21મી સદીમાં નવું ખનીજ તેલ એટલે : ડેટા


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-06 16:05:13

આજે આપણું જીવન સોશ્યિલ મીડિયા સાથે ખુબ જ જોડાઈ ગયું છે. આપણા મોબાઈલની ઘણીબધી એપ્સ જેમ કે , વહાર્ટસપ , ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , ટેલિગ્રામ , સિગ્નલ , પ્લેટફોર્મ X સંદેશાવ્યવ્હારનો અભિન્ન અંગ બની ચુક્યા છે. માટે આ આધુનિક યુગમાં આપણી ચેટ્સની ગોપનીયતા ખુબ મહત્વની બનતી જાય છે. તો આજે આપણે જાણીશું કે કઈ રીતે આપણી ચેટ્સની સુરક્ષા કરી શકીએ છીએ . હાલના સમયમાં તમારી ચેટ્સનું મહત્વ વધી ગયું છે. હમણાં થોડાક સમય પેહલા યુએસના સુરક્ષા અધિકારીઓની સિગ્નલ એપ પરની ચેટ લીક થઈ ગઈ જે હુથી બાળવાખરો પર સ્ટ્રાઇક સંદર્ભે હતી . જેના ઘટસ્ફોટ પછી યુએસમાં ભારે હોબાળો મચી ગયો હતો . આ ચેટ લીક કઈ પેહલીવાર નહોતું . ૨૦૨૨માં જર્મનીના એક રાજકીય પક્ષ એએફડીની ચેટ લીક થઈ ગઈ જેમાં તેઓ જર્મનીના પૂર્વ ચાંસેલર એનજેલેના મર્કેલને જેલમાં મોકલવાનું આયોજન કરવાના હતા.  સામાન્ય રીતે સરકારો કોઈ પણ પ્રકારનું કમ્યુનિકેશન કરવા માટે એન્ક્રિપ્ટેડ સંદેશા વ્યવહારના સાધનોનો ઉપયોગ કરતી હોય છે. 

No More Phone Number Swaps: Signal Messaging App Now Testing Usernames |  PCMag

તો પોતાની ચેટ્સને લીક થતી બચાવવા માટે આપણે શું કરી શકીએ પહેલું કોઈ પણ સોશ્યિલ મીડિયા પેલ્ટફોર્મમાં તમારે એ વસ્તુની ચોક્કસ જાણકારી લેવી જોઈએ કે તમે ક્યા ક્યા ગ્રુપમાં એડ છો અને આ ગ્રુપમાં ક્યા ક્યા લોકો છે.  એવા સોશ્યિલ મીડિયા એપનો વધારો ઉપયોગ કરો કે જે એન્ડ ટુ એન્ડ એન્ક્રીપશન ઇન્સયોર કરે. એટલેકે , તમે જેને મેસેજ મોકલ્યો છે તે મેસેજ માત્ર તે જ વ્યક્તિને વંચાય કોઈ ત્રીજો વ્યક્તિ કે તે એપ પણ આ મેસેજ ના વાંચે .  જેમ કે , સિગ્નલ એપ અને વ્હોટ્સએપ હંમેશા એન્ડ ટુ એન્ડ એન્ક્રીપશનનો ઉપયોગ કરે છે.  વાત કરીએ ફેસબુક મેસેન્જરની તો તેમાં મેન્યુઅલ એન્ક્રીપશન આપણે ઓન કરવું પડે છે. જોકે અહીં એક મહત્વની વાત એ છે કે , ટેલિગ્રામ એપમાં ગ્રુપ ચેટ્સ સંપૂર્ણ રીતે એન્ક્રિપ્ટેડ નથી હોતા. તેનો અર્થ એ થાય કે , ટેલિગ્રામ કંપની તેને એક્સેસ કરી શકે છે.  હવે આપણે જાણીએ કે તમારા ફોનની ચેટ્સમાં કોને કોને વધુ રસ હોઈ શકે છે .  જો તમારા ફોનમાં કોઈ પણ મેસેજિંગ એપમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રીપશન કામ નથી કરતુ તો હેકર્સ તેનો ફાયદો ઉઠાવી શકે છે. સાથે જ તમારા ફોનનું સોફ્ટવેર હંમેશા અપડેટેડ રાખો . જેનાથી કોઈ પણ બગ એટલેકે ખામી હોય તો તે દૂર થઇ જાય . 

13 Types of Hackers You Should Be Aware Of | TechFunnel

વાત કરીએ આપણા ભારતની તો આપણા ત્યાં કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સીઓ રાષ્ટ્રીય સુરક્ષા માટે કોઈ પણ એપ પાસેથી તમારી ચેટ મેળવી શકે છે પરંતુ ઘણી વાર વિવિધ દેશોની સરકારો આનો દુરુપયોગ પણ કરે છે.  જેમ કે , ૨૦૨૩માં એવા સમાચાર બહાર આવ્યા હતા કે , ઇઝરાયલની કંપની NSO એ વિશ્વભરના રાજકારણીઓ અને પત્રકારોના ફોનમાં પેગાસસ નામનો સ્પાઈવેર ઇન્સ્ટોલ કરીને જાસૂસી કર્યાના આરોપો લાગ્યા હતા . એટલુંજ નહિ NSO એ સ્પાઈવેર બીજી સરકારોને પણ વહેંચ્યું હતું . 

Everything You Need to Know about the Pegasus Spyware | CloudSEK

એટલે એક વસ્તુ ચોક્કસ છે કે , ડેટા હવે આ ૨૧મી સદીનું નવું ખનીજ તેલ છે જે સરકાર કે કંપની પાસે જેટલો વધારે ડેટા એટલુંજ તે કંપની કે સરકાર શક્તિશાળી કહેવાય છે. માટે ભારત સરકાર વિવિધ આંતરરાષ્ટ્રીય સોશ્યિલ મીડિયા કંપનીઓ માટે "ડેટા લોકલાઈઝેશનનો" આગ્રહ રાખે છે તેનાથી આપણો ડેટા આપણા દેશની સરહદમાં જ સુરક્ષિત બને.  તો ધ્યાન રાખો તમારા ડેટાનું.  



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.