અમદાવાદમાં ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિંગ ફર્મ પર EDનો સપાટો, રૂ.1.36 કરોડ રોકડ, 71 લાખનું સોનું, 2 લક્ઝરી કાર જપ્ત


  • Published By :
  • Published Date : 2023-09-19 19:23:23

રાજ્યના મોટા શહેરોમાં ચાલી રહેલા ફોરેક્સ ટ્રેડિગ પર ઈડીની બાજ નજર રહે છે. આજે ઈડીના અધિકારીઓએ અમદાવાદમાં ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિગને લઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઈડીની આ રેડ દરમિયાન અધિકારીઓને 1.36 કરોડની રોકડ મળી આવી છે. આ ઉપરાંત EDના અધિકારીઓએ 71 લાખનું સોનું અને 2 લક્ઝરી કાર પણ જપ્ત કરી છે. અચાનક જ ઈડીએ સપાટો બોલાવતા ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિગમાં સામેલ તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 


ઈડીએ કોની સામે કરી કાર્યવાહી  


EDના અધિકારીઓએ અમદાવાદમાં ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિગને લઈ સર્ચ હાથ ધર્યું હતું. TP ગ્લોબલ FX દ્વારા ચાલતા ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિંગને લઈ ED દ્વારા તપાસ કરાઈ રહીં છે. EDએ આરોપીઓના બેંક ખાતામાં રહેલા 14.72 લાખ રૂપિયા પણ ફ્રીઝ કર્યા છે. ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિંગ મામલે EDએ સર્ચ હાથ ધર્યું હતું. 


ફોરેક્સ ટ્રેડિંગ શું છે, અને તે કેવી રીતે કામ કરે છે?


ફોરેક્સ માર્કેટ શું છે તે સમજવું જરૂરી છે. ફોરેક્સ અથવા વિદેશી વિનિમય બજાર એ છે જ્યાં એક કરન્સી બીજા અન્ય સામે ટ્રેડ કરવામાં આવે છે. આ વિશ્વના સૌથી સક્રિય રીતે ટ્રેડ કરેલા નાણાંકીય બજારો પૈકી એક છે. આ માર્કેટ 24 કલાક ચાલુ રહે છે. જ્યાં એક કરન્સી બીજા અન્ય ટ્રેડમાં કરવામાં આવે છે, જે વિશ્વભરના સ્ટોક માર્કેટમાં સંયુક્ત પણ ટ્રાન્ઝેકેશન પણ કરતી હોય છે. વૉલ્યુમ ખૂબ મોટી છે કે તેઓ વિશ્વભરના સ્ટૉક માર્કેટમાં તમામ સંયુક્ત ટ્રાન્ઝૅક્શન કરતાં વધુ છે.


ફોરેક્સ માર્કેટમાં વૈશ્વિક પહોંચ છે જ્યાં વિશ્વભરના ખરીદદારો અને વિક્રેતાઓ વેપાર માટે એકસાથે આવે છે. આ વેપારીઓ એકબીજા વચ્ચે સંમત કિંમત પર પૈસા ટ્રાન્સફર કરે છે. આ પ્રક્રિયા દ્વારા, વ્યક્તિઓ, કોર્પોરેટ અને કેન્દ્રીય દેશોની બેંકો એક કરન્સીને બીજામાં બદલી આપે છે. જ્યારે વિદેશમાં મુસાફરી કરે છે, ત્યારે બધા વિદેશની કેટલીક કરન્સી ખરીદીએ છે. તે મૂળભૂત રીતે એક ફોરેક્સ ટ્રાન્ઝૅક્શન છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.