#BoycottMaldivesની અસર, બુકિંગ ધડાધડ કેન્સલ, સેલિબ્રિટીઝે પણ કર્યું અભિયાનનું સમર્થન


  • Published By :
  • Published Date : 2024-01-08 20:41:49

માલદિવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ તેમના ભારત વિરોધી અને ચીન તરફી અભિગમ માટે જાણીતા છે. મુઈઝુએ તેમના ચૂંટણી પ્રચારમાં “India Out”નું સ્લોગન આપ્યું હતું. મુઈઝુ સત્તામાં આવ્યા બાદ ભારત અને માલદિવ વચ્ચે સંબંધો વણસ્યા છે. ઇન ફેક્ટ તેઓ ભારત વિરોધી અભિયાન ચલાવીને જ સત્તા પર આવ્યા છે. તાજેતરમાં ભારતના વડા પ્રધાન મોદીની લક્ષદ્વીપની મુલાકાત અને તેમણે દેશના લોકોને લક્ષદ્વીપની મુલાકાત લેવાનો અનુરોધ કર્યા બાદ મુઈઝુના પક્ષના પ્રધાનો પીએમ મોદીની મજાક ઉડાવી હતી અને ભારતીયો વિશે એલફેલ નિવેદનો કર્યા હતા. ત્યારે સોશિયલ મીડિયા પર #BoycottMaldives ટ્રેન્ડ થવા લાગ્યું હતું. અનેક લોકોએ તેમની માલદિવ્સની ટિકિટ કેન્સલ કરી દીધી છે, તો અનેક લોકોએ લક્ષદ્વીપ જવા માટે બુકીંગ કરાવી લીધું હતું. હવે સોશિયલ મીડિયાપર એક પોસ્ટ વાયરલ થઇ રહી છે,જેમાં માલદિવ્સને આયનો બતાવવામાં આવ્યો છે અને સવાલ પૂછવામાં આવ્યો છે કે શું માલદિવ્સ આનો જવાબ આપશે.


બુકિંગ ધડાધડ કેન્સલ


દેશમાં #BoycottMaldives ટ્રેંડીંગ છે, જેની અસર જબરદસ્ત થઈ રહી છે, જેની અસર સોશિયલ મીડિયા પર સ્પષ્ટ જોવા મળી રહી છે. માલદીવ જવાનું વિચારતા લોકોએ તેમની ટ્રીપ કેન્સલ કરાવી છે. ભારતીય ટૂર એન્ડ ટ્રાવેલ ઓપરેટર્સનો દાવો છે કે માલદીવની યાત્રા માટે લોકો દ્વારા કોઈ ઈન્કવાયરી કરવામાં આવતી નથી. સ્થિતી એ છે કે ભારતીયો દ્વારા માલદિવની લગભગ 8 હજાર હોટેલો અને 2,500 ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. ધડાધડ બુકિંગ કેન્સલ થતા માલદિવના પર્યટન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. ભારતની ટ્રાવેલ એજન્સીઓને મોટો  તેમના ગ્રાહકોને લક્ષદ્વીપની યાત્રા કરવા માટે બમ્પર ઓફર કરવા લાગી છે. મેક માય ટ્રીપ ગ્રાહકોને લક્ષદિપની ફ્લાઈટ પર 2 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. 


બાયકોટ કેમ્પેઈનમાં બોલિવુડ અને સ્પોર્ટસ સેલિબ્રિટીઝ પણ જોડાઈ


#BycottMaldives અભિયાનમાં માત્ર સમાન્ય લોકો જ નહીં પણ બોલિવુડ અને રમત-ગમત ક્ષેત્રની હસ્તીઓ પણ જોડાઈ છે, ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ, સચિન તેંદુલકર, મહાનાયક અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, સલમાન ખાન, જોન અબ્રાહમ, રણવીર કપૂર, કંગના રનૌત તથા શ્રધ્ધા કપૂર સહિતની જાણીતી હસ્તીઓએ સોશિયલ મીડિયા પર તેમની પ્રતિક્રિયા આપી છે.   



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.