રાજકોટના જસદણમાં હૉસ્ટેલમાં ગૃહપતિ અને આચર્યએ વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું


  • Published By : Admin
  • Published Date : 2025-03-31 21:16:06

અત્યાર સુધી આપણે એવું કહેતા હતા કે દિકરીનું બહુ જ ધ્યાન રાખજો, સ્કુલમાં, હૉસ્ટેલમાં, છાત્રાલયમાં રસ્તામાં, પાડોશીઓથી કેમ કે ક્યારે એની સાથે ખોટુ થઈ જાય એનો કોઈ ભરોસો નથી.. પણ હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

ધંધુકાના પચ્છમની ઘટનાના પડઘા હજુ કાનમાં ગુંજી રહ્યાં છે ત્યાં ફરી રાજકોટના જસદણમાં શર્મનાક ઘટના બની. જસદણના આંબરડીમાં આવેલી જીવનશાળા હૉસ્ટેલમાં ગૃહપિતા અને આચર્યએ સગીર વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું. પાંચથી 6 સગીર વિદ્યાર્થીઓને 23 વર્ષનો ગૃહપતિ કિશન ગાંગળિયા એક જર્જરિત રુમમાં લઈ જાય.. 14 વર્ષિય સગીરને નગ્ન કરી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરે. જબરદસ્તી પાન-મસાલા ખવડાવે.. ન ખાય તો ધમકી આપે. બે જેટલા વિદ્યાર્થીઓને ઉલટી પણ થઈ છતાંય માર મારીને પાન-મસાલા ખવડાવે અને પછી આ પ્રકારનું કૃત્ય કરે..ભોગ બનનાર વિદ્યાર્થીએ હૉસ્ટેલના આચાર્યને ફરિયાદ કરી તો કાર્યવાહી કરવાને બદલે આચર્ય પણ આ કુકર્મમાં જોડાય ગયો. પછી માનસિક ટોર્ચર અને શારિરીક દુષ્કૃત્ય સહન ન થતા ભોગ બનનારે પોતાના પરિવારને વાત કરી તો પરિવાર તો ચોંકી ઉઠ્યો. આખા કેસની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી. હાલ તો પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીએ ઝડપી લેવાની કાર્યવાહી પણ શરુ કરાય છે. પણ વિચાર તો કરો જેના શિરે વિદ્યાર્થીઓની જવાબદારી છે એ ગૃહપિતા બાળકોને રાત્રે 10 વાગ્યે અલગ રુમમાં લઈ જાય.. એ આવા કૃત્ય માટે પાંચથી છ વિદ્યાર્થીઓને તો અલગ રુમમાં સુવડાવે છે.. જો વિદ્યાર્થીઓ ઈન્કાર કરે તો માર મારે.. જબરદસ્તી વ્યસન કરાવડાવે. શિસ્ત અને અનુશાસન બાળકોમાં આવે એટલે અથવા તો ઘરથી શાળા બહુ જ દુર હોય તો મજબુરીમાં માતા-પિતા બાળકોને હૉસ્ટેલમાં મુકતા હોય છે પણ આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું લાગે. વાલીઓએ આચર્ય સાથે વાત કરી તો એમણે એવો જવાબ આપ્યો કે અમારા શાળામાં આવુ ચાલશે તમારે ભણવવા હોય તો ભણાવો બાકી લઈ જાવ.. યોગ્ય તપાસ થાય તેવી વાલીઓની માંગ છે.

રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. બાળકો અને બાળકીઓ સાથે આ પ્રકારના અત્યાચારની ઘટનાઓ સતત વધી રહી છે.. ક્યારેક અમુક કિસ્સાઓમાં તો વાલીઓ હિંમત કરીને ફરિયાદ કરે ક્યારેક કોઈ રાજકીય દબાણ હોય તો ફરિયાદ કરવા છતાયં કશું ઉખાડી શકાતુ નથી. તો ક્યારેક વાલીઓ જ ફરિયાદ કરવાનું ટાળતા હોય છે.

સમય બદલાયો છે એમ પરિવર્તનો આવ્યા છે અને આપણે એ પરિવર્તનોને સ્વીકાર્યા પણ છે. પણ એની સાથે આવેલા દુષણો પ્રત્યે આપણે બિલકુલ સજાગ નથી. એ દુષણો ક્યારેય સ્વીકાર્ય નથી... રોજરોજ વધતી ઘટનાઓ સવાલ કરે છે કે આ કેવો સમાજ છે જ્યાં આ પ્રકારની ઘટનાઓ રોજ સામે આવે છે છતાંય કોઈ વિરોધ નથી કરતું. કોઈ ફરિયાદ નથી કરતું. માત્ર સમાચાર વાંચીને ચિત્કાર નીકળે અને પછી સમી જાય. જો તમારી અંદર કશુંક બદલાય નહીં તો આ પરિસ્થિતિ પણ બદલાશે એની અપેક્ષા બહુ રાખી શકીએ નહીં. ફરક પડવો જોઈએ. કોઈની સાથે થયું છે ત્યાં જાત મુકીને જોવી પડે તો જ દુષણોને ડામી શકાય અને બીજા નિર્દોષોને બચાવી શકાય. આપણે ક્યાં રસ્તે જવું છે એ નક્કી આપણે કરવાનું છે.



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.