રાજકોટના જસદણમાં હૉસ્ટેલમાં ગૃહપતિ અને આચર્યએ વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું


  • Published By : Admin
  • Published Date : 2025-03-31 21:16:06

અત્યાર સુધી આપણે એવું કહેતા હતા કે દિકરીનું બહુ જ ધ્યાન રાખજો, સ્કુલમાં, હૉસ્ટેલમાં, છાત્રાલયમાં રસ્તામાં, પાડોશીઓથી કેમ કે ક્યારે એની સાથે ખોટુ થઈ જાય એનો કોઈ ભરોસો નથી.. પણ હવે જો તમારો દિકરો પણ હૉસ્ટેલ કે છાત્રાલયમાં ભણતો હોય તો ચિંતા કરજો, સાવધાન રહેજો. એની સાથે રોજ વાતો કરજો અને મિત્ર બનીને રહેજો. કારણ કે હવે દિકરીઓ તો સલામત નથી પણ દિકરાઓ ય સલામત નથી. ધંધુકાના પચ્છમની ઘટના તમને યાદ હશે.. સગીર વયના વિદ્યાર્થી પર તેના જ છાત્રાલયના સગીરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. ફરી પાછી એ જ ઘટના રાજકોટના જસદણના આંબરડીમાં દોહરાય છે.

ધંધુકાના પચ્છમની ઘટનાના પડઘા હજુ કાનમાં ગુંજી રહ્યાં છે ત્યાં ફરી રાજકોટના જસદણમાં શર્મનાક ઘટના બની. જસદણના આંબરડીમાં આવેલી જીવનશાળા હૉસ્ટેલમાં ગૃહપિતા અને આચર્યએ સગીર વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું. પાંચથી 6 સગીર વિદ્યાર્થીઓને 23 વર્ષનો ગૃહપતિ કિશન ગાંગળિયા એક જર્જરિત રુમમાં લઈ જાય.. 14 વર્ષિય સગીરને નગ્ન કરી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરે. જબરદસ્તી પાન-મસાલા ખવડાવે.. ન ખાય તો ધમકી આપે. બે જેટલા વિદ્યાર્થીઓને ઉલટી પણ થઈ છતાંય માર મારીને પાન-મસાલા ખવડાવે અને પછી આ પ્રકારનું કૃત્ય કરે..ભોગ બનનાર વિદ્યાર્થીએ હૉસ્ટેલના આચાર્યને ફરિયાદ કરી તો કાર્યવાહી કરવાને બદલે આચર્ય પણ આ કુકર્મમાં જોડાય ગયો. પછી માનસિક ટોર્ચર અને શારિરીક દુષ્કૃત્ય સહન ન થતા ભોગ બનનારે પોતાના પરિવારને વાત કરી તો પરિવાર તો ચોંકી ઉઠ્યો. આખા કેસની પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી. હાલ તો પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીએ ઝડપી લેવાની કાર્યવાહી પણ શરુ કરાય છે. પણ વિચાર તો કરો જેના શિરે વિદ્યાર્થીઓની જવાબદારી છે એ ગૃહપિતા બાળકોને રાત્રે 10 વાગ્યે અલગ રુમમાં લઈ જાય.. એ આવા કૃત્ય માટે પાંચથી છ વિદ્યાર્થીઓને તો અલગ રુમમાં સુવડાવે છે.. જો વિદ્યાર્થીઓ ઈન્કાર કરે તો માર મારે.. જબરદસ્તી વ્યસન કરાવડાવે. શિસ્ત અને અનુશાસન બાળકોમાં આવે એટલે અથવા તો ઘરથી શાળા બહુ જ દુર હોય તો મજબુરીમાં માતા-પિતા બાળકોને હૉસ્ટેલમાં મુકતા હોય છે પણ આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવું લાગે. વાલીઓએ આચર્ય સાથે વાત કરી તો એમણે એવો જવાબ આપ્યો કે અમારા શાળામાં આવુ ચાલશે તમારે ભણવવા હોય તો ભણાવો બાકી લઈ જાવ.. યોગ્ય તપાસ થાય તેવી વાલીઓની માંગ છે.

રાજ્યમાં આ પ્રકારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. બાળકો અને બાળકીઓ સાથે આ પ્રકારના અત્યાચારની ઘટનાઓ સતત વધી રહી છે.. ક્યારેક અમુક કિસ્સાઓમાં તો વાલીઓ હિંમત કરીને ફરિયાદ કરે ક્યારેક કોઈ રાજકીય દબાણ હોય તો ફરિયાદ કરવા છતાયં કશું ઉખાડી શકાતુ નથી. તો ક્યારેક વાલીઓ જ ફરિયાદ કરવાનું ટાળતા હોય છે.

સમય બદલાયો છે એમ પરિવર્તનો આવ્યા છે અને આપણે એ પરિવર્તનોને સ્વીકાર્યા પણ છે. પણ એની સાથે આવેલા દુષણો પ્રત્યે આપણે બિલકુલ સજાગ નથી. એ દુષણો ક્યારેય સ્વીકાર્ય નથી... રોજરોજ વધતી ઘટનાઓ સવાલ કરે છે કે આ કેવો સમાજ છે જ્યાં આ પ્રકારની ઘટનાઓ રોજ સામે આવે છે છતાંય કોઈ વિરોધ નથી કરતું. કોઈ ફરિયાદ નથી કરતું. માત્ર સમાચાર વાંચીને ચિત્કાર નીકળે અને પછી સમી જાય. જો તમારી અંદર કશુંક બદલાય નહીં તો આ પરિસ્થિતિ પણ બદલાશે એની અપેક્ષા બહુ રાખી શકીએ નહીં. ફરક પડવો જોઈએ. કોઈની સાથે થયું છે ત્યાં જાત મુકીને જોવી પડે તો જ દુષણોને ડામી શકાય અને બીજા નિર્દોષોને બચાવી શકાય. આપણે ક્યાં રસ્તે જવું છે એ નક્કી આપણે કરવાનું છે.



દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી

વિસાવદરની પેટાચૂંટણીમાં વિજય પછી આમ આદમી પાર્ટીમાં ભારે ઉત્સાહનો માહોલ છે. થોડાક સમય પેહલા , આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવ્યા હતા . તેમણે સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવડાવી હતી . આમ આદમી પાર્ટીની રણનીતિ છે કે , આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પેહલા , પોતાનું સંગઠન મજબૂત કરે. હવે , BJP અને કોંગ્રેસમાંથી ગાબડાં પડવાની શરૂઆત થઈ ચુકી છે. જૂનાગઢ જિલ્લામાં કેશોદ ખાતે, MLA ગોપાલ ઇટાલિયાની હાજરીમાં BJP અને કોંગ્રેસના હોદ્દેદારો ખુબ મોટા પાયે , આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, તે પેહલા , આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં મહેસાણામાં BJP અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.