અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક બાળકના પિતાએ 15 વર્ષની છોકરીને ફસાવી લગ્નની લાલચ આપી, પાર્કિંગમાં બોલાવી છેડતી કરી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-10 17:08:52

ઘાટલોડિયાના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતી મહિલાએ પોલીસ ફરિયાદ કરીને એવા આક્ષેપ કર્યા છે કે, વસ્ત્રાપુરની એક હોસ્પિટલમાં નોકરી કરતા શખસે તેમની પંદર વર્ષની દીકરીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ શખસે લગ્નની લાલચ આપી હતી. બાદમાં તેમની દીકરીને ગિફ્ટ આપવાનું કહી ફ્લેટના પાર્કિંગમાં બોલાવી હતી. એ પછી આરોપીએ તેની સાથે શારીરિક છેડતી કરી હતી. ત્યારે પોલીસે પણ આરોપીને ઝડપી પાડીને આગળની તાપસ હાથ ધરી છે.


ઘાટલોડિયામાં એક બાળકના પિતાએ પંદર વર્ષની છોકરીને પ્રેમજાળમાં ફસાવી
છોકરીને લગ્નની લાલચ આપી, ગિફ્ટ આપવાના બહાને પાર્કિંગમાં બોલાવી
પાર્કિંગમાં બોલાવીને છોકરી સાથે શખસે શારીરિક અડપલા કર્યા હતા


આજકાલ નાની ઉંમરની છોકરીઓને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને કેટલાંક લોકો ગુનો આચરી રહ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ઘાટલોડિયા વિસ્તારમાંથી પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક બાળકના પિતાએ એક 15 વર્ષની છોકરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં છોકરીને લગ્નની લાલચ આપી હતી. એ પછી આ નરાધમે છોકરીને ફ્લેટના પાર્કિંગમાં બોલાવીને ગંદુ કામ કર્યુ હતુ. આ વાતની જાણ છોકરીની માતાને થતા આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે પણ ગુનો નોંધીને આ શખસને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


15 વર્ષની છોકરીને પ્રેમજાળમાં ફસાવી

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઘાટલોડિયાના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે, વસ્ત્રાપુરની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા નિલેષ શ્રીમાળી નામના શખસે તેમની દીકરીની શારીરિક છેડતી કરી હતી. આ શખસ પરિણિત હોવા છતા પણ તેમની 15 વર્ષની દીકરીને પ્રેમજાળમાં ફસાવી હતી. આ શખસે તેમની દીકરીને લગ્નની લાલચ પણ આપી હતી. તેણે એવું કહ્યું હતું કે, જ્યારે તે 18 વર્ષની થશે ત્યારે લગ્ન કરશે.


પાર્કિંગમાં બોલાવી ગંદુ કામ કર્યુ

મહિલાનો એવો પણ આક્ષેપ છે કે, જ્યારે તેમની દીકરી ભુદરપુરા ખાતે ટ્યૂશન ક્લાસમાં જતી ત્યારે તે તેને મળવા માટે હોસ્પિટલમાં બોલાવતો હતો. તાજેતરમાં તેણે તેમની દીકરીને ગિફ્ટ આપવાના બહાને ફ્લેટના પાર્કિંગમાં બોલાવી હતી. બાદમાં દીકરીની શારીરિક છેડતી કરી હતી. દીકરી પાસે મોંઘી ગિફ્ટ જોઈને માતાએ પૂછપરછ કરી હતી. ત્યારે દીકરીએ સઘળી હકીકત જણાવી હતી. જે બાદ આરોપી નિલેષનો પાખંડ સામે આવ્યો હતો.


ચાર વર્ષના બાળકનો પિતા છે આરોપી

જે બાદ મહિલાએ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપીની ઉંમર 31 વર્ષ છે અને ચાર વર્ષના એક બાળકનો પિતા પણ છે. તેમ છતા તેણે તેમની 15 વર્ષની દીકરીને પ્રેમજાળમાં ફસાવી હતી અને લગ્નની લાલચ આપી હતી. ત્યારે ફરિયાદ બાદ પોલીસે આરોપી નિલેષને ઝડપી પાડીને આગળની તજવીજ હાથ ધરી છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.