પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની ધરપકડ, પાક રેન્જર્સે કસ્ટડીમાં લીધા


  • Published By :
  • Published Date : 2023-05-09 15:41:52


પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે પાક રેન્જર્સ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના અધ્યક્ષ ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહાર ધરપકડ કરવામાં આવી છે, પાકિસ્તાન રેન્જર્સ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.


ધરપકડ બાદ દેશભરમાં ખળભળાટ


પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના વકીલ ફૈઝલ ચૌધરીએ આ વાતની પુષ્ટિ કરી છે. બીજી તરફ PTI નેતા મુસર્રત ચીમાએ એક વીડિયો સંદેશમાં કહ્યું કે તેઓ ઈમરાન ખાનને મારી રહ્યા છે. તેઓએ ઈમરાન સાહેબ સાથે કંઈક કર્યું છે. મળતી માહિતી મુજબ ઈમરાનની ધરપકડ બાદ વિસ્તારમાં તણાવનો માહોલ છે. કોર્ટની બહાર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઈમરાન ખાનના વકીલ અને સમર્થકો સાથે પણ મારપીટ કરવામાં આવી છે.



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'