અમદાવાદમાં PSI અને રાઈટર માત્ર 1000 ની લાંચ લેતા ઝડપાયા, બંને ACBની ટ્રેપમાં ફસાતા પોલીસ બેડામાં ફફડાટ


  • Published By :
  • Published Date : 2023-10-31 17:42:21

રાજ્યના ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. સિસ્ટમ તોડનારા સામે ACBએ લાલ આંખ કરી છે. IPSથી લઈ કોન્સ્ટેબલ સુધી અલગ-અલગ અધિકારીઓ ACB રડારમાં આવી ગયા છે. રાજ્યમાં લાંચિયા પોલીસકર્મીઓ સામે ACB દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવે છે. જો કે તેમ છતાં સિસ્ટમમાં કોઈ સુધારો થતો જોવા મળતો નથી. અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં એક મહિલા પીએસઆઈ અને તેમના રાયટર ACBના છટકામાં ઝડપાયા છે. એક બાઈક છોડવવા આવેલા ફરિયાદીની પાસેથી તેમણે લાંચની રકમ માંગી હતી. 


કઈ રીતે ઝડપાયા?


અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ ડાયમંડ પોલીસ ચોકીના PSI દ્વારા લાંચની રકમ માંગવામાં આવી હતી. ફરિયાદી યુવકને પોતાની બાઈક પકડાઈ ગઈ હતી. જે બાઈકને લઈ કોર્ટમાંથી બાઈક છોડવા માટે કાર્યવાહી કરી હતી. આ માટે કાર્યવાહીમાં પોલીસના અભિપ્રાયની જરુર હોવાને લઈ પોલીસને રજૂઆત કરી હતી. પોલીસને કોર્ટમાં રજૂ કરવાનો થતો અભિપ્રાય વિના કારણે વિલંબ નહીં કરવા માટે રજૂઆત કરવા જતા અભિપ્રાયના બદલામાં મહિલા પીએસઆઈ જેએસ રાવલ અને પોલીસ ચોકીમાં તેમના રાયટર રીંકુભાઈ પટણીએ 2000 રુપિયાની લાંચની માંગણી કરી હતી. જેને લઈ 1000 રુપિયાની લાંચની રકમ ફરિયાદીએ તેમને આપી દીધી હતી. જ્યારે બાકીના 1000 ની રકમ ચૂકવી આપવા માટે કહ્યુ હતુ. જે રકમ પોલીસ ચોકીએ આવીને આપી જવા માટે કહ્યુ હતુ. આ રકમને લઈને ફરિયાદી યુવક ડાયમંડ પોલીસ ચોકી પહોંચ્યો હતો. જો કે આ લાંચને લઈ તેણે અમદાવાદ શહેરની એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ તેની પાસેથી વિગતો મેળવીને છટકું ગોઠવ્યું હતુ.  રીંકુ પટ્ટણીએ યુવક સાથે બાઈક માટેના અભિપ્રાયને લઈ લાંચની રકમની હેતુલક્ષી વાતચીત કરીને બાકીની 1000 રુપિયાની રકમ સ્વિકારી હતી. જેને લઈ એસીબીએ રીંકુ પટ્ટણી અને પીએસઆઈ રાવલ બંને ઝડપાઈ જવા પામ્યા હતા. એસીબીએ બંનેને ડીટેઈન કરીને તેમની સામે કાર્યવાહી કરી હતી. એસીબીએ તેમના ઘરે પણ સર્ચ કરીને તેમની મિલકતની પણ તપાસ કરવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.