ILO Unemployment Report : ચૂંટણી પહેલા સામે આવ્યો બેરોજગારોનો આંકડો! ભારતના 83 ટકા યુવાનો બેરોજગાર! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-04-01 12:57:51

ભારતમાં યુવાનોની સંખ્યા વધારે છે. ભારતને યુવાનોનો દેશ કહીએ તો પણ અતિશયોક્તિ નથી.... પરંતુ ભારતના 83 ટકા યુવાનો બેરોજગાર છે તેવો રિપોર્ટ  ILO અને IHD દ્વારા આપવામાં આવ્યો છે.! ILO એટલે  ઈન્ટરનેશનલ લેબર ઓર્ગોનાઈઝેશન અને IHD  એટલે ઈન્સ્ટીયુટ ઓફ હ્યુમન ડેવલેપમેન્ટ.. આ રિપોર્ટમાં બેરોજગારીની માહિતી આપવામાં આવી છે જે ચોંકાવનારી છે. બેરોજગારીમાં સૌથી વધારે આંકડો શિક્ષિત બેરોજગારોનો છે...


ચૂંટણી પહેલા આવ્યો બેરોજગારો અંગેનો રિપોર્ટ!

લોકસભા ચૂંટણી થોડા સમયમાં યોજાવાની છે. ચૂંટણીના માહોલમાં અનેક મુદ્દાઓ હશે જેને ઉઠાવવામાં આવશે. બેરોજગારી, મોંઘવારી, શિક્ષા જેવી વાતો પર નિવેદનો આપવામાં આવશે પરંતુ પરિણામ કંઈ નહીં આવે..! બેરોજગારીનું સંકટ ભારત દેશના યુવાનો પર સતત વધી રહ્યું છે. બેરોજગારી ઘટવાની બદલીમાં બેરોજગારી દર વધ્યો છે. શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. 


આ રાજ્યોમાં સૌથી વધારે યુવાનો છે બેરોજગાર!

બેરોજગારોની સંખ્યામાં સૌથી મોટો ફાળો શિક્ષિત બેરોજગારોનો છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2000માં આ શિક્ષિત બેરોજગારોની ભાગેદારી 54.2 ટકા હતી જે વર્ષ 2022માં વધીને 65.7 ટકા થઈ ગઈ છે.  22 વર્ષમાં આ આંકડો વધારે વધ્યો છે.! આ આંકડા હજુ પણ વધી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, શિક્ષિત લોકોમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેમણે ઓછામાં ઓછા ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. મહત્વનું છે કે કામ શોધવાની દોડમાં સૌથી વધારે યુવાનો છે. કામ શોધી રહેલા લોકોમાં 83 ટકા યુવાનો છે. રિપોર્ટ અનુસાર જે રાજ્યોમાં બેરોજગારીનો દર ઊંચો છે તેની વાત કરીએ તો તેમાં ઓડિશા, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. જેમાં છેલ્લા ઘણા વર્ષોથી રોજગારીના આંકડામાં બહુ સુધારો જોવા મળ્યો નથી. 



યુવાનોને નથી ટેક્નોલોજી વિશે જ્ઞાન!

અનેક કારણો બેરોજગારી પાછળ જવાબદાર હોઈ શકે છે જેમ કે યુવાનો ટેક્નોલોજી અંગે વધારે જાણકાર નથી.. ડિઝિટલ સ્કીલ્સ ના હોવાને કારણે પણ આ રેટ વધારે હોઈ શકે છે. અનેક લોકો પાસે સામાન્ય જાણકારી પણ નથી હોતી ટેક્નોલોજીની... જેને કારણે તેમને નોકરી નથી મળતી અને તે બેરોજગાર રહી જાય છે. મહત્વનું છે કે વધતી બેરોજગારી એક સમસ્યા છે પરંતુ વધતા જતા શિક્ષિત બેરોજગાર વધારે મોટી સમસ્યા  છે...!  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.