કોરોના કાળ બાદ આર્થિક મંદીની અસર વિદ્યાર્થીઓ ઉપર, પ્રાઈવેટ સ્કૂલ છોડવા મજબૂર


  • Published By :
  • Published Date : 2022-12-13 11:12:05

કોરોના મહામારીને કારણે દેશમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા હતા. ત્યારે લોકસભામાં શિક્ષા રાજ્ય મંત્રીએ લેખીતમાં જવાબ આપ્યો છે જેમાં જણાવાયું છે કે દેશમાં સતત બીજા વર્ષે પણ સરકારી શાળામાં પ્રવેશ કરનારની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. શિક્ષણ વિભાગે આ અંગે રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી આ અંગે માહિતી મંગાવી હતી. આ ડેટાને એકત્રિત કરવા સિસ્ટમ વિકસીત કરવામાં આવી હતી.



સરકારી શાળામાં વધી રહી છે વિદ્યાર્થીઓની સંખ્યા

 2019માં કોરોના મહામારીએ તમામના જીવનને અસ્ત-વ્યસ્ત કરી નાખ્યા હતા. અનેક પરિવારે કોરોના સંક્રમણને કારણે કોઈને કોઈ વ્યક્તિને ગુમાવ્યા છે. કોરોના સંક્રમણ પર નિયંત્રણ રાખવા દેશમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. ઉપરાંત અનેક લોકોની નોકરી પણ જતી રહી હતી. ત્યારે સંસદમાં શિક્ષા રાજ્યમંત્રીએ પૂશ્નના ઉતરમાં લેખિતમાં જવાબ આપ્યો હતો જે મુજબ સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. 2019-20માં સરકારી શાળામાં 13.09 કરોડ વિદ્યાર્થીઓ હતા જે વધીને 2020-21માં 13.49 કરોડ થયા. પરંતુ આ સ્થિતિ 2021-22માં પણ જોવા મળી. આ સમય ગાળા દરમિયાન સરકારી શાળામાં અભ્યાસ કરવાર વિદ્યાર્થીઓની સંખ્યા 14.32 કરોડ થઈ ગઈ. 


પ્રાઈવેટ સ્કુલનો ઘટ્યો ક્રેઝ 

એક સમય એવો હતો જ્યારે પ્રાઈવેટ સ્કુલમાં એડમિશન લેવા માટે લોકો પડાપડી કરતા હતા. પરંતુ કોરોના મહામારીના કપરા સમય બાદ પ્રાઈવેટ શાળાઓને બદલે સરકારી શાળા તરફ લોકો વળ્યા છે. જો પ્રાઈવેટ સ્કુલમાં વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરીએ તો આ સંખ્યામાં ઘટાડો થયો છે. 2019-20 દરમિયાન 9.82 કરોડ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. 2020-21માં 9.51 કરોડ વિદ્યાર્થીઓ પ્રાઈવેટ સ્કુલમાં અભ્યાસ કરતા હતા પરંતુ 2021-22માં આ આંકડો 8.82 કરોડ પર આવી ગયો. ત્યારે કોરોના કાળ પછી ગવર્મેન્ટ સ્કુલ તરફ લોકો વળી રહ્યા છે.   




અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.