અરવલ્લીમાં BJPનો ખેસ લગાડી કરવામાં આવી ડ્રગ્સની હેરાફેરી!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-10-08 13:36:18

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા.  આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો. 

અરવલ્લીના માલપુરથી પોલીસની ખુબ મોટી કાર્યવાહી સામે આવી છે. પોલીસે ફોર્ચ્યુનર કારમાંથી ૮.૨૮ લાખનો પોશડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગુનેગારોએ પોલીસને ચકમો આપવા માટે , ફોર્ચ્યુનરમાં આગળ કમળનો ખેસ લગાવ્યો હતો. અરવલ્લી જિલ્લામાં થોડાક સમય અગાઉ નવા SP તરીકે મનોહરસિંહ જાડેજાની નિમણુંક થઇ છે ત્યારે , હવે પોલીસે ડ્રગ્સની સપ્લાય ચેન પર સકંજો કરવાનું નક્કી કરી લીધું છે. આખી ઘટના એવી છે કે , અરવલ્લીના માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયારે , PI કે. આર. દરજી અને પોલીસ સ્ટાફના માણસો જયારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે , સફેદ કલરની ફોર્ચ્યુનર જેનો નંબર GJ 18 BK ૧૨૨૪ હતો જે ગેરકાયદેસર નશા કારક પદાર્થ ભરીને ગામડાઓના અવાવરું રસ્તે નીકળવાની છે. બાતમીના આધારે પોલીસે મસાદરા ગામના માર્ગો પર વોચ ગોઠવી હતી. પોલીસ જીપને દૂરથી જોતા જ ફોર્ચ્યુનર ચાલકના હોશકોશ ઉડી ગયા હતા. તેણે ગાડી કાચા રસ્તા પર ઉતારી દીધી અને થોડે દૂર જઈને ગાડીને બિનવારસી હાલતમાં મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો.

માલપુર પોલીસે ફોર્ચ્યુનરની તલાશી લેતા, અંદર કાળા કોથળાઓમાં છુપાવેલો ૨૭૬ કિલોગ્રામ પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત ₹૮.૨૮ લાખ થવા જાય છે. પોલીસે પોશડોડા અને ફોર્ચ્યુનર કાર મળીને કુલ ₹૨૮.૨૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી, ફરાર અજાણ્યા ચાલક વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આમ હવે ડ્રગ્સની હેરાફેરી કરનાર ઈસમોએ એક નવી મોડસ ઓપરેન્ડીનો સહારો લીધો છે. જેમાં તેમણે ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાડી દીધો હતો.  આ સમગ્ર કાર્યવાહીમાં જે પણ પોલીસ કર્મીઓએ ભાગ લીધો હતો તેમના નામ છે. PI કે. આર. દરજી , ASI રણજિતભાઈ સુકાભાઈ , હેડ કોન્સ્ટેબલ નવનીતકુમાર સવજીભાઈ , અવિનાશકુમાર અમૃતભાઈ આ પછી , વિજયકુમાર ગોબરભાઇ , રાજેશકુમાર રામભાઈ , અમૃતભાઈ જીવાભાઈ છે. 




ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.