ગુજરાતી ફિલ્મ નિર્માતાઓની મહત્વની મીટિંગ, રાજ્યમાં કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડની બ્રાન્ચ સ્થાપવા સરકાર સમક્ષ માગ


  • Published By :
  • Published Date : 2023-12-17 19:41:56

ગુજરાતમાં કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડની એક શાખા શરૂ કરવા માટેની માગ ઉઠી છે. આજે ગુજરાતી ફિલ્મો સાથે જોડાયેલા નિર્માતાઓની એક મીટિંગ યોજાઈ હતી, જેમાં ફિલ્મ નિર્માતાઓ અને ફિલ્મ નિર્માણ ક્ષેત્રે સંકળાયેલી મોટી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. ગુજરાતી ફિલ્મોનું સ્તર સુધરી રહ્યું અને વાર્ષિક દરમિયાન બનતી ફિલ્મોની સંખ્યા પણ ખુબ વધી છે ત્યારે ગુજરાતી ફિલ્મો સહિત, રાજસ્થાની ફિલ્મો, કચ્છી અને સિંધી ભાષામાં બનતી ફિલ્મોને અત્યારે સેન્સર કરાવવા મુંબઈ ધક્કા કરવા પડતા‌‌ હોય છે જેમાં સમય અને નાણાનો પણ ખુબ બગાડ થતો હોય છે. આ બેઠકમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ગુજરાતી ફિલ્મના નિર્માતાઓએ મુદ્દે હકારાત્મક ચર્ચા કરી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુર તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ એક પત્ર લખ્યો છે. 


ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડની શાખા ખોલવાની માગ કેમ?


ગુજરાતમાં વર્ષે દરમિયાન અંદાજીત 65 થી 70 ફિલ્મો બને છે. ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખી એક સ્થાનિક કમીટી સાથે કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડની એક શાખા જો અમદાવાદ કે ગાંધીનગરમાં કરવામાં આવે તો ગુજરાત અને રાજસ્થાનના અનેક નિર્માતાઓનો સમય અને ખર્ચ મોટા પ્રમાણમાં બચી શકશે. આ મુદ્દે તમામ નિર્માતાઓની સહી સાથેનો એક પત્ર તૈયાર કરી મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે. સ્થળ પર જ પત્ર તૈયાર કરી તમામ નિર્માતાઓએ સહી કરી હતી. આ સાથે જ ગુજરાતી ફિલ્મ વિકાસ નિગમની પણ પુન: સ્થાપના થાય તે માટે ગુજરાત સરકાર ને પણ વિનંતી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.