BJP સંસદીય બોર્ડની કાલે મહત્વપૂર્ણ બેઠક, ત્રણ રાજ્યના CMના નામની થઈ શકે છે જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-12-06 22:40:53

દેશના ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની જીત બાદ હવે તે રાજ્યોના મુખ્યમંત્રીના નામ પર પાર્ટીમાં ગડમથલ ચાલી રહી છે. જો કે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે આવતી કાલે મળનારી ભાજપની સંસદીય બોર્ડની એક મહત્વપૂર્ણ બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. 3 ડિસેમ્બરે આવેલા પરિણામ બાદ ભાજપની ઉચ્ચ સ્તરીય બેઠક મળશે. આ ત્રણ રાજ્યોમાં કુલ મળીને 65 સાંસદ લોકસભામાં આવે છે. એવામાં વિધાનસભા ચૂંટણીમાં જીત આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણી માટે ભાજપ માટે ઉત્સાહ વધારનારી છે. આ પહેલા આજે વિધાનસભા ચૂંટણી જીતનાર બે કેન્દ્રીય મંત્રી સહિત 10 ભાજપના સાંસદોએ લોકસભામાંથી રાજીનામું આપી દીધા છે. આ 10 સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત બાદ પોતાના રાજીનામા આપ્યા હતા.


PM મોદીના નિવાસસ્થાને યોજાઈ હતી બેઠક


આ પહેલા ભાજપની ઉચ્ચ સ્તરીય બેઠક મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને મળી હતી જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના મુખ્યમંત્રી પસંદ કરવાની પ્રક્રિયા પર વિચાર વિમર્શ કરાયો હતો.ભાજપે ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી ન હતી. પાર્ટીએ આ ચૂંટણી વડાપ્રધાન મોદીના નામે લડી હતી. ચૂંટણી પરિણામ બાદ પણ ભાજપ હજુ સુધી આ ત્રણેય રાજ્યોમાંથી એક પણ રાજ્યના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી નથી, ત્યારે ગુરુવારે મળનારી બેઠક બાદ આ નામ જાહેર થઈ શકે છે.ભાજપ સંસદીય દળ ગુરુવારે સંસદના શિયાળુ સત્ર દરમિયાન પોતાની પહેલી બેઠક કરશે અને ત્રણ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને જોરદાર જીત બદલ વડાપ્રધાન મોદીને સન્માનિત કરવાની સંભાવના છે. ભાજપ સંસદીય દળમાં તેમના લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો સામેલ છે. આ દળ સામાન્ય રીતે સત્ર દરમિયાન દર સપ્તાહે બેઠક કરે છે. બેઠકમાં વડાપ્રધાન મોદી સહિત ભાજપના નેતા સંસદના એજન્ડા અને તેના સંગઠનાત્મક અને રાજનીતિક અભિયાનો સંબંધિત વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.