પાર્લામેન્ટની સુરક્ષામાં મોટી ચૂક, લોકસભા કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી બે લોકો કુદી પડ્યા


  • Published By :
  • Published Date : 2023-12-13 14:36:03

દેશની સંસદની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે, બે યુવકો લોકસભાની કાર્યવાહી દરમિયાન પાર્લામેન્ટમાં ઘુસી ગયા હતા. બંને લોકોએ પ્રેક્ષક ગેલેરીમાંથી કુદકો લગાવ્યો હતો, તે કૂદી પડતાં જ વિપક્ષી સાંસદોએ હંગામો મચાવ્યો હતો. આ ઘટના બાદ લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ યુવકના હાથમાં ગેસ સ્પ્રે પણ હતું. ઘટનાના કારણે ગૃહમાં અફરાતફરી મચી ગઇ હતી. પોલીસે બે લોકોની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે 2001માં આજના દિવસે સંસદ પર આતંકી હુમલો થયો હતો.

શું હતી પીળી ગેસ?


મીડિયા રિપોર્ટ મુજબ બંને લોકોએ કથિત રીતે ગેસ ઉત્સર્જિત કરનારી સામગ્રી ફેંકી હતી. જ્યારે એક યુવકને સંસદની બહાર લઈ જવામાં આવ્યો ત્યારે તેના જુતામાંથી પીળા રંગનો ધુમાડો નિકળી રહ્યો હતો, જેના કારણે આસપાસ ગેસ ફેલાઈ ગયો હતો. આખરે આ ગેસ શું છે તેની તપાસ કરવામાં આવી રહી છે?



કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત


સુરક્ષાકર્મીઓએ બંને લોકોને ઝડપી લીધા છે અને હાલ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીઓનું નામ અમોલ શિંદે અને નિલમ હોવાનું કહેવાઈ રહ્યું છે. તે બંને ઘુસતા સંસદમાં અફરાતફરી મચી ગઈ હતી. જે સમયે આ ઘટના બની ત્યારે સાંસદોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પશ્ચિમ બંગાળના સાંસદ સ્વગેન મુર્મુ તેમનો સવાલ પૂછી રહ્યા હતા. સંસદના માઈક પરથી અવાજ આવ્યો કે કોઈ પડ્યું.... કોઈ પડ્યું.... પકડો....પકડો....આ સાંભળીને પીઠાસીન અધ્યક્ષ રાજેન્દ્ર અગ્રવાલે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. 

સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી


લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, સુરક્ષા એજન્સીઓ આ ઘટનાની તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસને પણ આદેશ આપવામાં આવ્યો છે. અમે બધા ચિંતિત હતા કે આ ધુમાડો શેનો હતો, પ્રાથમિક તપાસમાં ધુમાડો સામાન્ય હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે તપાસ કરવામાં આવી છે.

સંસદનીની બહાર પણ કર્યો સુત્રોચ્ચાર


જ્યારે એક વ્યક્તિ ગૃહમાં કૂદી પડી  ત્યારે  જ સુરક્ષાકર્મીઓએ ગૃહની બહારથી પણ બે લોકોની ધરપકડ કરી હતી. આ બંને ગૃહની બહાર વિરોધ કરી રહ્યા હતા તેમની સાથે એક મહિલા પણ હતી. જેનું નામ નીલમ જણાવવામાં આવી રહ્યું હતું. જ્યારે અન્ય વ્યક્તિનું નામ અનમોલ શિંદે છે. બંને 'ભારત માતા કી જય, જય ભીમ, સરમુખત્યારશાહી નહીં ચાલે' જેવા નારા લગાવી રહ્યા હતા. પોલીસે બંનેને કસ્ટડીમાં લીધા બંને બૂમો પાડી રહ્યા હતા કે તેમની વાત સાંભળવામાં આવતી નથી. હાલ સુરક્ષા એજન્સીઓ બંનેની પૂછપરછ કરી રહી છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.