BJP સંસદીય બોર્ડની કાલે મહત્વપૂર્ણ બેઠક, ત્રણ રાજ્યના CMના નામની થઈ શકે છે જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-12-06 22:40:53

દેશના ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની જીત બાદ હવે તે રાજ્યોના મુખ્યમંત્રીના નામ પર પાર્ટીમાં ગડમથલ ચાલી રહી છે. જો કે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે આવતી કાલે મળનારી ભાજપની સંસદીય બોર્ડની એક મહત્વપૂર્ણ બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. 3 ડિસેમ્બરે આવેલા પરિણામ બાદ ભાજપની ઉચ્ચ સ્તરીય બેઠક મળશે. આ ત્રણ રાજ્યોમાં કુલ મળીને 65 સાંસદ લોકસભામાં આવે છે. એવામાં વિધાનસભા ચૂંટણીમાં જીત આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણી માટે ભાજપ માટે ઉત્સાહ વધારનારી છે. આ પહેલા આજે વિધાનસભા ચૂંટણી જીતનાર બે કેન્દ્રીય મંત્રી સહિત 10 ભાજપના સાંસદોએ લોકસભામાંથી રાજીનામું આપી દીધા છે. આ 10 સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત બાદ પોતાના રાજીનામા આપ્યા હતા.


PM મોદીના નિવાસસ્થાને યોજાઈ હતી બેઠક


આ પહેલા ભાજપની ઉચ્ચ સ્તરીય બેઠક મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને મળી હતી જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના મુખ્યમંત્રી પસંદ કરવાની પ્રક્રિયા પર વિચાર વિમર્શ કરાયો હતો.ભાજપે ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી ન હતી. પાર્ટીએ આ ચૂંટણી વડાપ્રધાન મોદીના નામે લડી હતી. ચૂંટણી પરિણામ બાદ પણ ભાજપ હજુ સુધી આ ત્રણેય રાજ્યોમાંથી એક પણ રાજ્યના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી નથી, ત્યારે ગુરુવારે મળનારી બેઠક બાદ આ નામ જાહેર થઈ શકે છે.ભાજપ સંસદીય દળ ગુરુવારે સંસદના શિયાળુ સત્ર દરમિયાન પોતાની પહેલી બેઠક કરશે અને ત્રણ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને જોરદાર જીત બદલ વડાપ્રધાન મોદીને સન્માનિત કરવાની સંભાવના છે. ભાજપ સંસદીય દળમાં તેમના લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો સામેલ છે. આ દળ સામાન્ય રીતે સત્ર દરમિયાન દર સપ્તાહે બેઠક કરે છે. બેઠકમાં વડાપ્રધાન મોદી સહિત ભાજપના નેતા સંસદના એજન્ડા અને તેના સંગઠનાત્મક અને રાજનીતિક અભિયાનો સંબંધિત વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરશે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.