અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક બાળકના પિતાએ 15 વર્ષની છોકરીને ફસાવી લગ્નની લાલચ આપી, પાર્કિંગમાં બોલાવી છેડતી કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 17:08:52

ઘાટલોડિયાના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતી મહિલાએ પોલીસ ફરિયાદ કરીને એવા આક્ષેપ કર્યા છે કે, વસ્ત્રાપુરની એક હોસ્પિટલમાં નોકરી કરતા શખસે તેમની પંદર વર્ષની દીકરીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ શખસે લગ્નની લાલચ આપી હતી. બાદમાં તેમની દીકરીને ગિફ્ટ આપવાનું કહી ફ્લેટના પાર્કિંગમાં બોલાવી હતી. એ પછી આરોપીએ તેની સાથે શારીરિક છેડતી કરી હતી. ત્યારે પોલીસે પણ આરોપીને ઝડપી પાડીને આગળની તાપસ હાથ ધરી છે.


ઘાટલોડિયામાં એક બાળકના પિતાએ પંદર વર્ષની છોકરીને પ્રેમજાળમાં ફસાવી
છોકરીને લગ્નની લાલચ આપી, ગિફ્ટ આપવાના બહાને પાર્કિંગમાં બોલાવી
પાર્કિંગમાં બોલાવીને છોકરી સાથે શખસે શારીરિક અડપલા કર્યા હતા


આજકાલ નાની ઉંમરની છોકરીઓને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને કેટલાંક લોકો ગુનો આચરી રહ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ઘાટલોડિયા વિસ્તારમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક બાળકના પિતાએ એક 15 વર્ષની છોકરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં છોકરીને લગ્નની લાલચ આપી હતી. એ પછી આ નરાધમે છોકરીને ફ્લેટના પાર્કિંગમાં બોલાવીને ગંદુ કામ કર્યુ હતુ. આ વાતની જાણ છોકરીની માતાને થતા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે પણ ગુનો નોંધીને આ શખસને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


15 વર્ષની છોકરીને પ્રેમજાળમાં ફસાવી

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઘાટલોડિયાના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે, વસ્ત્રાપુરની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા નિલેષ શ્રીમાળી નામના શખસે તેમની દીકરીની શારીરિક છેડતી કરી હતી. આ શખસ પરિણિત હોવા છતા પણ તેમની 15 વર્ષની દીકરીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ શખસે તેમની દીકરીને લગ્નની લાલચ પણ આપી હતી. તેણે એવું કહ્યું હતું કે, જ્યારે તે 18 વર્ષની થશે ત્યારે લગ્ન કરશે.


પાર્કિંગમાં બોલાવી ગંદુ કામ કર્યુ

મહિલાનો એવો પણ આક્ષેપ છે કે, જ્યારે તેમની દીકરી ભુદરપુરા ખાતે ટ્યૂશન ક્લાસમાં જતી ત્યારે તે તેને મળવા માટે હોસ્પિટલમાં બોલાવતો હતો. તાજેતરમાં તેણે તેમની દીકરીને ગિફ્ટ આપવાના બહાને ફ્લેટના પાર્કિંગમાં બોલાવી હતી. બાદમાં દીકરીની શારીરિક છેડતી કરી હતી. દીકરી પાસે મોંઘી ગિફ્ટ જોઈને માતાએ પૂછપરછ કરી હતી. ત્યારે દીકરીએ સઘળી હકીકત જણાવી હતી. જે બાદ આરોપી નિલેષનો પાખંડ સામે આવ્યો હતો.


ચાર વર્ષના બાળકનો પિતા છે આરોપી

જે બાદ મહિલાએ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપીની ઉંમર 31 વર્ષ છે અને ચાર વર્ષના એક બાળકનો પિતા પણ છે. તેમ છતા તેણે તેમની 15 વર્ષની દીકરીને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી હતી. ત્યારે ફરિયાદ બાદ પોલીસે આરોપી નિલેષને ઝડપી પાડીને આગળની તજવીજ હાથ ધરી છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.