અમદાવાદમાં ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિંગ ફર્મ પર EDનો સપાટો, રૂ.1.36 કરોડ રોકડ, 71 લાખનું સોનું, 2 લક્ઝરી કાર જપ્ત


  • Published By :
  • Published Date : 2023-09-19 19:23:23

રાજ્યના મોટા શહેરોમાં ચાલી રહેલા ફોરેક્સ ટ્રેડિગ પર ઈડીની બાજ નજર રહે છે. આજે ઈડીના અધિકારીઓએ અમદાવાદમાં ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિગને લઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઈડીની આ રેડ દરમિયાન અધિકારીઓને 1.36 કરોડની રોકડ મળી આવી છે. આ ઉપરાંત EDના અધિકારીઓએ 71 લાખનું સોનું અને 2 લક્ઝરી કાર પણ જપ્ત કરી છે. અચાનક જ ઈડીએ સપાટો બોલાવતા ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિગમાં સામેલ તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 


ઈડીએ કોની સામે કરી કાર્યવાહી  


EDના અધિકારીઓએ અમદાવાદમાં ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિગને લઈ સર્ચ હાથ ધર્યું હતું. TP ગ્લોબલ FX દ્વારા ચાલતા ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિંગને લઈ ED દ્વારા તપાસ કરાઈ રહીં છે. EDએ આરોપીઓના બેંક ખાતામાં રહેલા 14.72 લાખ રૂપિયા પણ ફ્રીઝ કર્યા છે. ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિંગ મામલે EDએ સર્ચ હાથ ધર્યું હતું. 


ફોરેક્સ ટ્રેડિંગ શું છે, અને તે કેવી રીતે કામ કરે છે?


ફોરેક્સ માર્કેટ શું છે તે સમજવું જરૂરી છે. ફોરેક્સ અથવા વિદેશી વિનિમય બજાર એ છે જ્યાં એક કરન્સી બીજા અન્ય સામે ટ્રેડ કરવામાં આવે છે. આ વિશ્વના સૌથી સક્રિય રીતે ટ્રેડ કરેલા નાણાંકીય બજારો પૈકી એક છે. આ માર્કેટ 24 કલાક ચાલુ રહે છે. જ્યાં એક કરન્સી બીજા અન્ય ટ્રેડમાં કરવામાં આવે છે, જે વિશ્વભરના સ્ટોક માર્કેટમાં સંયુક્ત પણ ટ્રાન્ઝેકેશન પણ કરતી હોય છે. વૉલ્યુમ ખૂબ મોટી છે કે તેઓ વિશ્વભરના સ્ટૉક માર્કેટમાં તમામ સંયુક્ત ટ્રાન્ઝૅક્શન કરતાં વધુ છે.


ફોરેક્સ માર્કેટમાં વૈશ્વિક પહોંચ છે જ્યાં વિશ્વભરના ખરીદદારો અને વિક્રેતાઓ વેપાર માટે એકસાથે આવે છે. આ વેપારીઓ એકબીજા વચ્ચે સંમત કિંમત પર પૈસા ટ્રાન્સફર કરે છે. આ પ્રક્રિયા દ્વારા, વ્યક્તિઓ, કોર્પોરેટ અને કેન્દ્રીય દેશોની બેંકો એક કરન્સીને બીજામાં બદલી આપે છે. જ્યારે વિદેશમાં મુસાફરી કરે છે, ત્યારે બધા વિદેશની કેટલીક કરન્સી ખરીદીએ છે. તે મૂળભૂત રીતે એક ફોરેક્સ ટ્રાન્ઝૅક્શન છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.