#BoycottMaldivesની અસર, બુકિંગ ધડાધડ કેન્સલ, સેલિબ્રિટીઝે પણ કર્યું અભિયાનનું સમર્થન


  • Published By :
  • Published Date : 2024-01-08 20:41:49

માલદિવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ તેમના ભારત વિરોધી અને ચીન તરફી અભિગમ માટે જાણીતા છે. મુઈઝુએ તેમના ચૂંટણી પ્રચારમાં “India Out”નું સ્લોગન આપ્યું હતું. મુઈઝુ સત્તામાં આવ્યા બાદ ભારત અને માલદિવ વચ્ચે સંબંધો વણસ્યા છે. ઇન ફેક્ટ તેઓ ભારત વિરોધી અભિયાન ચલાવીને જ સત્તા પર આવ્યા છે. તાજેતરમાં ભારતના વડા પ્રધાન મોદીની લક્ષદ્વીપની મુલાકાત અને તેમણે દેશના લોકોને લક્ષદ્વીપની મુલાકાત લેવાનો અનુરોધ કર્યા બાદ મુઈઝુના પક્ષના પ્રધાનો પીએમ મોદીની મજાક ઉડાવી હતી અને ભારતીયો વિશે એલફેલ નિવેદનો કર્યા હતા. ત્યારે સોશિયલ મીડિયા પર #BoycottMaldives ટ્રેન્ડ થવા લાગ્યું હતું. અનેક લોકોએ તેમની માલદિવ્સની ટિકિટ કેન્સલ કરી દીધી છે, તો અનેક લોકોએ લક્ષદ્વીપ જવા માટે બુકીંગ કરાવી લીધું હતું. હવે સોશિયલ મીડિયાપર એક પોસ્ટ વાયરલ થઇ રહી છે,જેમાં માલદિવ્સને આયનો બતાવવામાં આવ્યો છે અને સવાલ પૂછવામાં આવ્યો છે કે શું માલદિવ્સ આનો જવાબ આપશે.


બુકિંગ ધડાધડ કેન્સલ


દેશમાં #BoycottMaldives ટ્રેંડીંગ છે, જેની અસર જબરદસ્ત થઈ રહી છે, જેની અસર સોશિયલ મીડિયા પર સ્પષ્ટ જોવા મળી રહી છે. માલદીવ જવાનું વિચારતા લોકોએ તેમની ટ્રીપ કેન્સલ કરાવી છે. ભારતીય ટૂર એન્ડ ટ્રાવેલ ઓપરેટર્સનો દાવો છે કે માલદીવની યાત્રા માટે લોકો દ્વારા કોઈ ઈન્કવાયરી કરવામાં આવતી નથી. સ્થિતી એ છે કે ભારતીયો દ્વારા માલદિવની લગભગ 8 હજાર હોટેલો અને 2,500 ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. ધડાધડ બુકિંગ કેન્સલ થતા માલદિવના પર્યટન ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. ભારતની ટ્રાવેલ એજન્સીઓને મોટો  તેમના ગ્રાહકોને લક્ષદ્વીપની યાત્રા કરવા માટે બમ્પર ઓફર કરવા લાગી છે. મેક માય ટ્રીપ ગ્રાહકોને લક્ષદિપની ફ્લાઈટ પર 2 હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. 


બાયકોટ કેમ્પેઈનમાં બોલિવુડ અને સ્પોર્ટસ સેલિબ્રિટીઝ પણ જોડાઈ


#BycottMaldives અભિયાનમાં માત્ર સમાન્ય લોકો જ નહીં પણ બોલિવુડ અને રમત-ગમત ક્ષેત્રની હસ્તીઓ પણ જોડાઈ છે, ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ, સચિન તેંદુલકર, મહાનાયક અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, સલમાન ખાન, જોન અબ્રાહમ, રણવીર કપૂર, કંગના રનૌત તથા શ્રધ્ધા કપૂર સહિતની જાણીતી હસ્તીઓએ સોશિયલ મીડિયા પર તેમની પ્રતિક્રિયા આપી છે.   



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.