રખડતા ઢોર સામે AMC તંત્ર એક્શનમાં, 5800 જેટલા રખડતા ઢોર ડબ્બે પુર્યા, ઢોર પાર્ટી સાથે રહેશે બાઉન્સરો


  • Published By :
  • Published Date : 2023-11-02 20:40:10

રાજ્યના તમામ મોટા શહેરોમાં રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાત હાઈકોર્ટે પણ સરકાર આ મામલે કાર્યવાહી કરવાનો કડક આદેશ આપ્યા બાદ સરકારી તંત્ર આળસ ખંખેરીને ઢોર પકડવામાં કામે લાગ્યું છે. અમદાવાદમાં ભટકતા મોતથી શહેરીજનોને મુક્ત કરવા માટે હાઈકોર્ટની ફટકાર બાદ નવી પોલિસી અમલમાં મુકવામાં આવી છે. નવી કેટલ પોલિસી આવ્યા બાદ શહેરમાંથી 5800 જેટલા રખડતા ઢોરને પકડવામાં આવ્યા છે, જેમા સપ્ટેમ્બર મહિનામાં 3300 અને ઓક્ટોબર મહિનામાં 2500 ઢોર પકડવામાં આવ્યા છે.  ઉલ્લેખનિય છે કે હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદમાં 1 સપ્ટેમ્બરથી નવી કેટલ પોલિસી અમલમાં આવી છે. ઉલ્લેખનિય છે કે અગાઉ નારોલ વિસ્તારમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને મળેલી ધમકી અને મકરબા વિસ્તારમાં માલધારીઓએ ઢોર પાર્ટી સાથે કરેલી માથાકૂટના બનાવોને પગલે હવે ઢોર પાર્ટી ખાનગી બાઉન્સરોને સાથે રાખીને ઢોરને પકડવાની કામગીરી કરી રહી છે.


AMC કમિશનરની ઢોર માલિકોને કડક સુચના


નવી કેટલ પોલિસીને અસરકારક બનાવવા AMC કમિશનર એમ થેન્નારસને પરિપત્ર કરી તમામ ઝોનના અધિકારીઓને તાકીદ કરી છે. જેમા જે પશુમાલિકો પાસે પશુની સંખ્યા પ્રમાણે રાખવાની જગ્યાનો અભાવ તેમને બે દિવસમાં ઢોરોને શહેર બહાર શિફ્ટ કરવાનો સમય આપવામાં આવ્યો હતો. તાકીદ કર્યા બાદ પણ પશુ માલિક ઢોરોને શહેર બહાર શિફ્ટ ન કરે તો તેમના પશુઓને ઢોર ડબ્બે પુરવાની કાર્યવાહી કરવામાં આવશે. સમય અપાયા બાદ પણ પશુઓને શિફ્ટ ન કરાયા હોય તેવા લાયસન્સ- પરમીટ વગરના પશુઓને ઢોર પાર્ટી દ્વારા પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઢોર પાર્ટી દ્વારા દક્ષિણ બોપલ વિસ્તારના ગોપાલક આવાસમાંથી ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના કેટલાક વિસ્તારોમાં માલધારીઓએ તેમના ઢોરને ટેમ્પામાં ભરી તેમના વતન લઈ જતા જોવા મળ્યા હતા. 


300 ઢોર સાથે 27,870 કિલો ઘાસચારાનો જથ્થો જપ્ત


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પાર્ટીએ 1લી નવેમ્બરે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 300 રખડતા ઢોરને પકડ્યા હતા. જેમા પૂર્વ ઝોનમાંથી સૌથી વધુ 71, દક્ષિણ ઝોનમાંથી 52, પશ્ચિમ ઝોનમાંથી 50, મધ્યઝોનમાંથી 45 અને ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી 33, દક્ષિણ પશ્ચિમ ઝોનમાંથી 23 અને ઉત્તર ઝોનમાંથી 26 રખડતા પશુને પકડવામાં આવ્યા હતા.જેની સાથે 27,870 કિલો ઘાસચારાનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી