ILO Unemployment Report : ચૂંટણી પહેલા સામે આવ્યો બેરોજગારોનો આંકડો! ભારતના 83 ટકા યુવાનો બેરોજગાર! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-04-01 12:57:51

ભારતમાં યુવાનોની સંખ્યા વધારે છે. ભારતને યુવાનોનો દેશ કહીએ તો પણ અતિશયોક્તિ નથી.... પરંતુ ભારતના 83 ટકા યુવાનો બેરોજગાર છે તેવો રિપોર્ટ  ILO અને IHD દ્વારા આપવામાં આવ્યો છે.! ILO એટલે  ઈન્ટરનેશનલ લેબર ઓર્ગોનાઈઝેશન અને IHD  એટલે ઈન્સ્ટીયુટ ઓફ હ્યુમન ડેવલેપમેન્ટ.. આ રિપોર્ટમાં બેરોજગારીની માહિતી આપવામાં આવી છે જે ચોંકાવનારી છે. બેરોજગારીમાં સૌથી વધારે આંકડો શિક્ષિત બેરોજગારોનો છે...


ચૂંટણી પહેલા આવ્યો બેરોજગારો અંગેનો રિપોર્ટ!

લોકસભા ચૂંટણી થોડા સમયમાં યોજાવાની છે. ચૂંટણીના માહોલમાં અનેક મુદ્દાઓ હશે જેને ઉઠાવવામાં આવશે. બેરોજગારી, મોંઘવારી, શિક્ષા જેવી વાતો પર નિવેદનો આપવામાં આવશે પરંતુ પરિણામ કંઈ નહીં આવે..! બેરોજગારીનું સંકટ ભારત દેશના યુવાનો પર સતત વધી રહ્યું છે. બેરોજગારી ઘટવાની બદલીમાં બેરોજગારી દર વધ્યો છે. શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. 


આ રાજ્યોમાં સૌથી વધારે યુવાનો છે બેરોજગાર!

બેરોજગારોની સંખ્યામાં સૌથી મોટો ફાળો શિક્ષિત બેરોજગારોનો છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2000માં આ શિક્ષિત બેરોજગારોની ભાગેદારી 54.2 ટકા હતી જે વર્ષ 2022માં વધીને 65.7 ટકા થઈ ગઈ છે.  22 વર્ષમાં આ આંકડો વધારે વધ્યો છે.! આ આંકડા હજુ પણ વધી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, શિક્ષિત લોકોમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેમણે ઓછામાં ઓછા ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. મહત્વનું છે કે કામ શોધવાની દોડમાં સૌથી વધારે યુવાનો છે. કામ શોધી રહેલા લોકોમાં 83 ટકા યુવાનો છે. રિપોર્ટ અનુસાર જે રાજ્યોમાં બેરોજગારીનો દર ઊંચો છે તેની વાત કરીએ તો તેમાં ઓડિશા, મધ્યપ્રદેશ, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. જેમાં છેલ્લા ઘણા વર્ષોથી રોજગારીના આંકડામાં બહુ સુધારો જોવા મળ્યો નથી. 



યુવાનોને નથી ટેક્નોલોજી વિશે જ્ઞાન!

અનેક કારણો બેરોજગારી પાછળ જવાબદાર હોઈ શકે છે જેમ કે યુવાનો ટેક્નોલોજી અંગે વધારે જાણકાર નથી.. ડિઝિટલ સ્કીલ્સ ના હોવાને કારણે પણ આ રેટ વધારે હોઈ શકે છે. અનેક લોકો પાસે સામાન્ય જાણકારી પણ નથી હોતી ટેક્નોલોજીની... જેને કારણે તેમને નોકરી નથી મળતી અને તે બેરોજગાર રહી જાય છે. મહત્વનું છે કે વધતી બેરોજગારી એક સમસ્યા છે પરંતુ વધતા જતા શિક્ષિત બેરોજગાર વધારે મોટી સમસ્યા  છે...!  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.