#BoycottMaldivesની અસર, બુકિંગ ધડાધડ કેન્સલ, સેલિબ્રિટીઝે પણ કર્યું અભિયાનનું સમર્થન


  • Published By :
  • Published Date : 2024-01-08 20:41:49

માલદિવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ તેમના ભારત વિરોધી અને ચીન તરફી અભિગમ માટે જાણીતા છે. મુઈઝુએ તેમના ચૂંટણી પ્રચારમાં “India Out”નું સ્લોગન આપ્યું હતું. મુઈઝુ સત્તામાં આવ્યા બાદ ભારત અને માલદિવ વચ્ચે સંબંધો વણસ્યા છે. ઇન ફેક્ટ તેઓ ભારત વિરોધી અભિયાન ચલાવીને જ સત્તા પર આવ્યા છે. તાજેતરમાં ભારતના વડા પ્રધાન મોદીની લક્ષદ્વીપની મુલાકાત અને તેમણે દેશના લોકોને લક્ષદ્વીપની મુલાકાત લેવાનો અનુરોધ કર્યા બાદ મુઈઝુના પક્ષના પ્રધાનો પીએમ મોદીની મજાક ઉડાવી હતી અને ભારતીયો વિશે એલફેલ નિવેદનો કર્યા હતા. ત્યારે સોશિયલ મીડિયા પર #BoycottMaldives ટ્રેન્ડ થવા લાગ્યું હતું. અનેક લોકોએ તેમની માલદિવ્સની ટિકિટ કેન્સલ કરી દીધી છે, તો અનેક લોકોએ લક્ષદ્વીપ જવા માટે બુકીંગ કરાવી લીધું હતું. હવે સોશિયલ મીડિયાપર એક પોસ્ટ વાયરલ થઇ રહી છે,જેમાં માલદિવ્સને આયનો બતાવવામાં આવ્યો છે અને સવાલ પૂછવામાં આવ્યો છે કે શું માલદિવ્સ આનો જવાબ આપશે.


બુકિંગ ધડાધડ કેન્સલ


દેશમાં #BoycottMaldives ટ્રેંડીંગ છે, જેની અસર જબરદસ્ત થઈ રહી છે, જેની અસર સોશિયલ મીડિયા પર સ્પષ્ટ જોવા મળી રહી છે. માલદીવ જવાનું વિચારતા લોકોએ તેમની ટ્રીપ કેન્સલ કરાવી છે. ભારતીય ટૂર એન્ડ ટ્રાવેલ ઓપરેટર્સનો દાવો છે કે માલદીવની યાત્રા માટે લોકો દ્વારા કોઈ ઈન્કવાયરી કરવામાં આવતી નથી. સ્થિતી એ છે કે ભારતીયો દ્વારા માલદિવની લગભગ 8 હજાર હોટેલો અને 2,500 ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. ધડાધડ બુકિંગ કેન્સલ થતા માલદિવના પર્યટન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. ભારતની ટ્રાવેલ એજન્સીઓને મોટો  તેમના ગ્રાહકોને લક્ષદ્વીપની યાત્રા કરવા માટે બમ્પર ઓફર કરવા લાગી છે. મેક માય ટ્રીપ ગ્રાહકોને લક્ષદિપની ફ્લાઈટ પર 2 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. 


બાયકોટ કેમ્પેઈનમાં બોલિવુડ અને સ્પોર્ટસ સેલિબ્રિટીઝ પણ જોડાઈ


#BycottMaldives અભિયાનમાં માત્ર સમાન્ય લોકો જ નહીં પણ બોલિવુડ અને રમત-ગમત ક્ષેત્રની હસ્તીઓ પણ જોડાઈ છે, ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ, સચિન તેંદુલકર, મહાનાયક અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, સલમાન ખાન, જોન અબ્રાહમ, રણવીર કપૂર, કંગના રનૌત તથા શ્રધ્ધા કપૂર સહિતની જાણીતી હસ્તીઓએ સોશિયલ મીડિયા પર તેમની પ્રતિક્રિયા આપી છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.