BJP સંસદીય બોર્ડની કાલે મહત્વપૂર્ણ બેઠક, ત્રણ રાજ્યના CMના નામની થઈ શકે છે જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-12-06 22:40:53

દેશના ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની જીત બાદ હવે તે રાજ્યોના મુખ્યમંત્રીના નામ પર પાર્ટીમાં ગડમથલ ચાલી રહી છે. જો કે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે આવતી કાલે મળનારી ભાજપની સંસદીય બોર્ડની એક મહત્વપૂર્ણ બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. 3 ડિસેમ્બરે આવેલા પરિણામ બાદ ભાજપની ઉચ્ચ સ્તરીય બેઠક મળશે. આ ત્રણ રાજ્યોમાં કુલ મળીને 65 સાંસદ લોકસભામાં આવે છે. એવામાં વિધાનસભા ચૂંટણીમાં જીત આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણી માટે ભાજપ માટે ઉત્સાહ વધારનારી છે. આ પહેલા આજે વિધાનસભા ચૂંટણી જીતનાર બે કેન્દ્રીય મંત્રી સહિત 10 ભાજપના સાંસદોએ લોકસભામાંથી રાજીનામું આપી દીધા છે. આ 10 સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત બાદ પોતાના રાજીનામા આપ્યા હતા.


PM મોદીના નિવાસસ્થાને યોજાઈ હતી બેઠક


આ પહેલા ભાજપની ઉચ્ચ સ્તરીય બેઠક મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને મળી હતી જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના મુખ્યમંત્રી પસંદ કરવાની પ્રક્રિયા પર વિચાર વિમર્શ કરાયો હતો.ભાજપે ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી ન હતી. પાર્ટીએ આ ચૂંટણી વડાપ્રધાન મોદીના નામે લડી હતી. ચૂંટણી પરિણામ બાદ પણ ભાજપ હજુ સુધી આ ત્રણેય રાજ્યોમાંથી એક પણ રાજ્યના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી નથી, ત્યારે ગુરુવારે મળનારી બેઠક બાદ આ નામ જાહેર થઈ શકે છે.ભાજપ સંસદીય દળ ગુરુવારે સંસદના શિયાળુ સત્ર દરમિયાન પોતાની પહેલી બેઠક કરશે અને ત્રણ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને જોરદાર જીત બદલ વડાપ્રધાન મોદીને સન્માનિત કરવાની સંભાવના છે. ભાજપ સંસદીય દળમાં તેમના લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો સામેલ છે. આ દળ સામાન્ય રીતે સત્ર દરમિયાન દર સપ્તાહે બેઠક કરે છે. બેઠકમાં વડાપ્રધાન મોદી સહિત ભાજપના નેતા સંસદના એજન્ડા અને તેના સંગઠનાત્મક અને રાજનીતિક અભિયાનો સંબંધિત વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરશે.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.