ILO Unemployment Report : ચૂંટણી પહેલા સામે આવ્યો બેરોજગારોનો આંકડો! ભારતના 83 ટકા યુવાનો બેરોજગાર! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-04-01 12:57:51

ભારતમાં યુવાનોની સંખ્યા વધારે છે. ભારતને યુવાનોનો દેશ કહીએ તો પણ અતિશયોક્તિ નથી.... પરંતુ ભારતના 83 ટકા યુવાનો બેરોજગાર છે તેવો રિપોર્ટ  ILO અને IHD દ્વારા આપવામાં આવ્યો છે.! ILO એટલે  ઈન્ટરનેશનલ લેબર ઓર્ગોનાઈઝેશન અને IHD  એટલે ઈન્સ્ટીયુટ ઓફ હ્યુમન ડેવલેપમેન્ટ.. આ રિપોર્ટમાં બેરોજગારીની માહિતી આપવામાં આવી છે જે ચોંકાવનારી છે. બેરોજગારીમાં સૌથી વધારે આંકડો શિક્ષિત બેરોજગારોનો છે...


ચૂંટણી પહેલા આવ્યો બેરોજગારો અંગેનો રિપોર્ટ!

લોકસભા ચૂંટણી થોડા સમયમાં યોજાવાની છે. ચૂંટણીના માહોલમાં અનેક મુદ્દાઓ હશે જેને ઉઠાવવામાં આવશે. બેરોજગારી, મોંઘવારી, શિક્ષા જેવી વાતો પર નિવેદનો આપવામાં આવશે પરંતુ પરિણામ કંઈ નહીં આવે..! બેરોજગારીનું સંકટ ભારત દેશના યુવાનો પર સતત વધી રહ્યું છે. બેરોજગારી ઘટવાની બદલીમાં બેરોજગારી દર વધ્યો છે. શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. 


આ રાજ્યોમાં સૌથી વધારે યુવાનો છે બેરોજગાર!

બેરોજગારોની સંખ્યામાં સૌથી મોટો ફાળો શિક્ષિત બેરોજગારોનો છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2000માં આ શિક્ષિત બેરોજગારોની ભાગેદારી 54.2 ટકા હતી જે વર્ષ 2022માં વધીને 65.7 ટકા થઈ ગઈ છે.  22 વર્ષમાં આ આંકડો વધારે વધ્યો છે.! આ આંકડા હજુ પણ વધી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, શિક્ષિત લોકોમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેમણે ઓછામાં ઓછા ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. મહત્વનું છે કે કામ શોધવાની દોડમાં સૌથી વધારે યુવાનો છે. કામ શોધી રહેલા લોકોમાં 83 ટકા યુવાનો છે. રિપોર્ટ અનુસાર જે રાજ્યોમાં બેરોજગારીનો દર ઊંચો છે તેની વાત કરીએ તો તેમાં ઓડિશા, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. જેમાં છેલ્લા ઘણા વર્ષોથી રોજગારીના આંકડામાં બહુ સુધારો જોવા મળ્યો નથી. 



યુવાનોને નથી ટેક્નોલોજી વિશે જ્ઞાન!

અનેક કારણો બેરોજગારી પાછળ જવાબદાર હોઈ શકે છે જેમ કે યુવાનો ટેક્નોલોજી અંગે વધારે જાણકાર નથી.. ડિઝિટલ સ્કીલ્સ ના હોવાને કારણે પણ આ રેટ વધારે હોઈ શકે છે. અનેક લોકો પાસે સામાન્ય જાણકારી પણ નથી હોતી ટેક્નોલોજીની... જેને કારણે તેમને નોકરી નથી મળતી અને તે બેરોજગાર રહી જાય છે. મહત્વનું છે કે વધતી બેરોજગારી એક સમસ્યા છે પરંતુ વધતા જતા શિક્ષિત બેરોજગાર વધારે મોટી સમસ્યા  છે...!  



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.