અમદાવાદમાં ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિંગ ફર્મ પર EDનો સપાટો, રૂ.1.36 કરોડ રોકડ, 71 લાખનું સોનું, 2 લક્ઝરી કાર જપ્ત


  • Published By :
  • Published Date : 2023-09-19 19:23:23

રાજ્યના મોટા શહેરોમાં ચાલી રહેલા ફોરેક્સ ટ્રેડિગ પર ઈડીની બાજ નજર રહે છે. આજે ઈડીના અધિકારીઓએ અમદાવાદમાં ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિગને લઈ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઈડીની આ રેડ દરમિયાન અધિકારીઓને 1.36 કરોડની રોકડ મળી આવી છે. આ ઉપરાંત EDના અધિકારીઓએ 71 લાખનું સોનું અને 2 લક્ઝરી કાર પણ જપ્ત કરી છે. અચાનક જ ઈડીએ સપાટો બોલાવતા ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિગમાં સામેલ તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 


ઈડીએ કોની સામે કરી કાર્યવાહી  


EDના અધિકારીઓએ અમદાવાદમાં ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિગને લઈ સર્ચ હાથ ધર્યું હતું. TP ગ્લોબલ FX દ્વારા ચાલતા ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિંગને લઈ ED દ્વારા તપાસ કરાઈ રહીં છે. EDએ આરોપીઓના બેંક ખાતામાં રહેલા 14.72 લાખ રૂપિયા પણ ફ્રીઝ કર્યા છે. ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિંગ મામલે EDએ સર્ચ હાથ ધર્યું હતું. 


ફોરેક્સ ટ્રેડિંગ શું છે, અને તે કેવી રીતે કામ કરે છે?


ફોરેક્સ માર્કેટ શું છે તે સમજવું જરૂરી છે. ફોરેક્સ અથવા વિદેશી વિનિમય બજાર એ છે જ્યાં એક કરન્સી બીજા અન્ય સામે ટ્રેડ કરવામાં આવે છે. આ વિશ્વના સૌથી સક્રિય રીતે ટ્રેડ કરેલા નાણાંકીય બજારો પૈકી એક છે. આ માર્કેટ 24 કલાક ચાલુ રહે છે. જ્યાં એક કરન્સી બીજા અન્ય ટ્રેડમાં કરવામાં આવે છે, જે વિશ્વભરના સ્ટોક માર્કેટમાં સંયુક્ત પણ ટ્રાન્ઝેકેશન પણ કરતી હોય છે. વૉલ્યુમ ખૂબ મોટી છે કે તેઓ વિશ્વભરના સ્ટૉક માર્કેટમાં તમામ સંયુક્ત ટ્રાન્ઝૅક્શન કરતાં વધુ છે.


ફોરેક્સ માર્કેટમાં વૈશ્વિક પહોંચ છે જ્યાં વિશ્વભરના ખરીદદારો અને વિક્રેતાઓ વેપાર માટે એકસાથે આવે છે. આ વેપારીઓ એકબીજા વચ્ચે સંમત કિંમત પર પૈસા ટ્રાન્સફર કરે છે. આ પ્રક્રિયા દ્વારા, વ્યક્તિઓ, કોર્પોરેટ અને કેન્દ્રીય દેશોની બેંકો એક કરન્સીને બીજામાં બદલી આપે છે. જ્યારે વિદેશમાં મુસાફરી કરે છે, ત્યારે બધા વિદેશની કેટલીક કરન્સી ખરીદીએ છે. તે મૂળભૂત રીતે એક ફોરેક્સ ટ્રાન્ઝૅક્શન છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.