ગિફ્ટ સિટીને અંગે સરકારનો મહત્વનો નિર્ણય, અધિકૃત કર્મચારી-અધિકારીઓ અને મુલાકાતીઓને દારુના સેવનની છુટ


  • Published By :
  • Published Date : 2023-12-22 21:51:56

ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લેતા ગાંધીનગર પાસે આવેલા ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી (ગિફ્ટ સિટી) માં સત્તાવાર રીતે કામ કરતા કર્મચારી અને અધિકારીઓ માટે દારુની મંજુરી આપી છે. ગીફ્ટ સિટીમાં આવનારા સત્તાવાર મુલાકાતીઓને પણ તેનો લાભ મળશે. વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબીશનના નિયમોમાં ફેરફાર કરવા અને લીકર પરિમિશનને લઈ રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા આ ખૂબ જ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે GIFT સિટીએ ગ્લોબલ ફાઇનાન્સીયલ અને ટેકનોલોજીનું હબ છે. જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે અને તેના વિકાસને પ્રોત્સાહન મળે તે માટે સરકારે આ ફેંસલો કર્યો છે. 


કોને મળશે છુટનો લાભ?


સમગ્ર ગિફ્ટ સિટીમાં વાઈન એન્ડ ડાઈન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહીબિશનના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ છૂટછાટ અનુસાર, સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતાં તમામ કર્મચારીઓ અને માલિકોને લીકર એક્સેસ પરમિટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી વાઈન એન્ડ ડાઈન આપતી ગિફ્ટ સિટીની હોટલ્સ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં લીકરનું સેવન કરી શકશે. આ ઉપરાંત દરેક કંપની જેને ઓથોરાઈઝ્ડ કરે, તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમિટથી આવી હોટલ્સ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઈ કરવામાં આવી છે.આ માટે GIFT સિટી ખાતે આવેલ હોટલ્સ, રેસ્ટોરન્ટ કે ક્લબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસિલિટી એટલે કે FL-3 પરવાના મેળવી શકશે. જો કે આવી હોટલ, ક્લબ કે રેસ્ટોરન્ટ લીકરની બોટલનું વેચાણ નહીં કરી શકે.આ સમગ્ર પ્રક્રિયામાં નશાબંધી અને આબકારી વિભાગ, ગુજરાત રાજ્ય GIFT City વિસ્તાર ખાતે આવેલ એફ.એલ.3 પરવાના ધરાવતી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતાં લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે.


GIFT સિટી શું છે?


ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ ટેક સીટીએ  લગભગ 900 એકરમાં ફેલાયું ગ્લોબલ ફાઈનાન્શિયલ અને ટેકનોલોજીનું હબ છે, જ્યાં આર્થિક પ્રવૃત્તિઓ ધમધમે છે. ગિફ્ટ સિટીમાં અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની કંપનીઓ પોતાની ઓફિસ ધરાવે છે. ગિફ્ટ સિટીનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર યુનિક છે. સંકુલમાં ડિસ્ટ્રિક્ટ કુલિંગ સિસ્ટમ, યૂટીલિટી ટનલ, કચરો એકત્ર કરવા માટે ઓટોમેટિક સિસ્ટમ જેવી સુવિધા પણ છે. ગિફ્ટ સિટીમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બેન્કો, આઈટી કંપનીઓ, વીમા કંપનીઓ, આંતરરાષ્ટ્રીય શેરબજાર અને ભારતનું પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સ સર્વિસ સેન્ટર (આઈએફએસસી) આવેલું છે. અહીં હોટેલ, ક્લબ હાઉસ, એફોર્ડેબલ હાઉસ તેમજ રહેણાંક એકમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.