ગુજરાતી ફિલ્મ નિર્માતાઓની મહત્વની મીટિંગ, રાજ્યમાં કેન્દ્રીય ફિલ્મ સેન્સર બોર્ડની બ્રાન્ચ સ્થાપવા સરકાર સમક્ષ માગ


  • Published By :
  • Published Date : 2023-12-17 19:41:56

ગુજરાતમાં કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડની એક શાખા શરૂ કરવા માટેની માગ ઉઠી છે. આજે ગુજરાતી ફિલ્મો સાથે જોડાયેલા નિર્માતાઓની એક મીટિંગ યોજાઈ હતી, જેમાં ફિલ્મ નિર્માતાઓ અને ફિલ્મ નિર્માણ ક્ષેત્રે સંકળાયેલી મોટી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. ગુજરાતી ફિલ્મોનું સ્તર સુધરી રહ્યું અને વાર્ષિક દરમિયાન બનતી ફિલ્મોની સંખ્યા પણ ખુબ વધી છે ત્યારે ગુજરાતી ફિલ્મો સહિત, રાજસ્થાની ફિલ્મો, કચ્છી અને સિંધી ભાષામાં બનતી ફિલ્મોને અત્યારે સેન્સર કરાવવા મુંબઈ ધક્કા કરવા પડતા‌‌ હોય છે જેમાં સમય અને નાણાનો પણ ખુબ બગાડ થતો હોય છે. આ બેઠકમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ગુજરાતી ફિલ્મના નિર્માતાઓએ મુદ્દે હકારાત્મક ચર્ચા કરી કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુર તથા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ એક પત્ર લખ્યો છે. 


ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડની શાખા ખોલવાની માગ કેમ?


ગુજરાતમાં વર્ષે દરમિયાન અંદાજીત 65 થી 70 ફિલ્મો બને છે. ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખી એક સ્થાનિક કમીટી સાથે કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડની એક શાખા જો અમદાવાદ કે ગાંધીનગરમાં કરવામાં આવે તો ગુજરાત અને રાજસ્થાનના અનેક નિર્માતાઓનો સમય અને ખર્ચ મોટા પ્રમાણમાં બચી શકશે. આ મુદ્દે તમામ નિર્માતાઓની સહી સાથેનો એક પત્ર તૈયાર કરી મોકલવાનું નક્કી કરવામાં આવ્યું છે. સ્થળ પર જ પત્ર તૈયાર કરી તમામ નિર્માતાઓએ સહી કરી હતી. આ સાથે જ ગુજરાતી ફિલ્મ વિકાસ નિગમની પણ પુન: સ્થાપના થાય તે માટે ગુજરાત સરકાર ને પણ વિનંતી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.