ઈમરાનના પગમાંથી ડોક્ટરોએ ત્રણ ગોળીઓ કાઢી, PM શહેબાઝ શરીફ પર હત્યાનો આરોપ


  • Published By :
  • Published Date : 2022-11-08 14:18:10


પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર થયેલા ફાયરિંગ પછી ડોક્ટરોએ કરેલી સર્જરી બાદ તેમના પગમાંથી ત્રણ ગોળીઓ કાઢી છે. ઈમરાન ખાને સીએનએનને આપેલા ઈન્ટરર્વ્યુંમાં કહ્યું કે તેમના પગમાંથી ડોક્ટરોએ ત્રણ ગોળીઓ કાઢી છે, જો કે કેટલાક છરા પણ હતા જે તેમણે પગમાં જ રહેવા દીધા છે.


પ્રધાનમંત્રી શહેબાઝ શરીફ પર હત્યાનો આરોપ


ઈમરાન ખાને દાવો કર્યો છે કે તેમની હત્યાનું ષડયંત્ર બે મહિના પહેલા જ રચવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી શહેબાઝ શરીફે જ તેમના પર હુમલાની યોજના બનાવી હતી. જો કે તેમણે ધાર્મિક કટ્ટરપંથી યુવાનને તેનું મોહરૂ બનાવ્યો હતો. ઈમરાન ખાને વધુમા જણાવ્યું કે તેમના પર હુમલાના ષડયંત્ર અંગે તેમને જાણ કરી દેવામાં આવી હતી.



ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. 45 ડિગ્રીને પાર અનેક શહેરોનું તાપમાન પહોંચી ગયું છે. અમદાવાદ માટે એએમસીએ રેડ એલર્ટ જાહેર કર્યું હતું જ્યારે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. ત્યારે એએમસી દ્વારા રેડ એલર્ટમાંથી ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

રાજ્યના અનેક ભાગોમાં સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે. પરંતુ સ્માર્ટ મીટરને લઈ વિવાદ છેડાઈ ગયો છે. બિલ વધારે આવે છે તેવી વાતો લોકો દ્વારા કરવામાં આવી રહી છે. આ બધા વચ્ચે ગુજરાત સરકારે સ્માર્ટ મીટરને લઈ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સ્માર્ટ મીટર સાથે જૂનું મીટર પણ લાગશે જેથી ભરોસો આવે.

સોશિયલ મીડિયા પર એસટી બસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. હોટલમાં બસ ઉભી રાખવાનું ભૂલી જતા ડ્રાઈવરે 15 કિલોમીટર બસને રોન્ગ સાઈડ ચલાવી.. મુસાફરો અને ડ્રાઈવર વચ્ચે બોલાચાલી પણ થઈ.

આપણા દ્વારા કરવામાં આવેલા નાના કામોનું મહત્વ બીજાના જીવનમાં શું ફરક લાવી શકે છે તે આપણે જાણીએ છીએ.કોઈના આંસુને લૂછતા માત્ર થોડી મિનીટો જ લાગે છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ક્ષણને સમર્પિત રચના...