#BoycottMaldivesની અસર, બુકિંગ ધડાધડ કેન્સલ, સેલિબ્રિટીઝે પણ કર્યું અભિયાનનું સમર્થન


  • Published By :
  • Published Date : 2024-01-08 20:41:49

માલદિવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ તેમના ભારત વિરોધી અને ચીન તરફી અભિગમ માટે જાણીતા છે. મુઈઝુએ તેમના ચૂંટણી પ્રચારમાં “India Out”નું સ્લોગન આપ્યું હતું. મુઈઝુ સત્તામાં આવ્યા બાદ ભારત અને માલદિવ વચ્ચે સંબંધો વણસ્યા છે. ઇન ફેક્ટ તેઓ ભારત વિરોધી અભિયાન ચલાવીને જ સત્તા પર આવ્યા છે. તાજેતરમાં ભારતના વડા પ્રધાન મોદીની લક્ષદ્વીપની મુલાકાત અને તેમણે દેશના લોકોને લક્ષદ્વીપની મુલાકાત લેવાનો અનુરોધ કર્યા બાદ મુઈઝુના પક્ષના પ્રધાનો પીએમ મોદીની મજાક ઉડાવી હતી અને ભારતીયો વિશે એલફેલ નિવેદનો કર્યા હતા. ત્યારે સોશિયલ મીડિયા પર #BoycottMaldives ટ્રેન્ડ થવા લાગ્યું હતું. અનેક લોકોએ તેમની માલદિવ્સની ટિકિટ કેન્સલ કરી દીધી છે, તો અનેક લોકોએ લક્ષદ્વીપ જવા માટે બુકીંગ કરાવી લીધું હતું. હવે સોશિયલ મીડિયાપર એક પોસ્ટ વાયરલ થઇ રહી છે,જેમાં માલદિવ્સને આયનો બતાવવામાં આવ્યો છે અને સવાલ પૂછવામાં આવ્યો છે કે શું માલદિવ્સ આનો જવાબ આપશે.


બુકિંગ ધડાધડ કેન્સલ


દેશમાં #BoycottMaldives ટ્રેંડીંગ છે, જેની અસર જબરદસ્ત થઈ રહી છે, જેની અસર સોશિયલ મીડિયા પર સ્પષ્ટ જોવા મળી રહી છે. માલદીવ જવાનું વિચારતા લોકોએ તેમની ટ્રીપ કેન્સલ કરાવી છે. ભારતીય ટૂર એન્ડ ટ્રાવેલ ઓપરેટર્સનો દાવો છે કે માલદીવની યાત્રા માટે લોકો દ્વારા કોઈ ઈન્કવાયરી કરવામાં આવતી નથી. સ્થિતી એ છે કે ભારતીયો દ્વારા માલદિવની લગભગ 8 હજાર હોટેલો અને 2,500 ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. ધડાધડ બુકિંગ કેન્સલ થતા માલદિવના પર્યટન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. ભારતની ટ્રાવેલ એજન્સીઓને મોટો  તેમના ગ્રાહકોને લક્ષદ્વીપની યાત્રા કરવા માટે બમ્પર ઓફર કરવા લાગી છે. મેક માય ટ્રીપ ગ્રાહકોને લક્ષદિપની ફ્લાઈટ પર 2 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. 


બાયકોટ કેમ્પેઈનમાં બોલિવુડ અને સ્પોર્ટસ સેલિબ્રિટીઝ પણ જોડાઈ


#BycottMaldives અભિયાનમાં માત્ર સમાન્ય લોકો જ નહીં પણ બોલિવુડ અને રમત-ગમત ક્ષેત્રની હસ્તીઓ પણ જોડાઈ છે, ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ, સચિન તેંદુલકર, મહાનાયક અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, સલમાન ખાન, જોન અબ્રાહમ, રણવીર કપૂર, કંગના રનૌત તથા શ્રધ્ધા કપૂર સહિતની જાણીતી હસ્તીઓએ સોશિયલ મીડિયા પર તેમની પ્રતિક્રિયા આપી છે.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે