AMC એક્શન મોડમાં, ગેરકાયદેસર પાર્કિગ મામલે 410 રહેણાંક અને 501 કોમર્શિલય એકમને ફટકારી નોટિસ


  • Published By :
  • Published Date : 2023-10-29 14:40:29

રાજ્યના તમામ મોટા શહેરોમાં રખડતા ઢોર, રસ્તાઓ પર દબાણ અને પાર્કિગની સમસ્યા તંત્ર માટે પણ માથાના દુ:ખાવા સમાન બની છે. જો કે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કડક વલણ અપનાવ્યું છે. બિસ્માર રોડ, રખડતા ઢોર અને પાર્કિગ મુદ્દે અમદાવાદ મહાનગર પાલિકા એક્શન મોડમાં આવી છે. ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ અમદાવાદ મહાનગર પાલિકાના દક્ષિણ પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા જાહેર રસ્તા પર રહેલા ગેરકાયદેસર પાર્કિગ મુદ્દે કડક કાર્યવાહી હાથ ધરાઇ હતી. 


આડેધડ પાર્કિગ કરનારા સામે કાર્યવાહી


અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા હાઇકોર્ટના આદેશ અને પાર્કિગ પોલિસી અંતર્ગત 410 રહેણાક મકાન અને ધંધાકીય એકમ મળી કુલ 911 એકમને નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે. જાહેર રસ્તા પર આડેધડ પાર્કિગ કરનાર વાહન પણ લોક કરી 9 હજારનો દંડ વસુલાત કરવામાં આવ્યો છે. ઇસ્કોન ચાર રસ્તાથી ઉજાલ સર્કલ સુધીના એસજી હાઇવે તથા સર્કલ પીથી પ્રહલાદનગર ગાર્ડન ચાર રસ્તા થઇ શ્યામલ ચાર રસ્તાથી કેનયુગ સુધીના ટીપી રોડ પર રહેલા 28 નાના મોટા દબાણો દૂર કરાયા હતા. તે જ પ્રકારે કેનયુગ ચાર રસ્તાથી રાહુલ ટાવર સુધીના રોડ પર આવેલા રહેણાંક મિલકત તેમજ કોમર્શિયલ માલિકો તથા જાહેર જનતા દ્વારા બિનઅધિકૃત રીતે પાર્કિગ થયેલ જણાતા રોડ પાર્કિગ ન થાય તેમજ માર્જીન પૈકીની જગ્યાઓમાં દબાણ ન થાય તે અંગે જરૂરી વ્યવસ્તા કરવા સંબંધી માલિક, ચેરમેન, સેક્રેટરી એમ રહેણાંકના 410 અને કોમર્શિલયના 501 મળી કુલ 911 યુનિટને જાહેર નોટિસ અપાઇ હતી.


અડચણરૂપ લારી ગલ્લાઓ પર તવાઈ


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગે પણ જાહેર રસ્તામાં અડચણરૂપ લારી ગલ્લાઓ હટાવ્યા હતા. તેમજ ટ્રાફિકને નડતર કુલ 7 વાહનો લોક કરી 2700 વહિવટી ચાર્જ વસુલ કરાયો હતો. એએમસી ઉત્તર ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા પણ જાહેર રસ્તામાં રહેલા દબાણ દૂર કરાયા હતા. બીઆરટીએસ કોરિડોર પાસે દબાણ કરનાર પાસેથી રૂપિયા 8200નો વહિવટી ચાર્જ વસૂલ કરાયો છે. નાના મોટા પરચૂરણ માલ સામાન નંગ 78 મળીને કુલ 138 જેટલો માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.