Ahmedabad : એક ઘટનામાં પોલીસ કર્મચારીએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો તો બીજી ઘટનામાં બુટલેગરે લીધો પોલીસકર્મીનો જીવ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-01-25 15:27:31

આપણા દિમાગમાં એક છબી હોય છે પોલીસની જે નેગેટિવ હોય છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી દાદાગીરી આપણા નજરોની સામે આવતી હોય છે. પોલીસની વાત એટલા માટે કરવી છે કારણ કે બુટલેગરની ગાડીની અડફેટે આવતા એએસઆઈનું મોત થયું છે. એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં પોલીસકર્મી દાદાગીરી કરી રહ્યા હતા. પોલીસની ગાડીની ટક્કર થઈ હતી જે બાદ તે દાદાગીરી કરી રહ્યા તે વીડિયો સામે આવ્યો હતો. તો એક પોલીસકર્મીનું મોત બુટલેગરની ગાડીની ટક્કરથી થયું છે.

ASIનો ગાડીની ટક્કરથી ગયો જીવ!

દારૂની અને બુટલેગરની વાત એટલા માટે કરવી છે કારણ કે આ ગુજરાત છે અને આ ગુજરાતમાં દારૂબંધી છે. અમે દરરોજ કહી કહીને થાકી ગયા છીએ કે આસાનીથી ગુજરાતમાં દારૂ મળી રહે છે અને પોલીસને પણ ખબર હોય છે કે દારૂ ક્યાં વેચાય છે! ગુજરાતમાં હવે પોલીસ પણ સુરક્ષિત નથી એવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે બુટલેગરે પોલીસ કર્મીને ટક્કર મારી અને ASIનો જીવ લઇ લીધો. એક બુટલેગરના કારણે આપણે આપણી ગુજરાત પોલીસના એક જવાનને ખોયા છે.  

બુટલેગરે મારી પોલીસકર્મીને ટક્કર!

આપણા ગુજરાતની પોલીસમાં એટલી તાકાત છે કે એ ધારે તો દારૂ તો છોડો કોઈ બુટલેગર ગુજરાતમાં ઊંચા અવાજે વાત ના કરી શકે. કેટલાક એવા તુચ્છ પોલીસ કર્મચારીઓના કારણે આપણા આખાય ગુજરાતની પોલીસ બદનામ થાય છે. આજે આપણે આપણા ગુજરાત પોલીસના એક જવાનને ખોઈ દીધા છે. અમદાવાદ જિલ્લાના ભાવડા પાટિયા પાસે બેફામ બુટલેગરે દારૂ ભરેલી કારથી પોલીસની જીપને ટક્કર મારતા એક પોલીસકર્મીનું નિધન થયું છે. જ્યારે એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થતાં તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


બુટલેગરે તમામ હદ વટાવી!

રોજે રોજ રાજ્યમાં દારુ ઘુસાડવા બુટલેગરો અવનવા પેતરા અજમાવતા હોય છે. ક્યારેક એ લોકો સફળ થઈ જાય છે તો ક્યારેક પોલીસ બાતમીના આધારે દારૂ ઝડપી પાડવામાં સફળ થઈ જાય છે. પરંતુ હવે તો અમદાવાદમાં બુટલેગરોએ તમામ હદ વટાવી દીધી છે. 


ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ ગાડીએ ટક્કર મારી!

પ્રાપ્ત વિગતો અનુસાર, કણભા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી, આ દરમિયાન તેઓને ભાવડા પાટિયા પાસેથી એક ગાડી દેશી દારૂ ભરીને જતી હોય તેવી ચોક્કસ બાતમી મળી હતી. જેથી બાતમીના આધારે કણભા પોલીસ સ્ટેશનના ASI તેમના સહકર્મી સાથે ભાવડા પાટિયા પાસે પહોંચ્યા હતા. આ દરમિયાન એક ગાડીને રોકવાનો પ્રયાસ કરતા આ ગાડીના ચાલકે પોલીસની ગાડીને જોરદાર ટક્કર મારી હતી. આ બુટલેગરોની તમે હિંમત જુઓ. આ બુલટલેગર પર પોલીસ હવે કાર્યવાહી કરવાની છે.

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા લથડી રહી છે!

આવા બુટલેગરોની શાન ઠેકાણે લાવવી જ જોઈએ કારણ કે આ લોકો કાયદો અને વ્યવસ્થાને કચડતા હોય છે. અને બેફામ રીતે એટલે જાણે દારૂ વેચવાની અને દાદાગીરી કરવાની છૂટ મળી ગઈ હોય એમનું વર્તન હોય છે. 


પોલીસ આપણી સુરક્ષા માટે હોય છે... 

આપણા ગુજરાતની પોલીસ સેવા શાંતિ અને સુરક્ષા માટે ઓળખાય છે પણ આપણા ગુજરાતમાં કેટલીક એવા ભ્રષ્ટ પોલીસના કારણે લોકો બધી પોલીસને અલગ નજરથી જોતા હોય છે પણ એવું નથી...જયારે આપણે રાતના સમયે કોઈ કામથી નીકળ્યા હોઈએ અને રસ્તો સુમસામ હોય એ જોઈને આપણે વધુ ગતિથી ચાલવા લાગીયે છીએ. પણ જયારે આપણે લાઈટ ઝબકતી એ પોલીસની ગાડી જોઈએ ત્યારે આપણને એમ લાગે કે હા હવે વાંધો નથી અહીં પોલીસ છે. આ પોલીસ આપણી સુરક્ષા માટે જ છે. આજે આપણે જે પોલીસ કર્મીને ખોયા છે એમનું નામ બળદેવ નિનામા હતું..એમને જમાવટ તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.