર રહે છે. આજે ઈડીના અધિકારીઓએ અમદાવાદમાં ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિગને લઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઈડીની આ રેડ દરમિયાન અધિકારીઓને 1.36 કરોડની રોકડ મળી આવી છે. આ ઉપરાંત EDના અધિકારીઓએ 71 લાખનું સોનું અને 2 લક્ઝરી કાર પણ જપ્ત કરી છે. અચાનક જ ઈડીએ સપાટો બોલાવતા ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિગમાં સામેલ તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 


ઈડીએ કોની સામે કરી કાર્યવાહી  


EDના અધિકારીઓએ અમદાવાદમાં ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિગને લઈ સર્ચ હાથ ધર્યું હતું. TP ગ્લોબલ FX દ્વારા ચાલતા ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિંગને લઈ ED દ્વારા તપાસ કરાઈ રહીં છે. EDએ આરોપીઓના બેંક ખાતામાં રહેલા 14.72 લાખ રૂપિયા પણ ફ્રીઝ કર્યા છે. ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિંગ મામલે EDએ સર્ચ હાથ ધર્યું હતું. 


ફોરેક્સ ટ્રેડિંગ શું છે, અને તે કેવી રીતે કામ કરે છે?


ફોરેક્સ માર્કેટ શું છે તે સમજવું જરૂરી છે. ફોરેક્સ અથવા વિદેશી વિનિમય બજાર એ છે જ્યાં એક કરન્સી બીજા અન્ય સામે ટ્રેડ કરવામાં આવે છે. આ વિશ્વના સૌથી સક્રિય રીતે ટ્રેડ કરેલા નાણાંકીય બજારો પૈકી એક છે. આ માર્કેટ 24 કલાક ચાલુ રહે છે. જ્યાં એક કરન્સી બીજા અન્ય ટ્રેડમાં કરવામાં આવે છે, જે વિશ્વભરના સ્ટોક માર્કેટમાં સંયુક્ત પણ ટ્રાન્ઝેકેશન પણ કરતી હોય છે. વૉલ્યુમ ખૂબ મોટી છે કે તેઓ વિશ્વભરના સ્ટૉક માર્કેટમાં તમામ સંયુક્ત ટ્રાન્ઝૅક્શન કરતાં વધુ છે.


ફોરેક્સ માર્કેટમાં વૈશ્વિક પહોંચ છે જ્યાં વિશ્વભરના ખરીદદારો અને વિક્રેતાઓ વેપાર માટે એકસાથે આવે છે. આ વેપારીઓ એકબીજા વચ્ચે સંમત કિંમત પર પૈસા ટ્રાન્સફર કરે છે. આ પ્રક્રિયા દ્વારા, વ્યક્તિઓ, કોર્પોરેટ અને કેન્દ્રીય દેશોની બેંકો એક કરન્સીને બીજામાં બદલી આપે છે. જ્યારે વિદેશમાં મુસાફરી કરે છે, ત્યારે બધા વિદેશની કેટલીક કરન્સી ખરીદીએ છે. તે મૂળભૂત રીતે એક ફોરેક્સ ટ્રાન્ઝૅક્શન છે.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.