કોરોના કાળ બાદ આર્થિક મંદીની અસર વિદ્યાર્થીઓ ઉપર, પ્રાઈવેટ સ્કૂલ છોડવા મજબૂર


  • Published By :
  • Published Date : 2022-12-13 11:12:05

કોરોના મહામારીને કારણે દેશમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. લોકો ઘરમાં પૂરાઈ રહેવા મજબૂર બન્યા હતા. ત્યારે લોકસભામાં શિક્ષા રાજ્ય મંત્રીએ લેખીતમાં જવાબ આપ્યો છે જેમાં જણાવાયું છે કે દેશમાં સતત બીજા વર્ષે પણ સરકારી શાળામાં પ્રવેશ કરનારની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. શિક્ષણ વિભાગે આ અંગે રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો પાસેથી આ અંગે માહિતી મંગાવી હતી. આ ડેટાને એકત્રિત કરવા સિસ્ટમ વિકસીત કરવામાં આવી હતી.



સરકારી શાળામાં વધી રહી છે વિદ્યાર્થીઓની સંખ્યા

 2019માં કોરોના મહામારીએ તમામના જીવનને અસ્ત-વ્યસ્ત કરી નાખ્યા હતા. અનેક પરિવારે કોરોના સંક્રમણને કારણે કોઈને કોઈ વ્યક્તિને ગુમાવ્યા છે. કોરોના સંક્રમણ પર નિયંત્રણ રાખવા દેશમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું. ઉપરાંત અનેક લોકોની નોકરી પણ જતી રહી હતી. ત્યારે સંસદમાં શિક્ષા રાજ્યમંત્રીએ પૂશ્નના ઉતરમાં લેખિતમાં જવાબ આપ્યો હતો જે મુજબ સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. 2019-20માં સરકારી શાળામાં 13.09 કરોડ વિદ્યાર્થીઓ હતા જે વધીને 2020-21માં 13.49 કરોડ થયા. પરંતુ આ સ્થિતિ 2021-22માં પણ જોવા મળી. આ સમય ગાળા દરમિયાન સરકારી શાળામાં અભ્યાસ કરવાર વિદ્યાર્થીઓની સંખ્યા 14.32 કરોડ થઈ ગઈ. 


પ્રાઈવેટ સ્કુલનો ઘટ્યો ક્રેઝ 

એક સમય એવો હતો જ્યારે પ્રાઈવેટ સ્કુલમાં એડમિશન લેવા માટે લોકો પડાપડી કરતા હતા. પરંતુ કોરોના મહામારીના કપરા સમય બાદ પ્રાઈવેટ શાળાઓને બદલે સરકારી શાળા તરફ લોકો વળ્યા છે. જો પ્રાઈવેટ સ્કુલમાં વિદ્યાર્થીઓની સંખ્યાની વાત કરીએ તો આ સંખ્યામાં ઘટાડો થયો છે. 2019-20 દરમિયાન 9.82 કરોડ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. 2020-21માં 9.51 કરોડ વિદ્યાર્થીઓ પ્રાઈવેટ સ્કુલમાં અભ્યાસ કરતા હતા પરંતુ 2021-22માં આ આંકડો 8.82 કરોડ પર આવી ગયો. ત્યારે કોરોના કાળ પછી ગવર્મેન્ટ સ્કુલ તરફ લોકો વળી રહ્યા છે.   




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.