તો પછી રાજદીપસિંહ જાડેજાનો જેલયોગ પાક્કો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-10-14 14:41:29

રાજકોટના ખુબ ચર્ચિત અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે. 

Rajdeepsinh Jadeja Ribda ???? | ???????????????????? ???????????????? ????????????????????????  @rajdeepsinh_ribda11 #महाकाल_भक्त???? #अश्वप्रेमी???? #रंगरेज़_बन्ना????????  #घोडसवार???????? #अग्निवश???? ????रक्त ⚔रोऊब और????????रुतबा ...

રાજકોટના અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા ના મંજુર કરવામાં આવ્યા છે. રાજદીપસિંહ જાડેજાની અમિત ખૂંટ કેસમાં મુશ્કેલીઓ વધી શકે છે. અનિરુદ્ધસિંહ જાડેજા પર અમિત ખૂંટ કેસમાં અગાઉથી જ તપાસ ચાલુ છે. રાજદીપસિંહ જાડેજાએ પોતાની ધરપકડ ટાળવા સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન માંગ્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટે તે ફગાવી દીધા છે. આમ હવે રાજદીપસિંહ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. વાત કરીએ , રાજકોટના ખુબ ચર્ચિત અમિત ખૂંટ કેસની તો રાજકોટમાં મોડેલિંગ કરતી 17 વર્ષીય સગીરાએ  3 મેના રોજ રીબડાનાં અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના બે દિવસ બાદ દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂંટે રીબડા ગામમાં જીવન ટૂંકાવ્યું હતું . ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી હતી, જેમાં તેણે લખ્યું હતું કે 'મને મારવા પાછળ અનિરૂદ્ધસિંહ રીબડાનો હાથ છે. રાજદીપ ત્રાસ આપતો, પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી છે.' મૃતક અમિત ખૂંટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હોવાથી મામલો ગરમાયો હતો અને આ મામલે રીબડાનાં ક્ષત્રિય આગેવાન અનિરૂદ્ધસિંહ અને તેમના દીકરા રાજદીપસિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. 

Supreme Court of India | India

વાત અનિરુદ્ધસિંહ જાડેજાની તો EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં તેમની સજામાફી રદ કરવામાં આવી હતી. તેમણે આ કેસમાં સરેન્ડર કરવું પડ્યું હતું આ પછી અમિત ખૂંટ કેસમાં પોલીસે તેમના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. હવે તેમના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવ્યા છે. 




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.