કોરોના કાળ બાદ આર્થિક મંદીની અસર વિદ્યાર્થીઓ ઉપર, પ્રાઈવેટ સ્કૂલ છોડવા મજબૂર


  • Published By :
  • Published Date : 2022-12-13 11:12:05

કોરોના મહામારીને કારણે દેશમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા હતા. ત્યારે લોકસભામાં શિક્ષા રાજ્ય મંત્રીએ લેખીતમાં જવાબ આપ્યો છે જેમાં જણાવાયું છે કે દેશમાં સતત બીજા વર્ષે પણ સરકારી શાળામાં પ્રવેશ કરનારની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. શિક્ષણ વિભાગે આ અંગે રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી આ અંગે માહિતી મંગાવી હતી. આ ડેટાને એકત્રિત કરવા સિસ્ટમ વિકસીત કરવામાં આવી હતી.



સરકારી શાળામાં વધી રહી છે વિદ્યાર્થીઓની સંખ્યા

 2019માં કોરોના મહામારીએ તમામના જીવનને અસ્ત-વ્યસ્ત કરી નાખ્યા હતા. અનેક પરિવારે કોરોના સંક્રમણને કારણે કોઈને કોઈ વ્યક્તિને ગુમાવ્યા છે. કોરોના સંક્રમણ પર નિયંત્રણ રાખવા દેશમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. ઉપરાંત અનેક લોકોની નોકરી પણ જતી રહી હતી. ત્યારે સંસદમાં શિક્ષા રાજ્યમંત્રીએ પૂશ્નના ઉતરમાં લેખિતમાં જવાબ આપ્યો હતો જે મુજબ સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. 2019-20માં સરકારી શાળામાં 13.09 કરોડ વિદ્યાર્થીઓ હતા જે વધીને 2020-21માં 13.49 કરોડ થયા. પરંતુ આ સ્થિતિ 2021-22માં પણ જોવા મળી. આ સમય ગાળા દરમિયાન સરકારી શાળામાં અભ્યાસ કરવાર વિદ્યાર્થીઓની સંખ્યા 14.32 કરોડ થઈ ગઈ. 


પ્રાઈવેટ સ્કુલનો ઘટ્યો ક્રેઝ 

એક સમય એવો હતો જ્યારે પ્રાઈવેટ સ્કુલમાં એડમિશન લેવા માટે લોકો પડાપડી કરતા હતા. પરંતુ કોરોના મહામારીના કપરા સમય બાદ પ્રાઈવેટ શાળાઓને બદલે સરકારી શાળા તરફ લોકો વળ્યા છે. જો પ્રાઈવેટ સ્કુલમાં વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરીએ તો આ સંખ્યામાં ઘટાડો થયો છે. 2019-20 દરમિયાન 9.82 કરોડ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. 2020-21માં 9.51 કરોડ વિદ્યાર્થીઓ પ્રાઈવેટ સ્કુલમાં અભ્યાસ કરતા હતા પરંતુ 2021-22માં આ આંકડો 8.82 કરોડ પર આવી ગયો. ત્યારે કોરોના કાળ પછી ગવર્મેન્ટ સ્કુલ તરફ લોકો વળી રહ્યા છે.   




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.