પાર્લામેન્ટની સુરક્ષામાં મોટી ચૂક, લોકસભા કાર્યવાહી દરમિયાન પ્રેક્ષક ગેલેરીમાંથી બે લોકો કુદી પડ્યા


  • Published By :
  • Published Date : 2023-12-13 14:36:03

દેશની સંસદની સુરક્ષામાં મોટી ચૂકનો મામલો સામે આવ્યો છે, બે યુવકો લોકસભાની કાર્યવાહી દરમિયાન પાર્લામેન્ટમાં ઘુસી ગયા હતા. બંને લોકોએ પ્રેક્ષક ગેલેરીમાંથી કુદકો લગાવ્યો હતો, તે કૂદી પડતાં જ વિપક્ષી સાંસદોએ હંગામો મચાવ્યો હતો. આ ઘટના બાદ લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. આ યુવકના હાથમાં ગેસ સ્પ્રે પણ હતું. ઘટનાના કારણે ગૃહમાં અફરાતફરી મચી ગઇ હતી. પોલીસે બે લોકોની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે 2001માં આજના દિવસે સંસદ પર આતંકી હુમલો થયો હતો.

શું હતી પીળી ગેસ?


મીડિયા રિપોર્ટ મુજબ બંને લોકોએ કથિત રીતે ગેસ ઉત્સર્જિત કરનારી સામગ્રી ફેંકી હતી. જ્યારે એક યુવકને સંસદની બહાર લઈ જવામાં આવ્યો ત્યારે તેના જુતામાંથી પીળા રંગનો ધુમાડો નિકળી રહ્યો હતો, જેના કારણે આસપાસ ગેસ ફેલાઈ ગયો હતો. આખરે આ ગેસ શું છે તેની તપાસ કરવામાં આવી રહી છે?



કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત


સુરક્ષાકર્મીઓએ બંને લોકોને ઝડપી લીધા છે અને હાલ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપીઓનું નામ અમોલ શિંદે અને નિલમ હોવાનું કહેવાઈ રહ્યું છે. તે બંને ઘુસતા સંસદમાં અફરાતફરી મચી ગઈ હતી. જે સમયે આ ઘટના બની ત્યારે સાંસદોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પશ્ચિમ બંગાળના સાંસદ સ્વગેન મુર્મુ તેમનો સવાલ પૂછી રહ્યા હતા. સંસદના માઈક પરથી અવાજ આવ્યો કે કોઈ પડ્યું.... કોઈ પડ્યું.... પકડો....પકડો....આ સાંભળીને પીઠાસીન અધ્યક્ષ રાજેન્દ્ર અગ્રવાલે લોકસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. 

સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી


લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે, સુરક્ષા એજન્સીઓ આ ઘટનાની તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસને પણ આદેશ આપવામાં આવ્યો છે. અમે બધા ચિંતિત હતા કે આ ધુમાડો શેનો હતો, પ્રાથમિક તપાસમાં ધુમાડો સામાન્ય હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે તપાસ કરવામાં આવી છે.

સંસદનીની બહાર પણ કર્યો સુત્રોચ્ચાર


જ્યારે એક વ્યક્તિ ગૃહમાં કૂદી પડી  ત્યારે  જ સુરક્ષાકર્મીઓએ ગૃહની બહારથી પણ બે લોકોની ધરપકડ કરી હતી. આ બંને ગૃહની બહાર વિરોધ કરી રહ્યા હતા તેમની સાથે એક મહિલા પણ હતી. જેનું નામ નીલમ જણાવવામાં આવી રહ્યું હતું. જ્યારે અન્ય વ્યક્તિનું નામ અનમોલ શિંદે છે. બંને 'ભારત માતા કી જય, જય ભીમ, સરમુખત્યારશાહી નહીં ચાલે' જેવા નારા લગાવી રહ્યા હતા. પોલીસે બંનેને કસ્ટડીમાં લીધા બંને બૂમો પાડી રહ્યા હતા કે તેમની વાત સાંભળવામાં આવતી નથી. હાલ સુરક્ષા એજન્સીઓ બંનેની પૂછપરછ કરી રહી છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.