અરવલ્લીમાં BJPનો ખેસ લગાડી કરવામાં આવી ડ્રગ્સની હેરાફેરી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-10-08 13:36:18

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા.  આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો. 

અરવલ્લીના માલપુરથી પોલીસની ખુબ મોટી કાર્યવાહી સામે આવી છે. પોલીસે ફોર્ચ્યુનર કારમાંથી ૮.૨૮ લાખનો પોશડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુનેગારોએ પોલીસને ચકમો આપવા માટે , ફોર્ચ્યુનરમાં આગળ કમળનો ખેસ લગાવ્યો હતો. અરવલ્લી જિલ્લામાં થોડાક સમય અગાઉ નવા SP તરીકે મનોહરસિંહ જાડેજાની નિમણુંક થઇ છે ત્યારે , હવે પોલીસે ડ્રગ્સની સપ્લાય ચેન પર સકંજો કરવાનું નક્કી કરી લીધું છે. આખી ઘટના એવી છે કે , અરવલ્લીના માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયારે , PI કે. આર. દરજી અને પોલીસ સ્ટાફના માણસો જયારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે , સફેદ કલરની ફોર્ચ્યુનર જેનો નંબર GJ 18 BK ૧૨૨૪ હતો જે ગેરકાયદેસર નશા કારક પદાર્થ ભરીને ગામડાઓના અવાવરું રસ્તે નીકળવાની છે. બાતમીના આધારે પોલીસે મસાદરા ગામના માર્ગો પર વોચ ગોઠવી હતી. પોલીસ જીપને દૂરથી જોતા જ ફોર્ચ્યુનર ચાલકના હોશકોશ ઉડી ગયા હતા. તેણે ગાડી કાચા રસ્તા પર ઉતારી દીધી અને થોડે દૂર જઈને ગાડીને બિનવારસી હાલતમાં મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.

માલપુર પોલીસે ફોર્ચ્યુનરની તલાશી લેતા, અંદર કાળા કોથળાઓમાં છુપાવેલો ૨૭૬ કિલોગ્રામ પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત ₹૮.૨૮ લાખ થવા જાય છે. પોલીસે પોશડોડા અને ફોર્ચ્યુનર કાર મળીને કુલ ₹૨૮.૨૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી, ફરાર અજાણ્યા ચાલક વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આમ હવે ડ્રગ્સની હેરાફેરી કરનાર ઈસમોએ એક નવી મોડસ ઓપરેન્ડીનો સહારો લીધો છે. જેમાં તેમણે ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાડી દીધો હતો.  આ સમગ્ર કાર્યવાહીમાં જે પણ પોલીસ કર્મીઓએ ભાગ લીધો હતો તેમના નામ છે. PI કે. આર. દરજી , ASI રણજિતભાઈ સુકાભાઈ , હેડ કોન્સ્ટેબલ નવનીતકુમાર સવજીભાઈ , અવિનાશકુમાર અમૃતભાઈ આ પછી , વિજયકુમાર ગોબરભાઇ , રાજેશકુમાર રામભાઈ , અમૃતભાઈ જીવાભાઈ છે. 




મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.