ઈમરાન ખાનને ઈસ્લામાબાદ જતા રોકવામાં આવ્યા, પોલીસ ઘરનો દરવાજો તોડીને ઘુસી, કાર્યકરો સાથે લોહિયાળ ઘર્ષણ


  • Published By :
  • Published Date : 2023-03-18 17:04:22

પાકિસ્તાનમાં તોશાખાના કેસના આરોપી ઈમરાન ખાનને ફરતો ગાળિયો વધુ મજબુતાઈથી કસાયો છે. તેઓ આજે ઈસ્લામાબાદ કોર્ટમાં હાજર થવા જઈ રહ્યા હતા, પરંતુ કોર્ટમાં જતા પહેલા તેમના કાફલાને ઈસ્લામાબાદ ટોલ પ્લાઝા પર રોકી દેવામાં આવ્યો છે. ઈમરાન ખાન જ્યારે ઇસ્લામાબાદ જવા રવાના થયા, ત્યારે પોલીસ લાહોર સ્થિત તેમના ઘરનો દરવાજો તોડીને પણ તેમના મકાનમાં પહોંચી છે. આ દરમિયાન પોલીસ અને પીટીઆઈ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.


20 કાર્યકરોની ધરપકડ


પોલીસે ઈમરાન ખાનના ઘરમાં ઘુસી ત્યારે માહોલ ગરમાયો હતો. ઈમરાન ખાનની પાર્ટી તહરીકે ઈન્સાફ પાર્ટી (PTI)ના કાર્યકરોએ પોલીસનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે તેમ છતાં પણ મોટી સંખ્યામાં પોલીસ ઈમરાન ખાનના ઘરમાં ઘુસી ગઈ છે. ઈમરાન ખાનની ઘર પરથી ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું પણ કોઈ ઘાયલ થયું નથી. ઈમરાનના ઘરની નજીક જ પોલીસે અસ્થાઈ કેમ્પ બનાવ્યો છે.ભારે ધમાલ અને કોલાહલને અંતે પોલીસે 20થી વધુ PTI કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. 


માર્ગો કન્ટેનરથી બંધ કરાયા


લાહોરમાં જમાલ પાર્ક વિસ્તાર તરફ જતા ઘણા રસ્તાઓ કન્ટેનરથી બંધ કરી દેવામાં આવ્યા છે અને વાહનો અને રાહદારીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં પીટીઆઈ કાર્યકરો, કેટલાક લાકડીઓ સાથે, નિવાસસ્થાન નજીક કેનાલ રોડ પર એકઠા થયા છે. આ કાર્યકરોએ પોલીસ પર હુમલા કરતા સ્થિતી વણસી છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.