અરવલ્લીમાં BJPનો ખેસ લગાડી કરવામાં આવી ડ્રગ્સની હેરાફેરી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-10-08 13:36:18

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા.  આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો. 

અરવલ્લીના માલપુરથી પોલીસની ખુબ મોટી કાર્યવાહી સામે આવી છે. પોલીસે ફોર્ચ્યુનર કારમાંથી ૮.૨૮ લાખનો પોશડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુનેગારોએ પોલીસને ચકમો આપવા માટે , ફોર્ચ્યુનરમાં આગળ કમળનો ખેસ લગાવ્યો હતો. અરવલ્લી જિલ્લામાં થોડાક સમય અગાઉ નવા SP તરીકે મનોહરસિંહ જાડેજાની નિમણુંક થઇ છે ત્યારે , હવે પોલીસે ડ્રગ્સની સપ્લાય ચેન પર સકંજો કરવાનું નક્કી કરી લીધું છે. આખી ઘટના એવી છે કે , અરવલ્લીના માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયારે , PI કે. આર. દરજી અને પોલીસ સ્ટાફના માણસો જયારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે , સફેદ કલરની ફોર્ચ્યુનર જેનો નંબર GJ 18 BK ૧૨૨૪ હતો જે ગેરકાયદેસર નશા કારક પદાર્થ ભરીને ગામડાઓના અવાવરું રસ્તે નીકળવાની છે. બાતમીના આધારે પોલીસે મસાદરા ગામના માર્ગો પર વોચ ગોઠવી હતી. પોલીસ જીપને દૂરથી જોતા જ ફોર્ચ્યુનર ચાલકના હોશકોશ ઉડી ગયા હતા. તેણે ગાડી કાચા રસ્તા પર ઉતારી દીધી અને થોડે દૂર જઈને ગાડીને બિનવારસી હાલતમાં મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.

માલપુર પોલીસે ફોર્ચ્યુનરની તલાશી લેતા, અંદર કાળા કોથળાઓમાં છુપાવેલો ૨૭૬ કિલોગ્રામ પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત ₹૮.૨૮ લાખ થવા જાય છે. પોલીસે પોશડોડા અને ફોર્ચ્યુનર કાર મળીને કુલ ₹૨૮.૨૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી, ફરાર અજાણ્યા ચાલક વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આમ હવે ડ્રગ્સની હેરાફેરી કરનાર ઈસમોએ એક નવી મોડસ ઓપરેન્ડીનો સહારો લીધો છે. જેમાં તેમણે ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાડી દીધો હતો.  આ સમગ્ર કાર્યવાહીમાં જે પણ પોલીસ કર્મીઓએ ભાગ લીધો હતો તેમના નામ છે. PI કે. આર. દરજી , ASI રણજિતભાઈ સુકાભાઈ , હેડ કોન્સ્ટેબલ નવનીતકુમાર સવજીભાઈ , અવિનાશકુમાર અમૃતભાઈ આ પછી , વિજયકુમાર ગોબરભાઇ , રાજેશકુમાર રામભાઈ , અમૃતભાઈ જીવાભાઈ છે. 




જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"

સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. તબીબોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો કેમ કે , ન્યુરો વિભાગના તબીબ પર જે હુમલો થયો તે હજુ પકડાયો નથી. તો હવે જુનિયર તબીબો ચાર મુખ્ય માંગણીઓ સાથે હડતાલ પર ઉતરી ચુક્યા છે. જેના કારણે , રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી સિવાય તમામ સેવાઓ ઠપ થઇ ગઈ છે. આમ , ફરી એકવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓ પર સંકટના વાદળો છવાયા છે.