અમદાવાદમાં PSI અને રાઈટર માત્ર 1000 ની લાંચ લેતા ઝડપાયા, બંને ACBની ટ્રેપમાં ફસાતા પોલીસ બેડામાં ફફડાટ


  • Published By :
  • Published Date : 2023-10-31 17:42:21

રાજ્યના ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. સિસ્ટમ તોડનારા સામે ACBએ લાલ આંખ કરી છે. IPSથી લઈ કોન્સ્ટેબલ સુધી અલગ-અલગ અધિકારીઓ ACB રડારમાં આવી ગયા છે. રાજ્યમાં લાંચિયા પોલીસકર્મીઓ સામે ACB દ્વારા અવારનવાર કાર્યવાહી કરવામાં આવે છે. જો કે તેમ છતાં સિસ્ટમમાં કોઈ સુધારો થતો જોવા મળતો નથી. અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં એક મહિલા પીએસઆઈ અને તેમના રાયટર ACBના છટકામાં ઝડપાયા છે. એક બાઈક છોડવવા આવેલા ફરિયાદીની પાસેથી તેમણે લાંચની રકમ માંગી હતી. 


કઈ રીતે ઝડપાયા?


અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલ ડાયમંડ પોલીસ ચોકીના PSI દ્વારા લાંચની રકમ માંગવામાં આવી હતી. ફરિયાદી યુવકને પોતાની બાઈક પકડાઈ ગઈ હતી. જે બાઈકને લઈ કોર્ટમાંથી બાઈક છોડવા માટે કાર્યવાહી કરી હતી. આ માટે કાર્યવાહીમાં પોલીસના અભિપ્રાયની જરુર હોવાને લઈ પોલીસને રજૂઆત કરી હતી. પોલીસને કોર્ટમાં રજૂ કરવાનો થતો અભિપ્રાય વિના કારણે વિલંબ નહીં કરવા માટે રજૂઆત કરવા જતા અભિપ્રાયના બદલામાં મહિલા પીએસઆઈ જેએસ રાવલ અને પોલીસ ચોકીમાં તેમના રાયટર રીંકુભાઈ પટણીએ 2000 રુપિયાની લાંચની માંગણી કરી હતી. જેને લઈ 1000 રુપિયાની લાંચની રકમ ફરિયાદીએ તેમને આપી દીધી હતી. જ્યારે બાકીના 1000 ની રકમ ચૂકવી આપવા માટે કહ્યુ હતુ. જે રકમ પોલીસ ચોકીએ આવીને આપી જવા માટે કહ્યુ હતુ. આ રકમને લઈને ફરિયાદી યુવક ડાયમંડ પોલીસ ચોકી પહોંચ્યો હતો. જો કે આ લાંચને લઈ તેણે અમદાવાદ શહેરની એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો. એસીબીએ તેની પાસેથી વિગતો મેળવીને છટકું ગોઠવ્યું હતુ.  રીંકુ પટ્ટણીએ યુવક સાથે બાઈક માટેના અભિપ્રાયને લઈ લાંચની રકમની હેતુલક્ષી વાતચીત કરીને બાકીની 1000 રુપિયાની રકમ સ્વિકારી હતી. જેને લઈ એસીબીએ રીંકુ પટ્ટણી અને પીએસઆઈ રાવલ બંને ઝડપાઈ જવા પામ્યા હતા. એસીબીએ બંનેને ડીટેઈન કરીને તેમની સામે કાર્યવાહી કરી હતી. એસીબીએ તેમના ઘરે પણ સર્ચ કરીને તેમની મિલકતની પણ તપાસ કરવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.