BJP સંસદીય બોર્ડની કાલે મહત્વપૂર્ણ બેઠક, ત્રણ રાજ્યના CMના નામની થઈ શકે છે જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-12-06 22:40:53

દેશના ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની જીત બાદ હવે તે રાજ્યોના મુખ્યમંત્રીના નામ પર પાર્ટીમાં ગડમથલ ચાલી રહી છે. જો કે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે આવતી કાલે મળનારી ભાજપની સંસદીય બોર્ડની એક મહત્વપૂર્ણ બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. 3 ડિસેમ્બરે આવેલા પરિણામ બાદ ભાજપની ઉચ્ચ સ્તરીય બેઠક મળશે. આ ત્રણ રાજ્યોમાં કુલ મળીને 65 સાંસદ લોકસભામાં આવે છે. એવામાં વિધાનસભા ચૂંટણીમાં જીત આગામી વર્ષે થનારી લોકસભા ચૂંટણી માટે ભાજપ માટે ઉત્સાહ વધારનારી છે. આ પહેલા આજે વિધાનસભા ચૂંટણી જીતનાર બે કેન્દ્રીય મંત્રી સહિત 10 ભાજપના સાંસદોએ લોકસભામાંથી રાજીનામું આપી દીધા છે. આ 10 સાંસદોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત બાદ પોતાના રાજીનામા આપ્યા હતા.


PM મોદીના નિવાસસ્થાને યોજાઈ હતી બેઠક


આ પહેલા ભાજપની ઉચ્ચ સ્તરીય બેઠક મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને મળી હતી જેમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢના મુખ્યમંત્રી પસંદ કરવાની પ્રક્રિયા પર વિચાર વિમર્શ કરાયો હતો.ભાજપે ત્રણેય રાજ્યોમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત કરી ન હતી. પાર્ટીએ આ ચૂંટણી વડાપ્રધાન મોદીના નામે લડી હતી. ચૂંટણી પરિણામ બાદ પણ ભાજપ હજુ સુધી આ ત્રણેય રાજ્યોમાંથી એક પણ રાજ્યના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી નથી, ત્યારે ગુરુવારે મળનારી બેઠક બાદ આ નામ જાહેર થઈ શકે છે.ભાજપ સંસદીય દળ ગુરુવારે સંસદના શિયાળુ સત્ર દરમિયાન પોતાની પહેલી બેઠક કરશે અને ત્રણ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીને જોરદાર જીત બદલ વડાપ્રધાન મોદીને સન્માનિત કરવાની સંભાવના છે. ભાજપ સંસદીય દળમાં તેમના લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો સામેલ છે. આ દળ સામાન્ય રીતે સત્ર દરમિયાન દર સપ્તાહે બેઠક કરે છે. બેઠકમાં વડાપ્રધાન મોદી સહિત ભાજપના નેતા સંસદના એજન્ડા અને તેના સંગઠનાત્મક અને રાજનીતિક અભિયાનો સંબંધિત વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરશે.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.