ઈમરાન ખાનને ઈસ્લામાબાદ જતા રોકવામાં આવ્યા, પોલીસ ઘરનો દરવાજો તોડીને ઘુસી, કાર્યકરો સાથે લોહિયાળ ઘર્ષણ


  • Published By :
  • Published Date : 2023-03-18 17:04:22

પાકિસ્તાનમાં તોશાખાના કેસના આરોપી ઈમરાન ખાનને ફરતો ગાળિયો વધુ મજબુતાઈથી કસાયો છે. તેઓ આજે ઈસ્લામાબાદ કોર્ટમાં હાજર થવા જઈ રહ્યા હતા, પરંતુ કોર્ટમાં જતા પહેલા તેમના કાફલાને ઈસ્લામાબાદ ટોલ પ્લાઝા પર રોકી દેવામાં આવ્યો છે. ઈમરાન ખાન જ્યારે ઇસ્લામાબાદ જવા રવાના થયા, ત્યારે પોલીસ લાહોર સ્થિત તેમના ઘરનો દરવાજો તોડીને પણ તેમના મકાનમાં પહોંચી છે. આ દરમિયાન પોલીસ અને પીટીઆઈ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.


20 કાર્યકરોની ધરપકડ


પોલીસે ઈમરાન ખાનના ઘરમાં ઘુસી ત્યારે માહોલ ગરમાયો હતો. ઈમરાન ખાનની પાર્ટી તહરીકે ઈન્સાફ પાર્ટી (PTI)ના કાર્યકરોએ પોલીસનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે તેમ છતાં પણ મોટી સંખ્યામાં પોલીસ ઈમરાન ખાનના ઘરમાં ઘુસી ગઈ છે. ઈમરાન ખાનની ઘર પરથી ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું પણ કોઈ ઘાયલ થયું નથી. ઈમરાનના ઘરની નજીક જ પોલીસે અસ્થાઈ કેમ્પ બનાવ્યો છે.ભારે ધમાલ અને કોલાહલને અંતે પોલીસે 20થી વધુ PTI કાર્યકર્તાઓની ધરપકડ કરી છે. 


માર્ગો કન્ટેનરથી બંધ કરાયા


લાહોરમાં જમાલ પાર્ક વિસ્તાર તરફ જતા ઘણા રસ્તાઓ કન્ટેનરથી બંધ કરી દેવામાં આવ્યા છે અને વાહનો અને રાહદારીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં પીટીઆઈ કાર્યકરો, કેટલાક લાકડીઓ સાથે, નિવાસસ્થાન નજીક કેનાલ રોડ પર એકઠા થયા છે. આ કાર્યકરોએ પોલીસ પર હુમલા કરતા સ્થિતી વણસી છે.



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.