ઈમરાન ખાનને ઈસ્લામાબાદ જતા રોકવામાં આવ્યા, પોલીસ ઘરનો દરવાજો તોડીને ઘુસી, કાર્યકરો સાથે લોહિયાળ ઘર્ષણ


  • Published By :
  • Published Date : 2023-03-18 17:04:22

પાકિસ્તાનમાં તોશાખાના કેસના આરોપી ઈમરાન ખાનને ફરતો ગાળિયો વધુ મજબુતાઈથી કસાયો છે. તેઓ આજે ઈસ્લામાબાદ કોર્ટમાં હાજર થવા જઈ રહ્યા હતા, પરંતુ કોર્ટમાં જતા પહેલા તેમના કાફલાને ઈસ્લામાબાદ ટોલ પ્લાઝા પર રોકી દેવામાં આવ્યો છે. ઈમરાન ખાન જ્યારે ઇસ્લામાબાદ જવા રવાના થયા, ત્યારે પોલીસ લાહોર સ્થિત તેમના ઘરનો દરવાજો તોડીને પણ તેમના મકાનમાં પહોંચી છે. આ દરમિયાન પોલીસ અને પીટીઆઈ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.


20 કાર્યકરોની ધરપકડ


પોલીસે ઈમરાન ખાનના ઘરમાં ઘુસી ત્યારે માહોલ ગરમાયો હતો. ઈમરાન ખાનની પાર્ટી તહરીકે ઈન્સાફ પાર્ટી (PTI)ના કાર્યકરોએ પોલીસનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે તેમ છતાં પણ મોટી સંખ્યામાં પોલીસ ઈમરાન ખાનના ઘરમાં ઘુસી ગઈ છે. ઈમરાન ખાનની ઘર પરથી ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું પણ કોઈ ઘાયલ થયું નથી. ઈમરાનના ઘરની નજીક જ પોલીસે અસ્થાઈ કેમ્પ બનાવ્યો છે.ભારે ધમાલ અને કોલાહલને અંતે પોલીસે 20થી વધુ PTI કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. 


માર્ગો કન્ટેનરથી બંધ કરાયા


લાહોરમાં જમાલ પાર્ક વિસ્તાર તરફ જતા ઘણા રસ્તાઓ કન્ટેનરથી બંધ કરી દેવામાં આવ્યા છે અને વાહનો અને રાહદારીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં પીટીઆઈ કાર્યકરો, કેટલાક લાકડીઓ સાથે, નિવાસસ્થાન નજીક કેનાલ રોડ પર એકઠા થયા છે. આ કાર્યકરોએ પોલીસ પર હુમલા કરતા સ્થિતી વણસી છે.



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."