21મી સદીમાં નવું ખનીજ તેલ એટલે : ડેટા


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-04-06 16:05:13

આજે આપણું જીવન સોશ્યિલ મીડિયા સાથે ખુબ જ જોડાઈ ગયું છે. આપણા મોબાઈલની ઘણીબધી એપ્સ જેમ કે , વહાર્ટસપ , ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , ટેલિગ્રામ , સિગ્નલ , પ્લેટફોર્મ X સંદેશાવ્યવ્હારનો અભિન્ન અંગ બની ચુક્યા છે. માટે આ આધુનિક યુગમાં આપણી ચેટ્સની ગોપનીયતા ખુબ મહત્વની બનતી જાય છે. તો આજે આપણે જાણીશું કે કઈ રીતે આપણી ચેટ્સની સુરક્ષા કરી શકીએ છીએ . હાલના સમયમાં તમારી ચેટ્સનું મહત્વ વધી ગયું છે. હમણાં થોડાક સમય પેહલા યુએસના સુરક્ષા અધિકારીઓની સિગ્નલ એપ પરની ચેટ લીક થઈ ગઈ જે હુથી બાળવાખરો પર સ્ટ્રાઇક સંદર્ભે હતી . જેના ઘટસ્ફોટ પછી યુએસમાં ભારે હોબાળો મચી ગયો હતો . આ ચેટ લીક કઈ પેહલીવાર નહોતું . ૨૦૨૨માં જર્મનીના એક રાજકીય પક્ષ એએફડીની ચેટ લીક થઈ ગઈ જેમાં તેઓ જર્મનીના પૂર્વ ચાંસેલર એનજેલેના મર્કેલને જેલમાં મોકલવાનું આયોજન કરવાના હતા.  સામાન્ય રીતે સરકારો કોઈ પણ પ્રકારનું કમ્યુનિકેશન કરવા માટે એન્ક્રિપ્ટેડ સંદેશા વ્યવહારના સાધનોનો ઉપયોગ કરતી હોય છે. 

No More Phone Number Swaps: Signal Messaging App Now Testing Usernames |  PCMag

તો પોતાની ચેટ્સને લીક થતી બચાવવા માટે આપણે શું કરી શકીએ પહેલું કોઈ પણ સોશ્યિલ મીડિયા પેલ્ટફોર્મમાં તમારે એ વસ્તુની ચોક્કસ જાણકારી લેવી જોઈએ કે તમે ક્યા ક્યા ગ્રુપમાં એડ છો અને આ ગ્રુપમાં ક્યા ક્યા લોકો છે.  એવા સોશ્યિલ મીડિયા એપનો વધારો ઉપયોગ કરો કે જે એન્ડ ટુ એન્ડ એન્ક્રીપશન ઇન્સયોર કરે. એટલેકે , તમે જેને મેસેજ મોકલ્યો છે તે મેસેજ માત્ર તે જ વ્યક્તિને વંચાય કોઈ ત્રીજો વ્યક્તિ કે તે એપ પણ આ મેસેજ ના વાંચે .  જેમ કે , સિગ્નલ એપ અને વ્હોટ્સએપ હંમેશા એન્ડ ટુ એન્ડ એન્ક્રીપશનનો ઉપયોગ કરે છે.  વાત કરીએ ફેસબુક મેસેન્જરની તો તેમાં મેન્યુઅલ એન્ક્રીપશન આપણે ઓન કરવું પડે છે. જોકે અહીં એક મહત્વની વાત એ છે કે , ટેલિગ્રામ એપમાં ગ્રુપ ચેટ્સ સંપૂર્ણ રીતે એન્ક્રિપ્ટેડ નથી હોતા. તેનો અર્થ એ થાય કે , ટેલિગ્રામ કંપની તેને એક્સેસ કરી શકે છે.  હવે આપણે જાણીએ કે તમારા ફોનની ચેટ્સમાં કોને કોને વધુ રસ હોઈ શકે છે .  જો તમારા ફોનમાં કોઈ પણ મેસેજિંગ એપમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રીપશન કામ નથી કરતુ તો હેકર્સ તેનો ફાયદો ઉઠાવી શકે છે. સાથે જ તમારા ફોનનું સોફ્ટવેર હંમેશા અપડેટેડ રાખો . જેનાથી કોઈ પણ બગ એટલેકે ખામી હોય તો તે દૂર થઇ જાય . 

13 Types of Hackers You Should Be Aware Of | TechFunnel

વાત કરીએ આપણા ભારતની તો આપણા ત્યાં કેન્દ્ર સરકારની સુરક્ષા એજન્સીઓ રાષ્ટ્રીય સુરક્ષા માટે કોઈ પણ એપ પાસેથી તમારી ચેટ મેળવી શકે છે પરંતુ ઘણી વાર વિવિધ દેશોની સરકારો આનો દુરુપયોગ પણ કરે છે.  જેમ કે , ૨૦૨૩માં એવા સમાચાર બહાર આવ્યા હતા કે , ઇઝરાયલની કંપની NSO એ વિશ્વભરના રાજકારણીઓ અને પત્રકારોના ફોનમાં પેગાસસ નામનો સ્પાઈવેર ઇન્સ્ટોલ કરીને જાસૂસી કર્યાના આરોપો લાગ્યા હતા . એટલુંજ નહિ NSO એ સ્પાઈવેર બીજી સરકારોને પણ વહેંચ્યું હતું . 

Everything You Need to Know about the Pegasus Spyware | CloudSEK

એટલે એક વસ્તુ ચોક્કસ છે કે , ડેટા હવે આ ૨૧મી સદીનું નવું ખનીજ તેલ છે જે સરકાર કે કંપની પાસે જેટલો વધારે ડેટા એટલુંજ તે કંપની કે સરકાર શક્તિશાળી કહેવાય છે. માટે ભારત સરકાર વિવિધ આંતરરાષ્ટ્રીય સોશ્યિલ મીડિયા કંપનીઓ માટે "ડેટા લોકલાઈઝેશનનો" આગ્રહ રાખે છે તેનાથી આપણો ડેટા આપણા દેશની સરહદમાં જ સુરક્ષિત બને.  તો ધ્યાન રાખો તમારા ડેટાનું.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.